માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ઘટીને ₹6 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં (Q4 FY25) ₹146.48 કરોડ હતો. મુંબઈ, 15 એપ્રિલ: ઇન્ડસ્ટ્રિયલ ગિયરબોક્સ અને મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ (MHE) ક્ષેત્રની અગ્રણી કંપની એલેકોન એન્જિનિયરિંગ કંપની લિમિટેડે બુધવારે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટર (Q4) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના ચોખ્ખા નફામાં 96 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જે મુખ્યત્વે આ સમયગાળા દરમિયાન થયેલા અસાધારણ નુકસાન (Exceptional Loss) ને કારણે છે.નફા અને આવકમાં ઘટાડો: સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ઘટીને ₹6 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં (Q4 FY25) ₹146.48 કરોડ હતો. નફામાં આ…
Author: gujarat
ગુજરાત રાજ્યમાં યોગનો વ્યાપ વધારવા અને યોગ શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કચેરી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી અને લકુલિશ યોગ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી મુકેશભાઇ શાહ ની વિષેશ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU)કરવામાં આવ્યા છે.આ પ્રસંગે લકુલિશ યોગ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી વિવેક મહેશ્વરી,લાઇફ મિશન સંસ્થાના સેક્રેટરી શ્રી એ.ડી. ગોહિલ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારીશ્રી ડૉ. મૃણાલદેવી ગોહિલ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઇ ત્રિવેદી તેમજ લકુલિશ યોગ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી શિવમભાઇ ત્રિપાઠી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કરાર અંતર્ગત બંને સંસ્થાઓ આગામી સમયમાં યોગના ક્ષેત્રમાં પરસ્પર…
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી – પાંચમો પદવીદાન સમારોહØયુવા શક્તિ જ દેશના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યનો આધારØડિજિટલ યુગમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી અનેકગણી વધી છેØસુરક્ષા માત્ર ભૌગોલિક સીમાઓ કે પરંપરાગત હથિયારો પૂરતી સીમિત નથી,પરંતુ સાયબર સુરક્ષા,ડેટા સુરક્ષા અને કૂટનીતિ એ પરંપરાગત શક્તિ જેટલા જ મહત્વપૂર્ણØસાયબર સુરક્ષા એ હવે માત્ર સુરક્ષાનો વિષય નથી પરંતુ તે ડિજિટલ વિશ્વાસનું પણ અભિન્ન અંગØ*યુવા શક્તિ દેશભક્તિના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સુરક્ષાના મિશનમાં જોડાય*Ø*સમર્પણ,તપસ્યા અને બલિદાનની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની પોતાનું કર્તવ્ય પૂર્ણ કરો*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શિક્ષણને વ્યક્તિગત ઉન્નતિ કે વિકાસનું નહીં પણ સમાજ અને રાષ્ટ્ર નિર્માણનો પ્રભાવી આધાર માને છે:મુખ્યમંત્રી શ્રી*રાષ્ટ્રની…
*વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે પણ રાજ્ય સરકાર અનેGGLદ્વારા ઉદ્યોગોને ગેસ સપ્લાય સુનિશ્ચિત કરાયો*અમદાવાદ, ગુજરાત ગેસ લિમિટેડ (GGL)મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના અધિકૃત સપ્લાયર તરીકે કાર્યરત છે. મોરબીના સિરામિક ઉદ્યોગની ગેસની જરૂરિયાતોને પહોંચી વળવા કંપનીએ વર્ષોથી એક અત્યાધુનિક અને વ્યાપક વિતરણ નેટવર્ક ઊભું કર્યું છે.GGLદ્વારા જારી કરાયેલ યાદી મુજબ,ફેબ્રુઆરી-૨૦૨૬ની કટોકટી પૂર્વે મોરબીમાં ૩૭૭ ગ્રાહકોGGLનાPNGનો ઉપયોગ કરી રહ્યા હતા. તેની સરખામણીમાં,લગભગ ૪૧૫ ગ્રાહકોIOCL, BPCLઅનેHPCLજેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા પ્રોપેન પર નિર્ભર હતા. આ ગ્રાહકો દૈનિક અંદાજે ૫.૬MMSCMD (નેચરલ ગેસ સમકક્ષ) ઈંધણનો વપરાશ કરતા હતા,જેનો અર્થ છે કે,કુલ જરૂરિયાતનો આશરે ૭૦% હિસ્સો પ્રોપેન દ્વારા પૂરો થતો હતો.માર્ચ-૨૦૨૬ની શરૂઆતમાંGGLનો સપ્લાય વધ્યો…
ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરતા ચકચાર(પ્રતિનિધિ)ઉમરગામ, ઉમરગામ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ડી.સી. ડી.સી. બ્રાહ્મણકાચ્છ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર મળ્યા છે. આ બનાવને પગલે સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ગત રાત્રે મોડીરાત્રિના સમયે મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છ રેલવે ટ્રેક પર જઈ ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.ઘટના બનતાની સાથે જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાલમાં દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને સરકારી તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં…
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન શ્રી બાબાસાહેબ આંબેડકર જયંતિની ભારતીય જનતા પાર્ટી તેમજ દલિત સમાજ દ્વારાભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારના ૧૦ઃ૦૦ વાગ્યે ભારતીય જનતા પાર્ટી શહેર તાલુકા સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ને પુષ્પ સુમન અર્પણ કર્યા હતા.આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ લુકેશભાઈ સોલંકી, મંત્રી અંબિકા બેન સુથાર, શહેર સંગઠનના પ્રમુખ બ્રિજેશ બારોટ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ પટેલ, મહામંત્રીઓ, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તથા સદસ્યો તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના ઉમેદવારો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાં આવેલ વણકર વાસ ભાભીવાસ વાલ્મિકી વાસ માંથી આ શોભા યાત્રાનો શુભારંભ કરાયો હતો.આ શોભાયાત્રામાં ખેડબ્રહ્મા…
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરમાં વાવડી ફળિયામાં રહેતા અને બકરા ચરાવી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા યુવાન ઉપર મગર હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા પરિવાર ચિંતિત બન્યો હતો.આમોદ નગરમાં આવેલા વાવડી ફળિયામાં રહેતા અશરફ હસન પટેલ ઉ.વ.૨૨ પોતાના ઘરે ૪૦ થી વધુ બકરા રાખી પશુપાલન કરે છે અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે.ગત રોજ ૧૧ કલાકે તેઓ ૪૦ બકરા લઈને શમા હોટલ પાછળ આવેલા ખેતર પાસે બકરા ચરાવતો હતો.ત્યાર બાદ બપોરના ૨ઃ૩૦ વાગ્યાના સમયે નજીક આવેલી તલાવડી પાસે બકરાઓને પાણી પીવડાવવા માટે લઈ ગયો હતો.જ્યાં બકરીના નાના બચ્ચાને પોતાના હાથથી પાણી પીવડાવવા જતાં શાંત પાણીમાં રહેલા મગરે તેના જમણા હાથનો પંજો…
મ્યુનિ. કોર્પાેરેશનના પ્રશ્નો હલ કરવા હોય તો સરદાર પટેલ જેવા વ્યક્તિત્વ વાળા ઉમેદવારોને મ્યુનિ. કોર્પાેરેશનમાં ચૂંટો ?! પક્ષ જોઈને નહીં ?! વ્યક્તિ જોઈ મત આપવાનો સમય શું નથી આવ્યો ?!તસ્વીર નરોડા વોર્ડ પર નવી બનેલી ખારીકટ કેનાલ પાસે આવેલા ચાર રસ્તાની છે ! ત્યાં નરોડા, વ્યાસવાડી આવેલ છે તેની પાસેથી અડીને એક સર્વિસ રોડ આવેલ છે ! આ સર્વિસ રોડ તૈયાર કરી વાહનોના અવર જવર માટે શરૂ નથી કરાતો કારણે કે પ્રજાની ફરિયાદ મુજબ વ્યાસવાડીનું પોતાનું મોટું પા‹કગ નથી તેથી ૫૦% વાહનો ગેરકાયદેસર રીતે બહાર પાર્ક કરાય છે !આ ગેરકાયદેસર વાહનો પાર્ક કરી શકાય તે માટે વ્યાસવાડી પાસેથી પસાર થતો…
સાયબર ઠગે આતંકી કનેકશન હોવાનું કહી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી ૩૩ લાખ પડાવ્યા(એજન્સી)અમદાવાદ, નારણપુરા વિસ્તારમાં વૃદ્ધ શિક્ષીકા અને તેમના પતીને ડીજીટલ એરેસ્ટ કરી સાયબર ઠગો ૩૩ લાખ ચાઉ કરી ગયાની વધુ એક ઘટના અમદાવાદ સાયબર સેલમાં સોમવારે પ્રકાશમાં આવી છે. એટીએસ અધિકારી તરીકે સાયબર ઠગે ઓળખ આપી નિવૃત્ત શિક્ષકોને જણાવ્યું કે, એટીએસએ આતંકીના ફાર્મમાં રેડ કરતા તમારા પતીનું આધારકાર્ડ અને હથીયારો મળ્યા છે.તમે પતી-પત્ની શંકાના દાયરામાં હોવાથી તમારી ધરપકડ કરવી પડશે. આ રીતે ડરાવી ધમકાવી વૃદ્ધ દંપતીના રોકાણની વિગતો મેળવી આરોપીઓએ ૩૩ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. બીજા ૩૦ લાખ ટ્રાન્સફર કરવાના હતા જો કે, સહી મેચ ના થતાં બેકમાં…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ૪૮ વોર્ડના ૧૯ર ઉમેદવારોની યાદી જાહેર કરી તેમના ફોર્મ પણ ભરાવી દીધા છે અને તેની અંતિમ ચકાસણી પણ પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જુના જોગીઓની બાદબાકી કરી નવા ચહેરાઓને તક આપી છે.પરંતુ કોંગ્રેસમાંથી વંડી ટેકી ભાજપમાં ગયેલા કેટલાક પ્રતિભાશાળી નેતાઓની પણ બાદબાકી કરવામાં આવી છે જેના કારણે તેમની કારકિર્દી પણ હાલ પૂરતો પૂર્ણ વિરામ મુકાયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ર૦ર૧માં યોજાયેલ ચૂંટણીમાં તત્કાલિન વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા ચાંદખેડામાંથી ચૂંટણી લડ્યા હતા જયાં તેમની હાર થઈ હતી ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા…
