Author: gujarat
૭૦૩ કિલો જથ્થાનો નાશ કરી ૨.૮૩ લાખનો દંડ કરાયોએનાલોગ પનીરનો ઉપયોગ કરાયો હોય તો હોટલ-રેસ્ટોરન્ટના નોટીસ બોર્ડ ઉપર તેની ગ્રાહકોને જાણકારી આપવી ફરજીયાત ગાંધીનગર, રાજ્યમાં ડેરી પનીરના નામે હોટલ-રેસ્ટોરન્ટ સહિત કેટલાક ખાદ્ય એકમો દ્વારા એનાલોગ પનીરની ખાદ્ય ચીજ વસ્તુ ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે તેની સામે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ ચલાવી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ ઉપર જ કુલ ૭૦૩ કિલો જથ્થાનો નાશ કરી દેવાયો હતો. તે સાથે કુલ ૨.૮૩ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો. એનાલોગ પનીરનો ઉપયોગ કરાયો હોય તો હોટલ-રેસ્ટોરન્ટના નોટીસ બોર્ડ ઉપર તેની ગ્રાહકોને જાણકારી આપવી ફરજીયાત છે. તેમ છતાં હજુ અનેક ખાદ્ય એકમો તેનું…
ટેન્ડર બહાર પાડવામાં ઘોર બેદરકારીની ચર્ચાકોન્ટ્રાક્ટ લેનારી એજન્સી પાસે જ ટ્રેઈન્ડ સ્ટાફ નથી!અમદાવાદ, મ્યુનિ.ના સ્નાનાગાર વિભાગમાં જરૂરી પુરૂષ અને મહિલા કોચની ભરતી કરવાને બદલે આઉટસો‹સગ કરવા માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દીધા પછી પણ ખાનગી એજન્સી મ્યુનિ.ની જરૂરિયાત પ્રમાણેના કોચ પૂરા પાડી શકી નથી તેમ છતાં તેની સામે બ્લેકલિસ્ટ સહિતના કડક પગલા લેવાને બદલે રાજ્યાશ્રય આપવામાં આવી રહ્યો હોવાનુ મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.સ્નાનાગાર વિભાગ સાવ નાનો અલગ વિભાગ હોવા છતાં તેમાં પણ યેનકેન પ્રકારે ગોટાળા આચરવામાં આવે છે.એટલુ જ નહીં સ્નાનાગાર વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટથી કર્મચારી રાખ્યા પછી પણ સ્ટાફની અછત હોવાથી ખાનગી એજન્સી…
અમદાવાદ ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખતી હાઇકોર્ટફેમિલી કોર્ટ દ્વારા કોઈ અનિયમિતતા કરવામાં આવી નથી અને રિવિઝનલ અધિકારક્ષેત્રમાં દખલગીરી માટે કોઈ કેસ બનાવવામાં આવતો નથી ઃ હાઈકોર્ટઅમદાવાદ, પત્નીને ભરણપોષણ ન આપવા બદલ પતિને ૬૬૦ દિવસની જેલની સજા અમદાવાદ ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવી હતી. જેને હાઈકોર્ટે પણ યથાવત્ રાખી છે. એક પતિને તેની પત્ની અને બે બાળકોને ભરણપોષણ પેટે ૩.૯૭ લાખ ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ ૬૬૦ દિવસની જેલની સજા ફટકારવાના ફેમિલી કોર્ટના આદેશને હાઇકોર્ટે માન્ય રાખ્યો છે.આ મામલે પતિ દ્વારા ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. જે અરજી હાઇકોર્ટના જસ્ટિસ એચ.ડી. સુથારે રદ કરી છે. હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે ફેમિલી…
પિતાની નિર્મમ હત્યા કરનાર આરોપી પુત્ર પ્રવીણની પોલીસે ધરપકડ કરી કાયદેસરની તપાસ શરૂ કરીમાળિયા મિયાણા પાસે પુત્રએ કુહાડીના ઘા ઝીંકી વૃદ્ધ પિતાની હત્યા કરીમોરબી, મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકામાં કામ-ધંધા બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા, ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના જ વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.મોટાભેલા ગામે રહેતા ૮૫ વર્ષીય જીવણભાઈ સોમાણીએ તેમના પુત્ર પ્રવીણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીને કોઈ કામ-ધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના આ ઠપકાથી પુત્રને માઠું લાગતા તેણે પિતા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.આ ઝઘડાએ…
NARIT એ ડેટા એનાલિસિસ પ્લેટફોર્મ છે જે AI અને ML પર કામ કરે છે. તે લાખોની સંખ્યામાં રહેલા કોલ ડિટેલ્સ (CDR), લોકેશન ડેટા અને ગુનેગારોના ઇતિહાસને સેકન્ડોમાં સ્કેન કરી શકે છે.લાખોની સંખ્યામાં રહેલા કોલ ડિટેલ્સ (CDR), લોકેશન ડેટા અને ગુનેગારોના ઇતિહાસને સેકન્ડોમાં સ્કેન કરી શકે છે.ગાંધીનગર: ગુજરાત પોલીસ હવે હાઈટેક બની છે. રાજ્યમાં ગુનાખોરી ડામવા અને જટિલ કેસોના ઝડપી ઉકેલ માટે ગુજરાત પોલીસ દ્વારા ‘NARIT’ (નેટવર્ક એનાલિસિસ એન્ડ રિયલ-ટાઇમ ઇન્ફોર્મેશન ટૂલ) કાર્યરત કરવામાં આવ્યું છે. આ AI આધારિત સોફ્ટવેર પોલીસને ગુનેગારોના નેટવર્કને તોડવામાં અને ડેટા એનાલિસિસમાં અભૂતપૂર્વ મદદ કરશે. આ પહેલનો હેતું નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં…
ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ હેઠળ ટ્રાયલ ચલાવવા આદેશ: લાલચ આપી ૧૦૦ હિન્દુઓનું ધર્માંતરણ કરાવ્યાનો આરોપ(એજન્સી) અમદાવાદ, નર્મદા જિલ્લાના આમોદ તાલુકામાં અંદાજે ૩૭ આદિવાસી પરિવારોના ૧૦૦ જેટલા હિન્દુઓને કથિત રીતે લાલચ આપી ઈસ્લામમાં ધર્માંતરણ કરાવવાના ગંભીર આરોપમાં સંડોવાયેલા બે મૌલવીઓને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ગીતા ગોપીની ખંડપીઠે કોઈપણ રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.હાઈકોર્ટની ખંડપીઠે આ મામલે જણાવ્યું હતું કે, રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો જોતા આરોપીઓ સામે પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે તેથી તેમને આ તબકકે નિર્દોષ જાહેર કરી શકાય નહી. હાઈકોર્ટે આ કેસના આરોપી મૌલવીઓની ડિસ્ચાર્જ અરજીને નામંજૂર કરતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે.આરોપી મૌલવીઓ સરફરાઝ…
બે મહિનાથી પાણી માટે તરસતા ગ્રામજનો, વાસ્મોની લાઈનમાં ૧૦૦થી વધુ લીકેજનો આક્ષેપદહેગામ, દહેગામ તાલુકાના કાલીપુરા તાબે સાપા ગામમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. એક બાજુ ચૂંટણીના બ્યુગલ ફુંકાઈ ચૂકયા છે ત્યારે બીજી બાજુ ગામના લોકો પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે,જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષ સર્જાયો છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરશે.ગામના લોકોએ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત દહેગામ તથા મામલતદાર કચેરીને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ‘જળ જીવન…
કલોલ પંચાયત અને પાંચ સરપંચ તેમજ સભ્યનો પ્રદેશ પ્રમુખને પત્રગાંધીનગર, ગાંધીનગર જિલ્લા પંચાયતની પલિયડ બેઠક ઉપર મુળ કોંગ્રેસના આયાતી ઉમેદવાર પટેલ નીતિનભાઈ નારણદાસ સામે ભાજપમાં વિરોધનો વંટોળ ફૂકાયો છે.કલોલ તાલુકા પંચાયત અને પ ગામના સરપંચ તેમજ સભ્ય સહિત સેંકડો કાર્યકરો દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ મોવડીઓને પત્ર લખી આયાતી ઉમેદવારોની પસંદગી સામે વિરોધ ઉઠાવી નારાજગી વ્યકત કરી છે. જો પાયાના કાર્યકરોની લાગણીનો અનાદર કરવામાં આવશે તો પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થશે તેવી પણ ચીમકી પણ આપવામાં આવી છે.કલોલ તાલુકા પંચાયતના સભ્ય કનુજી ચાવડા, ગોવિંદપુરા (વેડા), ખોરજ ડાભી, વેડા ગામ, મોખાસણ ગામ અને નવા ગામ સહિત અન્ય ગામના સરપંચો અને સભ્યોએ પ્રદેશ ભાજપ…
અમદાવાદ: અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડનારા એકમો સામેના કડક અભિયાન હેઠળ, ગોતા ચાર રસ્તા પાસે આવેલા એક ટી સ્ટોલ પાસેથી રૂ. 1,00,000 (એક લાખ) નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, ગોતા ચાર રસ્તા પાસે કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ લાખોના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ જાહેર મિલકતની પરવા કર્યા વગર ‘બજરંગ ટી સ્ટોલ’ નામના એકમ દ્વારા રોડના ભાગને તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે આ બાબત સત્તાવાળાઓના ધ્યાને આવી, ત્યારે સોલિડ વેસ્ટ વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી…
