Author: gujarat

સાબરકાંઠાના ત્રણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ નાસતા ફરતા પાંચને ઝડપી લેવાયા(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે આશયથી કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. ત્યારે તાજેતરમાં જિલ્લાના તલોદ, ખેરોજ અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ તેઓ ફરાર હતા. જેથી એલસીબી અને એસઓજીના સ્ટાફે પાંચેયને ઝડપી લઇ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દીધા હતા.આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી તાજેતરમાં એલસીબી અને એસઓજીએ ફરાર શખ્સોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે તેમાં ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં…

Read More

(પ્રતિનિધિ) મોડાસા, વિજયનગર તાલુકામાં જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અને સેવા દરમિયાન અવસાન પામેલા બે મુખ્ય શિક્ષકોના વારસદારોને આર્થિક ટેકો પૂરો પાડવાના આશય સાથે કુલ ૨૦ લાખ રૂપિયાની ઉચ્ચક નાણાકીય સહાયના ડ્રાફ્‌ટ અર્પણ કરવામાં આવ્યા હતા.જેમાં પડલાઈ પ્રાથમિક શાળાના પૂર્વ મુખ્ય શિક્ષક સ્વ. કાંતિલાલ એસ. ગોધાના પત્ની બિંદિયાબેન કાંતિલાલ ગોધાને રૂપિયા ૬,૦૦,૦૦૦ (અંકે રૂપિયા છ લાખ) અને ઓલાના મહુડા પ્રાથમિક શાળાના પૂર્વ મુખ્ય શિક્ષક સ્વ. જીતેન્દ્રભાઈ સુકાજી ડામોરના પત્ની કોકિલાબેનને રૂપિયા ૧૪,૦૦,૦૦૦ની ઉચ્ચક નાણાકીય મૃત્યુ સહાયનો ડ્રાફ્‌ટ એનાયત કરવામાં આવ્યો હતો.આ બંને પરિવારોને મળી કુલ ૨૦ લાખ રૂપિયાની સહાયના બે જુદા જુદા ડ્રાફ્‌ટ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પી.પી. ચૌહાણના…

Read More

(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક નગરપાલિકાની પેટા ચૂંટણી આગામી તારીખ ૨૬ એપ્રિલે યોજાનાર છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં ચૂંટણીલક્ષી ગતિવિધી તેજ બની ગઇ છે.જેના ભાગરૂપે વર્ષોથી સાબરકાંઠામાં વિપક્ષની ભૂમિકા ભજવતી કોંગ્રેસે ઉમેદવારી પત્રો ભરાય તે અગાઉ તથા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાય તે પહેલા સાબરકાંઠામાં કેટલાક નિષ્ઠાવાન કાર્યકરો અને પદાધિકારીઓને ટીકીટ મળી જશે તેવો ઇશારો કરીને કામે લાગી જવા માટે કહેવાયું છે.તો બીજી તરફ ભાજપની આજે ગુરૂવારે પાર્લામેન્ટ્રી બોર્ડમાં સાબરકાંઠાના ઉમેદવારો અંગે ચર્ચા કરાયા બાદ આખરી નિર્ણય લેવાય તેવી શકયતા છે. દરમિયાન ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા ટીકીટ વાંચ્છુઓ અત્યારથી જ…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પિંગળજ ગામની સીમમાં પેટ્રોલ-ડીઝલના ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ઇંધણની ચોરી કરતી ગેંગના એક સાગરીતને ખેડા-નડીયાદ એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્‌યો છે. પોલીસે સ્થળ પરથી ૭૫ લીટર પેટ્રોલ, ૮૫ લીટર ડીઝલ અને ચોરી કરવા માટે વપરાતા સાધનો સહિત કુલ્લે ૨૦,૨૭૫/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર ડીશપી.સિમ્પી અને માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પીએસઆઇ એસ.વી.ગોસ્વમી એ.એસ.આઇ. હેમતકુમારને ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે,ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં પિંગળજ ગામની સીમમાં આવેલ ધર કા ઢાબા હોટલ અને બી.પી.સી.એલ. પ્લાન્ટની વચ્ચે આવેલા ર્પાકિંગ એરીયામાં કેટલાક ઇસમો ટેન્કરના સીલ તોડી પાઇપ વડે ઇંધણની ચોરી…

Read More

મલ્લિકાર્જુન ખડગે તેમના વિવાદિત નિવેદન બદલ ગુજરાત અને ગુજરાતીઓની માફી માંગે(પ્રતિનિધિ) ભરૂચ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભરૂચમાં ભાજપ દ્વારા મૌન ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ માટે ‘અભણ’ અને ‘મૂર્ખ’ જેવા શબ્દોનો પ્રયોગ કરતા વિવાદ સર્જાયો છે તેની વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં ‘મૌન વિરોધ પ્રદર્શન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જે ધરણામાં ઉપપ્રમુખ નિરલ પટેલ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ તેમજ માજી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી…

Read More

અમદાવાદ, શહેરના ઠેક ઠેકાણે રિક્ષામાં બેસતા પેસેન્જરના કિંમતી સામાન સહિતની ચીજવસ્તુઓની ચોરીના કિસ્સાઓ તથા રિક્ષામાં બનતા અન્ય ગુનાઓ પર કાબૂ મેળવવા માટે થઈને શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ચાલકે રિક્ષાના આગળના તથા પાછળના ભાગે ચોક્કસ નંબર તથા પોલીસ સ્ટેશનનું નામ લખવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.જેના લીધે રિક્ષામાં બનતા ગુનાઓ પર આંશિક અંકુશ લાદી શકાયો છે. પરંતુ પોલીસની આ નવી ટેકનિકને માત આપવા માટે ગુનેગારોએ ચાલકી અપનાવી છે. જ્યારે પણ ગુનાને અંજામ આપવાનો હોય ત્યારે પોલીસના સ્ટીકર લગાડેલા હોય નહીં તેવી જ રિક્ષાનો ઉપયોગ કરે છે.અથવા તો રિક્ષા પર લાગેલા સ્ટીકરને કાઢીને ત્યારબાદ ગુનાને અંજામ…

Read More

અમદાવાદ, શહેરમાં પર્યાવરણને સુધારવાના ઉદ્દેશ સાથે થલતેજ વોર્ડમાં શરૂ કરાયેલો ઓક્સિજન પાર્ક હવે બેદરકારી અને અવ્યવસ્થાનો ભોગ બની ‘કાર્બન ડાયોક્સાઇડ પાર્ક’ તરીકે ઓળખાવા લાગ્યો છે. હાલ તેની હાલત અત્યંત ચિંતાજનક બની ગઈ છે. કંપની દ્વારા દેખરેખની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ બગીચાની દેખરેખ રખાઈ ન હોવાથી સ્થિતિ વણસી છે.બગીચામાં ૬ માસથી માળી દ્વારા પાણી આપવામાં આવતું ન હોવાથી ૫૦ ટકા વૃક્ષો સુકાઈ ગયા છે. પાર્કના સંચાલન માટે જે ખાનગી કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી, તેની માવજત કરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કંપનીએ બગીચાની દેખરેખ રાખવાનું બંધ કરી દીધું છે. જેથી બગીચામાં છેલ્લા છ મહિનાથી કોઈ જાળવણી કરવામાં આવી નથી.‘મિયાવાકી’ પદ્ધતિથી અહીં…

Read More

અમદાવાદ, શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ મળી આવવાના ચકચારી કેસમાં સ્થાનિક પોલીસ અને તપાસ એજન્સીઓના હાથ ખાલી રહ્યા છે. મહિનાઓ સુધી ચાલેલી તપાસ બાદ પણ ડ્રગ્સ મગાવનાર કે મોકલનારનો કોઈ પત્તો ન લાગતા આખરે સ્પે. એનડીપીએસ કોર્ટના જજ વી.બી.રાજપૂતે આ કેસમાં ‘છ’ સમરી (પડત સમરી) મંજૂર કરી છે.નોંધનીય છે કે, દેશમાં સૌથી વધુ આતંકવાદીઓને ઝડપી લેવામાં ઝાંબાઝ ક્રાઈમ બ્રાન્ચ આ ડ્રગ્સ કેસમાં આરોપીને શોધી શકી નથી! ૨૦૨૪માં શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસ(આયાત)ના કસ્ટમ એક્ઝામિનેશન ખંડમાં ફરજ પરના કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન યુ.એસ., થાઇલેન્ડ અને કેનેડાથી પાર્સલ સર્વિસ દ્વારા મોકલવામાં આવેલા ૧૪ શંકાસ્પદ…

Read More

મહેસાણા, મહેસાણા મનપા વિસ્તારના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનમાં ૮૦ મીટર રિંગ રોડનો છ જેટલા ગામોએ વિરોધ કર્યાે છે ત્યારે મંગળવારે તાવડિયાના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવી વિરોધ ઉગ્ર કરી રિંગ રોડ તેમના ગામથી દૂર ખસેડવાની માંગ કરી છે.મહેસાણા મહાનગરપાલિકાની રચના બાદ તેમાં સમાવાયેલાં ૨૪ ગામો સહિતના વિસ્તારનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન સરકારમાં મંજૂર કરાવીને જાહેર કરાયો છે. જેમાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં પહોળા ડીપી રોડ ઉપરાંત હયાત ૬૦ મીટર બાયપાસને ૮૦ મીટરનો તેમજ તેની સાથે પૂર્વ વિસ્તારમાંથી નવો ૮૦ મીટર રોડ મુકીને રિંગ રોડ દર્શાવવામાં આવ્યો છે.આ ૮૦ મીટર રોડ જે ગામોમાંથી પસાર થાય છે તે પૈકીનાં તાવડિયા, દેલા, ઉચરપી, રામપુરા અને…

Read More

આણંદ, આણંદ નજીક ગામડી ખાતે ત્રિકમનગર રેલવે ફાટક, હનુમાનજી મંદિર પાસે માતા સાથે રહેતો ૨૯ વર્ષીય પુત્ર રાત્રે આઠ વાગે ઘરેથી બાઈક લઈને માતાને આવું છું કહીને નીકળ્યો હતો.જે મોડીરાત્રે આણંદ તાલુકાના અજરપુરા શિવનગર રોડ ઉપર તેને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં બાઇકચાલક યુવકનું મોત નિપજ્યાની ફરિયાદ આણંદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે.આણંદ નજીક ગામડી ખાતે ત્રિકમનગર રેલવે ફાટક હનુમાનજી મંદિર પાસે ભાનુંબેન વેલાભાઈ કચ્છી પોતાના ૨૯ વર્ષીય પુત્ર હીરાભાઈ કાંતિભાઈ ગોહેલ સાથે રહે છે અને ઘરકામ કરે છે.હીરાભાઈ ગોહેલે ત્રણ વર્ષ અગાઉ છુટાછેડા લીધા હોવાથી માતા-પુત્ર સાથે રહેતા હતા અને પુત્ર હીરાભાઈ રીક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. સોમવારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં…

Read More