વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેરઃ રિવરફ્રન્ટના પૂર્વ કિનારે નારણઘાટથી શીતલ એક્વા ફ્લેટ સુધીનો રોડ બંધ(પ્રતિનિધિ)અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૃ.360 કરોડના ખર્ચે સુભાષબ્રિજ નવો બનાવવા અને બંન્ને સાઈડ બે બ્રિજ બનાવવાનો પ્રોજક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. હાલ સુભાષબ્રિજના વચ્ચેના ભાગ બાદ હવે પૂર્વ તરફના રિવરફ્રન્ટ રોડની પરના ભાગને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.આથી સુરક્ષાના ભાગરૂપે પૂર્વ રિવરફ્રન્ટ પર નારણઘાટથી લઈને શીતલ એક્વા ફ્લેટ સુધીનો આશરે 500 મીટરનો રોડ વાહનચાલકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે અને વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે.હાલ બ્રિજના વચ્ચેના ભાગ બાદ હવે પૂર્વ તરફના રિવરફ્રન્ટ રોડની ઉપરના ભાગને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આથી…
Author: gujarat
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ પર શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ ની પ્રવેશ પ્રક્રિયા અંગે અગત્યની અપડેટ્સAhmedabad, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા, એકરૂપતા અને વિદ્યાર્થીઓની સરળતા માટે ‘ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ‘ (GCAS) પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ ની પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે, તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે નીચે મુજબની અગત્યની અપડેટ્સ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે:અન્ય તમામ બાબતો જેવી કે, ટેકનિકલ પ્રોસેસના દિવસો અને પ્રવેશ કન્ફર્મેશનના દિવસો અગાઉના શિડ્યુલ મુજબ યથાવત રહેશે.PG પ્રોગ્રામ્સનું શિડ્યુલ: અનુસ્નાતક (PG) પ્રોગ્રામ્સ જેવા કે LLB, LLM, B.Ed, M.Ed અને અન્ય અલાઈડ હેલ્થકેર પ્રોગ્રામ્સ માટેના પ્રવેશ…
ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૩મી જયંતી –ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત વીર સાવરકરના તૈલચિત્રને વિધાનસભા સચિવ ચેતન પંડ્યાએ પુષ્પાંજલિ અર્પણ કરીગાંધીનગર, ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની આજે ૧૪૩મી જયંતી છે. આ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ વેળાએ સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓ સહિત ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્રી વીર સાવરકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરનો જન્મ ૨૮ મે, ૧૮૮૩ના રોજ નાસિક જિલ્લાના ભગુર મુકામે થયો હતો અને ૨૬ ફેબ્રુઆરી, ૧૯૬૬ના રોજ તેમનું અવસાન…
રાજ્યમાં તા. ૨૯મેના રોજ આરોગ્ય,શિક્ષણ અને તા. ૩૦ મેના રોજ પોલીસ વિભાગ અંતર્ગત આવતા તમામ કર્મયોગી સ્વ-ગણતરી ફોર્મ ભરશેઆગામી તા. ૩૧મે-૨૦૨૬ સુધી ચાલનારી સ્વ-ગણતરી ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક દ્વારા અનુરોધમાત્રQRકોડ દ્વારા પોતાની સ્વ-ગણતરીની વિગતો ભરી શકાશેવસતી ગણતરી-૨૦૨૭ દેશના દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની છે. દેશભરમાં ચાલી રહેલી વસતી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ગુજરાતમાં તા.૧૭ મે-૨૦૨૬થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ,રાજ્યમંત્રી મંડળના સભ્યશ્રીઓ,મુખ્ય સચિવશ્રી સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ,જિલ્લા કલેક્ટરશ્રીઓ,મહાનગરપાલિકા કમિશનરશ્રીઓ તેમજ જાગૃત નાગરિકોએ સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને અન્યને સ્વ-ગણતરી માટે પ્રેરણા આપીને અપીલ પણ…
નાંદેજ ગ્રામ પંચાયતના સરાહનીય પ્રયોગ હેઠળ એક જ દિવસમાં 300 વડીલો અને વિધવા બહેનોના eKYC કરાયાગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે અને વહીવટી પ્રક્રિયા ઝડપી બને તેવા હેતુ સાથે દસ્ક્રોઈ તાલુકાના નાંદેજ ગામે એક વિશેષ eKYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.નાંદેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ કેમ્પમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત eKYC ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પ મુખ્યત્વે ‘વિધવા સહાય યોજના‘ અને ‘નિરાધાર વૃદ્ધ સહાય યોજના‘ના લાભાર્થીઓ માટે રાખવામાં આવ્યો હતો.વર્તમાન સમયમાં સરકારી સહાય સીધી બેંક ખાતામાં મેળવવા માટે eKYC કરાવવું ફરજિયાત હોવાથી, ગ્રામજનોને તાલુકા મથકે ધક્કા ન ખાવા પડે તે માટે ગામમાં જ…
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ચોમાસાના આગમન પહેલા ગરમીનો આ છેલ્લો તબક્કો છે, ત્યારે પંજાબથી પાકિસ્તાન થઈને ગુજરાત નજીકના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રફ સર્જાતા અને તા. ૨૮ મેના રોજ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે તેના લીધે તા ૩૦, ૩૧ મે અને તા ૧ જૂન એમ ત્રણ દિવસ રાજ્યમાં આંધી અને ગાજવીજ સાથે માવઠુ પડવાની આગાહી કરવામાં આવી છે.રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ આજે બુધવારથી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારો અનુભવાશે. જ્યારે તા ૩૦ મેથી તા ૧ જૂન સુધી ઉત્તર ગુજરાત અને છેલ્લે સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, ભાવનગર સહિત…
અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપીએ ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું(એજન્સી)અમદાવાદ, અમદાવાદ નેહરુનગર વિસ્તારમાં બુધવારે જમીનના વિવાદને પગલે એક નિવૃત્ત ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. બે જૂથો વચ્ચે ચાલી રહેલા જમીન સંબંધી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ ઘટના ઘટી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિવાદિત જમીન પર બંને પક્ષોના આશરે પાંચથી છ લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે ત્યાં હાજર નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણે પોતાની પિસ્તોલ કાઢીને…
પતિ થોડા દિવસો પહેલા જ દરિયાઈ સફર ખેડીને ઘરે પરત ફર્યા હતા-કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.(એજન્સી)વલસાડ, ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં આઘાતજનક ઘટના બની છે. એક જ પરિવારના જુડવા બાળકો અને એક બાળકી મળીને કુલ ત્રણ બાળકોના મોત નીપજ્યા છે.તો તેમની માતાએ પણ શંકાસ્પદ પ્રવાહી પી લીધું હોવાનું સામે આવ્યું છે. હાલ માતા સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા જ ભીલાડ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, માતાએ જ બાળકોને ભોજનમાં કાંઈક નાંખીને મારી નાંખ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ મંગળવારે (૨૬મી મે)…
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ કિલોએ રૂપિયા બેનો વધારો કરાતા અમદાવાદમાં સીએનજીનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા ૮૮.૦૨ પહોંચતા રિક્ષાચાલકોએ વિરોધ કર્યો છે.CNGના ભાવમાં છેલ્લા બે મહિનામાં રૂપિયા ૬નો વધારો થયો છે. સીએનજીના ભાવ વધારાની સૌથી વધુ અસર રિક્ષાચાલકો પર જોવા મળી રહી છે. કારણ કે રિક્ષા ચાલકોએ છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં વધારો કર્યો નથી જ્યારે બીજી તરફ સીએનજીના ભાવમાં સતત વધારો થતા હવે રિક્ષાચાલકો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.પેટ્રોલ- ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ વધારો થતાં હવે જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓમાં વધારો થશે. અમદાવાદમાં તમામ રિક્ષાઓ સીએનજી સંચાલિત છે. એટલે રિક્ષાચાલકોની ચિંતા વધી ગઈ છે.ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં…
