છાસવાલેના દસક્રોઈ ખાતે આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તપાસ કરવા બાબતે કાર્યવાહી AMCએ કરી છે-રૂ. ૨૫ હજાર પેનલ્ટી ફટકારાઇ-કાજુ અંજીરનો મિલ્ક શેક ખરીદવામાં આવ્યું હતું જે મિલ્ક શેકમાં જીવજંતુ નીકળ્યુ હતું.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી અખાદ્ય અને જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોય છે. શહેરના પોલિટેકનિક ચાર રસ્તા પાસે આવેલા છાશવાલેમાંથી ખરીદવામાં આવેલા મિલ્ક શેકમાંથી જીવજંતુ નીકળવા અંગેની ઘટના બની છે.
જે બાબતે ગ્રાહકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા છાશવાલેમાં તપાસ કરી અને ૨૫,૦૦૦ રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે અને મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તપાસ કરવા બાબતે કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જે વિડીયોમાં પોલીટેકનીક ચાર રસ્તા નજીક આઈઆઈએમ રોડ ઉપર આવેલા છાશવાલેમાંથી કાજુ અંજીરનો મિલ્ક શેક ખરીદવામાં આવ્યું હતું જે મિલ્ક શેકમાં જીવજંતુ નીકળ્યુ હતું.
જમા ક્વોલિટી બાબતે પણ વિડીયો બનાવનારે સવાલ ઉભા કર્યા હતા. આ વિડીયો ૨૨ મે ના રોજ બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે ગ્રાહક દ્વારા ૧૫ મેના રોજ આ મિલ્ક શેક ખરીદ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ વિડીયો વાયરલ થતાની સાથે જ AMCનું ફૂડ વિભાગ સક્રિય થઈ ગયું હતું અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી છે. ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે IIM રોડ પર આવેલા છાશવાલેમાંથી કાજુ અંજીર મિલ્ક શેક ખરીદવામાં આવ્યો હતો જે 15 મે, 2026ના રોજ ગ્રાહકે ખરીદ્યો હતો અને ૨૨ મેના રોજનો વિડીયો વાયરલ થયો છે
જે વિડીયો વાયરલ થયો હોવાના આધારે ફૂડ વિભાગની ટીમ દ્વારા છાશવાલે ખાતે તપાસ કરવામાં આવી હતી અને રૂ. ૨૫૦૦૦ની પેનલ્ટી કરવામાં આવી છે. છાશવાલેનું પ્રોડક્શન હાઉસ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ ખાતે આવેલું છે જેથી જિલ્લા પૂળ વિભાગના અધિકારીને આ બાબતે તપાસ કરવા અમે જાણ કરી દીધી છે.

