Author: gujarat

હિંમતનગર, પોશીના પોલીસે બાતમી આધારે ત્રણ જણાને ૨.૬૬ લાખની કિંમતના પાંચ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બાઇક, ગાંજો અને મોબાઇલ મળી કુલ ૩.૦૨ લાખનો મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ, પોશીના પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એન. સાધુ સ્ટાફના માણસો સાથે પોશીના પોલીસ સ્ટેશન આગળ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બાઇક ઉપર બે ઇસમો પોશીના બજાર તરફથી આવી રહ્યા હતા. જે શંકાસ્પદ લાગતાં તેમને રોકાવી તપાસ કરતાં તેમની પાસે રહેલા બે થેલાઓમાં શકમંદ વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો હતો. પોલીસે રૂ.૨,૬૬,૪૦૦ની કિંમતનો ૫.૩૨૮ કિ.ગ્રા. સુકો ગાંજો જપ્ત કરી બાઇક પર રહેલા બંનેને ઝડપી લીધા હતા.પોલીસે ગાંજો,…

Read More

નડિયાદ, વસો તાલુકાના પીજ ગામની સિમમાં આવેલા ‘અલખનો ઓટલો’ નામના આશ્રમમાં સેવાપૂજા કરતા ૫૦ વર્ષીય સાધ્વી ગંગાબેન ઉર્ફે બુધગીરી કુંજગીરી ગોસ્વામી સાથે રૂપિયા ૨૧,૪૪,૦૦૦ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વસો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.વસો તાલુકાના પીજ ગામની સિમમાં આવેલા ‘અલખનો ઓટલો’ નામના આશ્રમમાં સેવાપૂજા કરતા ૫૦ વર્ષીય સાધ્વી ગંગાબેન ઉર્ફે બુધગીરી કુંજગીરી ગોસ્વામી નો મોબાઇલ નંબર આજથી ચાર માસ અગાઉ પરિચિત ઈશ્વરભાઈ ગોસ્વામીએ ધોળકાના શ્રીરામ સોસાયટીમાં રહેતા ભરત ભવાન ભરવાડને નડિયાદમાં મકાન ભાડે રાખવાનું હોવાથી આપ્યો હતો ત્યાર બાદ ભરત ભરવાડ, કૃપાલ પ્રવિણ ગોહીલ (રહે. જીવન નગર-૩, રૈયા રોડ, રાજકોટ) અને ભરત યોગેન્દ્ર ભારતી ગંગાબેનના આશ્રમે આવ્યા હતા.મકાન પસંદ ન પડતા…

Read More

અમદાવાદ, અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી અસામાજિક તત્ત્વોએ માથું ઊંચકતા પોલીસે આતંક મચાવનારા છ આરોપીમાંથી ચારને કાયદાનું ભાન કરાવ્યું છે. શનિવારની મોડી રાત્રે ચારથી વધુ વ્યક્તિઓ હાથમાં તલવાર સહિત અન્ય ઘાતક હથિયારો લઈને અંગત અદાવતમાં એક પ્રૌઢ વિધવા મહિલાના ઘરની બહાર ઊભા રહ્યા હતા.તેમણે મહિલાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી, તીક્ષ્ણ હથિયારોના ઘા ઘરની દીવાલ તથા રસ્તા પર મારીને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વટવા પોલીસે અનેક ગુના આચરી ચૂકેલા આદિલ ઇસરાર શેખ, ફારુક કરીમભાઈ ગરદન, મોઈન લંગડો તથા હુસૈન ઉર્ફે ભૈયાની ધરપકડ કરી છે અને ફરાર અન્ય બે અજાણ્યા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.વટવાના…

Read More

અમદાવાદ, વિદેશ જવાના ઈચ્છુક યુવાનોને ટાર્ગેટ બનાવી વિઝા અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી મહેશ ઉર્ફે એમ.પી. કનૈયાલાલ પ્રજાપતિની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે ગંભીર પ્રકારના આર્થિક ગુનામાં આરોપીની સંડોવણી છે, આરોપીએ ભોગ બનનારના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી ગંભીર ગુનો આચર્યાે છે. તપાસ હજુ ચાલુ હોવાથી અને આરોપીની ગુનાહિત પૃષ્ઠભૂમિ જોતા આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.આરોપી મહેશે ફરિયાદી અને તેના મિત્રોને ઓછા ખર્ચે યુરોપ અને કેનેડાના વર્ક વિઝા કરાવી આપવાની લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે તેણે એવી લોભામણી વાતો…

Read More

અમદાવાદ, અમદાવાદની સ્પેશિયલ જીપીઆઈડી કોર્ટે રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના ગંભીર આરોપોમાં એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને ખાસ જજ કે.એમ. સોજીત્રાએ આ કેસના આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ ભાવસારને તેમના વિરુદ્ધ કોઈ પણ નક્કર પુરાવા ન મળતા તમામ આરોપોમાંથી ડિસ્ચાર્જ (મુક્ત) કર્યા છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, શંકાસ્પદ પુરાવાઓના જોરે ટ્રાયલ ચલાવવી અયોગ્ય છે, શૈલેષભાઈ ભાવસાર વિરુદ્ધ જીપીઆઈડી એક્ટની કલમ ૩, આઈ.ટી. એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) તેમજ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કોઈ કેસ બનતો નથી.આથી, કોર્ટે તેમને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો છે. સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મુખ્ય આરોપી દીપેન ભાવસાર અને…

Read More

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોને વધુ સારી અને કિફાયતી સુવિધા આપવાના હેતુથી અમદાવાદ અને પટણા વચ્ચે ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનને હવે નિયમિત કરી ‘અમૃત ભારત એક્સપ્રેસ’ (Amrut Bharat Express) તરીકે સંચાલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અમદાવાદ મંડળથી ઉપડનારી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ હશે, જે ગુજરાત અને બિહાર વચ્ચેના રેલ જોડાણને નવી ઊંચાઈ પર લઈ જશે.રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, આ ટ્રેન સાપ્તાહિક ધોરણે નીચે મુજબના સમયપત્રક સાથે દોડશે:આ ટ્રેન તેના લાંબા પ્રવાસ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મહત્વના શહેરોને જોડશે. માર્ગમાં આ ટ્રેન આણંદ,…

Read More

સરકારી હાઈસ્કૂલ બંધ થયાને વર્ષો થઈ ગયા પણ તેના વિશાળ કમ્પાઉન્ડ ધરાવતા તોતિંગ મકાનનુ શું કરવું એ અંગે હજુ સુધી કોઈ નિર્ણય સરકાર લઈ શકી નથી.ગાંધીનગર, ગુજરાત સરકારની શિક્ષણનિતિની એ બલિહારી છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક પણ સરકારી હાઈસ્કૂલ અસ્તિત્વ નથી ધરાવતી.જરાય સાચુ માનવાનું મન ન થાય એવી એક વાત તો એ છે કે સરકારના એક પ્રીતિપાત્ર આઈ.એ.એસ.અધિકારીની પત્નીની સ્કૂલ વધુ સારી રીતે ચાલે અને એ સંસ્થાને સંખ્યા મળી રહે એ માટે ગાંધીનગરની તમામ હાઈસ્કૂલ બંધ કરી દેવામાં આવી છે!એ ઉપરાંત વધુ કમનસીબી શરમજનક વાત તો એવી છે કે બંધ કરેલી હાઈસ્કૂલના સુવિધાયુકત અને તોતિંગ મકાનોનું શું કરવું તે…

Read More

તેમની સાદગીની ચર્ચા ત્યારે વધુ તેજ થઈ જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યાના બીજા જ દિવસે તેઓ નિયમિત કામે વળગી ગયા હતા. અમદાવાદ, અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં અનેક નવા અને આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ રાજકીય પક્ષો સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા સ્ટાર્સને મેદાનમાં ઉતારી રહ્યા છે, ત્યાં બીજી તરફ અમદાવાદના શાહપુર વોર્ડમાં કોંગ્રેસે એક સામાન્ય શ્રમજીવી મહિલાને ટિકિટ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.રવિવારી ગુજરી બજારમાં પાથરણું પાથરીને રોજીરોટી કમાતા આશાબહેન દંતાણીને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આશાબહેન દંતાણી છેલ્લા ૨૦ વર્ષથી સાબરમતી નદીના કિનારે ભરાતી પ્રસિદ્ધ ગુજરી બજારમાં જૂની-નવી વસ્તુઓ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની…

Read More

ઉત્તર ગુજરાત અરવલ્લી વન સંપદા અને પર્યાવરણ ગ્રુપ દ્વારા માઉન્ટ આબુ ખાતે પર્યાવરણ, પ્રકૃતિ અને વનસ્પતિ પરિચય શિબિરનું આયોજન કરવામાં આવ્યુંપાલનપુર, તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૬, ડીસાના પ્રસિદ્ધ વૈદ્ય શ્રી જીતુભાઈ પટેલ તથા તેમના ૧૦ જેટલા પ્રકૃતિ પ્રેમી સાથીઓના સહયોગથી ઉત્તર ગુજરાત અરવલ્લી વનસંપદા અને પર્યાવરણ ગ્રુપ દ્વારા “ચાલો પર્વતોની અનમોલ સૃષ્ટિને ઓળખીએ” એવા પ્રેરક સૂત્રને સાર્થક કરતી બે દિવસીય પર્યાવરણ, પ્રકૃતિ અને વનસ્પતિ પરિચય શિબિર તાજેતરમાં માઉન્ટ આબુ ખાતે તા. ૪ અને ૫ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાઈ ગઈ હતી.રાજ્યભરમાંથી વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા આશરે ૭૦ જેટલા પ્રકૃતિપ્રેમીઓએ આ શિબિરમાં હોંશભેર ભાગ લીધો હતો. અરવલ્લી પર્વતમાળાને ધ્યાનમાં રાખીને આ સ્થળને વિશેષ…

Read More

રાજ્યમાં સેમિકન્ડક્ટર-ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો-EV-રોબોટિક્સ અને સંબંધિત સપ્લાય ચેઈનથી પ્રોડક્શન ઈકોસિસ્ટમ સંગીન બનાવતું વધુ એક મહત્વપૂર્ણ કદમસેમિકન્ડક્ટર હબ બનવાની ગુજરાતની યાત્રાને વેગ મળશે -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ તથા એલિજિયન્સ ઈન્ટરનેશનલ કંપની વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ. સંપન્નભારત-ગુજરાત અને તાઈવાનના સાહસો વચ્ચે વ્યાપારિક સહયોગ મજબૂત બનાવીને રૂ. 1000 કરોડથી વધુનું ડાયરેક્ટ FDI અને અંદાજે 12000 ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનો લક્ષ્યાંકઅમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ઈન્ડીયા સેમિકન્ડક્ટર મિશનના ઉદ્દેશો સાથે સંકલિત રહિને ગુજરાતને સેમિકન્ડક્ટર હબ બનાવવાની યાત્રાને વેગ આપતું મહત્વપૂર્ણ કદમ રાજ્ય સરકારે ભર્યુ છે.ગુજરાત સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ચોઈસ ઓફ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યું છે અને હાલ રાજ્યમાં 1.24 લાખ…

Read More