Author: gujarat
હાલોલમાં સરકારી નોકરી અપાવવાના બહાને લાખ્ખોનું કૌભાંડ!
અમદાવાદ, ૩ જૂન અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે હાથ ધરેલા એક મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ચંડોળા અને ગુલાબનગર જેવા વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા ૧૩૧ બાંગ્લાદેશી નાગરિકોની સત્તાવાર ઓળખ કરી છે અને ૨૯૦ થી વધુ શંકાસ્પદોની અટકાયત કરી છે, તેમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.એક મોટા મોડી રાત્રિના સપાટામાં, સત્તાવાળાઓએ અમદાવાદના ચંડોળા, ગુલાબનગર અને ખોડિયારનગર સહિતના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ બાંગ્લાદેશી ઘૂસણખોરોને નિશાન બનાવીને મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે, “૨૯૦ થી વધુ શંકાસ્પદોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યાં તમામ ઝોનમાં શહેરવ્યાપી અમલીકરણ કાર્યવાહીના ભાગરૂપે અધિકારીઓ…
મદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે જેલ કર્મચારીઓ માટે ‘પ્રહરી’ તાલીમ કાર્યક્રમનું આયોજન-રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ગુજરાત જેલ વિભાગના સંયુક્ત ઉપક્રમે જેલકર્મીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા વિષય પર વિશેષ સત્રઅમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે જેલ અને સુધારાત્મક વહીવટી કર્મચારીઓ માટે એક સપ્તાહના વિશેષ તાલીમ કાર્યક્રમ ‘સાયકોલોજિકલ રિસ્ક એસેસમેન્ટ, હેલ્થ અવેરનેસ એન્ડ રેઝિલિયન્સ‘(PRAHARI – પ્રહરી)નો ૨૯ મેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડન્ટ શ્રી ગૌરવ અગ્રવાલ(IPS) દ્વારા કરવામાં આવ્યું હતું.અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડન્ટ શ્રી ગૌરવ અગ્રવાલે ઉપસ્થિત સહભાગીઓને સંબોધિત કરતા જેલ કર્મચારીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગેની સાક્ષરતાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જેલ જેવા સંવેદનશીલ…
આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને શહેરી વિકાસ મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં નર્સિંગ વ્યવસાયિકો માટે સંવાદ કૌશલ્ય પર વિશેષ સત્રો યોજાશેઅમદાવાદ, આરોગ્ય ક્ષેત્રે દર્દીઓની સેવા અને સંભાળમાં નર્સિંગ સ્ટાફની ભૂમિકા સર્વોપરી છે. દર્દીઓ, તેમના પરિવારજનો તેમજ સહકર્મચારીઓ સાથે યોગ્ય ભાષા, યોગ્ય શબ્દો અને યોગ્ય વર્તન દ્વારા વિશ્વાસપૂર્ણ સંબંધ સ્થાપિત કરી શકાય તેવા ઉમદા હેતુથી ૦૩ જૂનના રોજ બપોરે ૨:૩૦ કલાકે અસ્મિતા ભવન, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એક વિશેષ ‘આત્મ બોધ ચિંતન શિબિર‘નું આયોજન કરવામાં આવ્યું છે. “વાણીમાં મીઠાસ – સેવામાં માનવતા” ના મુખ્ય સૂત્ર સાથે યોજાનારા આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને શહેરી વિકાસ મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા તથા રાજ્યના…
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા આયોજિત “સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન-2026”નો મંગળવારે સવારે ઉમંગ અને ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.સવારે 7:00થી 9:00 વાગ્યા દરમિયાન યોજાયેલા આ વિશાળ સ્વચ્છતા અભિયાનના પ્રથમ જ દિવસે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 7,500થી વધુ નાગરિકો જોડાયા હતા અને સાબરમતી નદીના પટ વિસ્તારમાંથી અંદાજે 68 ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો.અભિયાનના પ્રારંભ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તેમજ અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ) દર્શનાબેન વાઘેલા, અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન…
મુંબઈ અને ગુજરાતમાં એકસાથે ૨૦ સ્થળોએ દરોડાથી અંડરવર્લ્ડમાં ફફડાટદાઉદના ખાસ સલીમનું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક ગુજરાતમાં સક્રિયતાજેતરમાં જ એપ્રિલની 28 તારીખે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ‘ઓપરેશન ગ્લોબલ-હન્ટ’ (Operation Global-Hunt) અંતર્ગત તુર્કીમાંથી વોન્ટેડ ડ્રગ સ્મગલર મહોમ્મદ સલીમ ડોલાને ભારત પરત લાવવામાં મોટી સફળતા મેળવી છે.મુંબઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મુંબઈ ઝોનલ ઓફિસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઈસ્માઈલ ડોલાના નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી છે.ED Raids 20 Locations in Gujarat, Maharashtra in PMLA Case Against Drug Trafficker Salim Dolaઈડી ની ટીમે મુંબઈ તેમજ ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત ૨૦ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે.…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સોમવારે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તીવ્ર ગતિએ ફૂંકાયેલા ભારે પવનથી ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.આ મિની વાવાઝોડાના કારણે શહેરના તમામ ઝોનમાં માર્ગો પર મોટા વૃક્ષો અને ભારે ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી છે. સત્તાવાર માહિતી અનુસાર, સમગ્ર શહેરમાં કુલ 30 જેટલા નાના-મોટા વૃક્ષો ઉખડી ગયા છે, જ્યારે 16 સ્થળોએ મોટી ડાળીઓ તૂટીને રસ્તા પર પડી ગઈ છે.ભારે પવનની સૌથી વધુ અસર પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં જોવા મળી હતી. પશ્ચિમ ઝોનમાં વાસણા, પાલડી, નવરંગપુરા, સાબરમતી, સ્ટેડિયમ…
કેન્દ્ર સરકારની કાર્યવાહી-‘ઓન-સ્ક્રીન ર્માકિંગ’ સેવાઓની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચનાIAS અધિકારી લોખંડે પ્રશાંત સીતારામ બોર્ડના નવા ચેરપર્સન નિયુક્ત-વરૂણ ભારદ્વાજને સચિવની જવાબદારી સોપવામાં આવીનવી દિલ્હી, દેશની સૌથી મોટી સ્કૂલ પરીક્ષા સંસ્થા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની આંતરિક વ્યવસ્થા અને હાલમાં ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે.પરીક્ષાઓના મેનેજમેન્ટ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં આવી રહેલી ટેકનિકલ તેમજ વ્યવહારિક ખામીઓ અંગે જવાબદારી નક્કી કરવા માટે સરકારે CBSEના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે.અધ્યક્ષ અને સચિવને પદ પરથી હટાવવાની સાથે જ સરકારે CBSE દ્વારા ‘ઓન-સ્ક્રીન ર્માકિંગ’ સેવાઓની ખરીદી અને…
