31 મે – વિશ્વ તમાકુ નિષેધ દિવસ –ગુજરાતમાં વર્ષ2025-26માં “ટોબેકો સિસેશન સેન્ટર્સ’” (Tobacco Cessation Centre)દ્વારા ૦૨ લાખથી વધુ તમાકુ સેવન કરનારનું કાઉન્સિલિંગ કરાયું•વ્યસની મિત્રોથી દુર રહેવું –•પાન-પાર્લરનો રસ્તો બદલી નાખવો-•તલપ લાગે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું સમગ્ર રાજ્યમાં એન્ફૉર્સમેન્ટ સ્કવોડની ૧૦ હજારથી વધુ સરપ્રાઈઝ વિઝિટના પગલે શાળાઓમાં તમાકુ-સેવનમાં ઘટાડોમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના દિશાદર્શનમાં ‘ટૉબેકો ફ્રી ગુજરાત’ના સઘન પ્રયાસોગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટોબેકો સિસેશન સેન્ટર્સ’ ના માધ્યમથી ૦૨ લાખથી વધુ તમાકુ સેવન કરનારા નાગરિકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે,તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ યાદી અનુસાર આરોગ્ય વિભાગે ગુજરાતમાંCOTPA – Cigarettes and Other…
Author: gujarat
રાસાયણિક ખાતરો,જંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન અને માનવ સ્વાસ્થ્ય પર મોટું જોખમ: કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું:- કૃષિ મંત્રીશ્રીપ્રાકૃતિક કૃષિને વેગ આપવા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને મંડળીઓમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે:- કૃષિ મંત્રીશ્રીઅમદાવાદ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામથી રાજ્યવ્યાપી “ખેત બચાવો અભિયાન”ની શરૂઆત કરાવી હતી. આ અભિયાન સમગ્ર રાજ્યમાં ૧ જૂનથી ૩૦ જૂન,૨૦૨૬ દરમિયાન યોજાશે. આ યોજના અંતર્ગત રાજ્યભરના કૃષિ વૈજ્ઞાનિકો,કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગામે-ગામ જઈને ખેડૂતોને ‘ખેત બચાવો અભિયાન’ વિશે વિગતવાર માહિતગાર કરશે.કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે,ખેતી એ આપણા પૂર્વજોનો…
લગ્નના ડરથી ઘર છોડનારી આશા માટે મદદરૂપ બની સોલા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમસરહદો ઓળંગીને આવેલી આશાના કાઉન્સેલિંગ બાદ તેનું પુનઃસ્થાપન થયું અને તેને નવજીવન મળ્યુંઅમદાવાદની સખી વન સ્ટોપ સેન્ટર, સોલા ટીમ સામે તાજેતરમાં જ એક અત્યંત સંવેદનશીલ અને પડકારજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો. માર્ચ 2026ના એક શાંત દિવસે, સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા એક 19 વર્ષની અજાણી યુવતીને આશ્રય અને સુરક્ષા માટે ‘સખી વન સ્ટોપ સેન્ટર‘ માં લાવવામાં આવી. યુવતી અત્યંત ડરેલી, મૂંઝવણમાં અને માનસિક આઘાતમાં હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જ જણાતું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે તેનું નામ આશા છે (નામ બદલેલું છે.).શરૂઆતના તબક્કામાં જ્યારે કેન્દ્રના કાઉન્સેલરો દ્વારા આશા…
RBI આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરશે, ખાતાના ટ્રાન્ઝેક્શનને જોખમના આધારે વર્ગીકૃત કરવામાં આવશેઅમદાવાદ, ગુજરાતના નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં ન જાય અને સાયબર ક્રાઇમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી છે. આ વ્યાપક કામગીરીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીના દિશાનિદર્શન અનુસાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં…
ગુજરાત કેડરના નિવૃત આઈ.એ.એસ. અધિકારી નરોત્તમ સાહુને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના તા.૩૧/૦૫/ ૨૦૧૯ના હુકમથી એ વિભાગ હસ્તકની ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ), ગાંધીનગરના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.એ નિમણૂક અજમાયશી ધોરણે અને બે વર્ષની હતી! એ વાતને ૭ વર્ષ પૂરા થઈ ગયા છે તેમ છતાં સાહુ એ સ્થાન પર ચીટકીને બેઠા છે અને સચિવાલયમાં થતી ચર્ચા જો સાચી માનીએ તો એવું કહેવાય છે કે(૧)ઃ-ગુજકોસ્?ટનાં વર્તમાન સલાહકાર અને મેમ્?બર સેક્રેટરી નરોત્તમ સાહુ સામે બે તપાસ વિજ્ઞાન અને ટેક્?નોલોજી વિભાગ કક્ષાએ પડતર છે અને (૨)ઃ- શ્રી જી. એન. કાકડીયા, ડાયરેક્?ટર, સુરત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં નરોત્તમ સાહુ વિરુધ્ધ કેસ…
૭૨૨ કિલો ગૌ-માંસ સહિત રૂ.૧.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગૌવંશ કતલના મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી ૭૨૨ કિલો ગૌ-માંસ સહિત કુલ રૂ.૧,૯૫,૦૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ૩૦ મેના રોજ ગોધરા શહેરના ચીખલી રોડ પર આવેલ મોડર્ન સ્ટીલ ફર્નિચરની પાછળના ખંડેર મકાન નજીક ઝાડીઓમાં ગૌવંશનું ગેરકાયદેસર કટીંગ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન પાંચ બળદોની કતલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી ૭૨૨ કિલો ગૌ-માંસ…
મે મહિનામાં ૧૪૯૭ કિગ્રા અને ૧૫૩૯ લીટરનો બિનઅરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ એક્ટ-૨૦૦૬ અન્વયે શહેરમાં અલગ-અલગ ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધરીને અખાદ્ય સામગ્રીનો નાશ, દંડનીય વસૂલાત અને દુકાનો સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે મે મહિનામાં વિવિધ એકમોની તપાસ કરતાં ૧૪૯૭ કિગ્રા અને ૧૫૩૯ લીટરનો બિનઅરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે.આ સાથે જ પાણીપુરીની લારીઓના ૭ નમૂનામાં ફુડ ગ્રેડ કલર મળતાં તેને જપ્ત કરવામાં આવી છે. જ્યારે…
અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર(એજન્સી)ગાંધીનગર, ગુજરાતભરમાં રવિવારે અધિક (પુરુષોત્તમ) માસની પવિત્ર પૂર્ણિમાના અવસરે આધ્યાÂત્મક અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે લાખો માઇભક્તો અને શ્રદ્ધાળુઓનું ભવ્ય ઘોડાપૂર ઉમટ્યું છે.વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, શણગાર અને મનોરથના આયોજન સાથે સમગ્ર વાતાવરણ જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અધિક માસ જેઠ મહિનાની પવિત્ર પૂનમના દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મા અંબાના દર્શનનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓની કિલોમીટરો લાંબી લાઈનો લાગી હતી.અંબાજી મંદિર પરિસરમાં બોલ મારી અંબે, જય જય અંબેના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા…
વૈભવે IPLના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી શાનદાર વ્યક્તિગત પ્રદર્શન કર્યું છે. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવીને ‘ઓરેન્જ કેપ’ મેળવી હતી, જેમાં તેણે આશ્ચર્યજનક રીતે કુલ ૭૭૬ રન ફટકાર્યા હતા.અમદાવાદ, રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવીને સતત બીજી વખત આઈપીએલ (IPL) ટાઇટલ પોતાના નામે કરીને ઇતિહાસમાં નામ નોંધાવ્યું છે.જો કે, મેચ પછી યોજાયેલા પ્રેઝન્ટેશન સેરેમનીમાં રાજસ્થાન રોયલ્સના યુવા સનસનાટીભર્યા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ આખી મહેફિલ લૂંટી લીધી હતી. તેણે આ અવિસ્મરણીય સીઝન બાદ આઈપીએલ ૨૦૨૬ના મોટાભાગના વ્યક્તિગત એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.આ ૧૫ વર્ષના અદભુત પ્રતિભાશાળી ખેલાડીએ આઈપીએલના ઇતિહાસમાં અત્યાર…
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યુ. આ રેડિયો કાર્યક્રમનો ૧૩૪મો એપિસોડ છે. આ પહેલા ૧૩૩મો એપિસોડ ૨૭ એપ્રિલે પ્રસારિત થયો હતો.જેમાં વડાપ્રધાન મોદીએ નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાના એક અનોખા ડિજિટલ ડેટાબેસ પર પ્રકાશ પાડ્યો હતો. આ ડેટાબેસ ખાસ અભિલેખ પટલ પોર્ટલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી ભારતના ઇતિહાસ સાથે જોડાયેલા ૨૦ કરોડથી વધુ કિંમતી દસ્તાવેજો સુધી પહોંચ મળી શકે છે.આજે મન કી બાતના ૧૩૪મા એપિસોડમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા જ ઝારખંડના રાંચીમાં નેશનલ સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન કોમ્પિટિશન યોજાઈ હતી. તેમાં લગભગ ૮૦૦…
