Author: gujarat

રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યા-ભાજપે આ વખતે એક પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી અમદાવાદ, દેશ સહિત ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ વખતે એક પણ મહિલા ઉમેદવારને ટિકિટ નથી આપી.ચારેય પુરૂષ ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં રાજુભાઈ શુકલ, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જિતેન્દ્ર કંજારિયાને મેદાનમાં ઉતારાયા છે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં રાજુભાઈ શુકલ કડી ભાજપના દિગ્ગજ કાર્યકર છે અને સુરેન્દ્રનગરના પ્રભારી છે.જીતેન્દ્ર કંજારિયા દ્વારકા જિલ્લામાં…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના “કેચ ધ રેઇન” અભિયાનથી દર વર્ષે 350 મિલિયન લિટર વરસાદી પાણીના સંચય થશે-ચોમાસા પૂર્વે અંદાજે 1000 જેટલી સિસ્ટમ કાર્યરત થઈ જશે.અમદાવાદ (પ્રતિનિધિ),અમદાવાદ જેવા ઝડપથી વિકસતા શહેરમાં પાણીની માંગ સતત વધી રહી છે અને ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે. પાણીની અછતને પહોંચી વળવા, ભૂગર્ભ જળસ્તર વધારવા તેમજ વરસાદી પાણીના વૈજ્ઞાનિક સંચાલનને પ્રોત્સાહન આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા “કેચ ધ રેઇન” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત AMC હસ્તકની આશરે 1750 જાહેર ઇમારતોમાં રૂફ-ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના અમલમાં છે. હાલમાં લગભગ 50 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ચોમાસા પૂર્વે અંદાજે 1000…

Read More

અમદાવાદ મ્યુ. કોર્પો. દ્વારા જગતપુર અને છારોડી ગામના તળાવોની સફાઈ કરાઈઅમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં આવેલ જગતપૂર ગામ તળાવ અને છારોડી ગામ તળાવ ખાતે હેલ્થ વિભાગ દ્વારા આદર્શ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. તળાવોની સ્વચ્છતા, પર્યાવરણીય સંતુલન અને સૌંદર્યમાં વધારો થાય તે હેતુથી બંને તળાવોમાં વ્યાપક સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.હેલ્થ વિભાગ દ્વારા તળાવોમાં ઉગી નીકળેલી લીલ, વેલ તેમજ જંગલી વનસ્પતિ દૂર કરીને પાણીની ગુણવત્તા સુધારવા અને તળાવોને વધુ સ્વચ્છ બનાવવા માટે કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત તળાવોમાં વસવાટ કરતા માછલી, કાચબા સહિતના વિવિધ જળચરોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે…

Read More

મ્યુનિ. કોર્પોરેશન હાઈ-રિસ્ક વિસ્તારોમાં સઘન કાર્યવાહી કરવામાં આવશે : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલચોમાસા પહેલાં એક અઠવાડિયામાં ખાડા પૂરવાનું અધિકારીઓને સૂચન – નવા ખાડા ન ખોદવા તાકીદઅમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ચૂંટાયેલી પાંખની પહેલી સાપ્તાહિક સ્ટેન્ડીંગ કમિટીનું ગુરુવારે 4 જૂન 2026ના રોજ એએમસી દાણાપીઠ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે તાજેતરમાં ઘાટલોડિયા વિસ્તારમાં થયેલી ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં 26 હાઈ-રિસ્ક ઉપર જગ્યાઓ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત ફરિયાદોના આધારે તમામ જગ્યા પર અમે માણસો રાખ્યા છે, જેથી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક તેના પર કામગીરી કરી શકાય.…

Read More

અદ્યતન રોબોટિક ઓન્કોલોજી કેરમાં નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું1,600થી વધુ યુરો-ઓન્કોલોજી રોબોટિક સર્જરી અને 1,000થી વધુ રોબોટિક પ્રોસ્ટેટ કેન્સર સર્જરી સાથે નોંધપાત્ર સિદ્ધિઅમદાવાદ, 4 જૂન, 2026: એચસીજી આસ્થા કેન્સર સેન્ટર, અમદાવાદે તેની રોબોટિક સર્જરી સેવાઓમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતાં અત્યાર સુધીમાં 2,800થી વધુ રોબોટિક સહાયિત કેન્સર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સિદ્ધિ સાથે કેન્દ્રે પશ્ચિમ ભારતમાં રોબોટિક ઓન્કોલોજીકલ સર્જરી ક્ષેત્રે અગ્રણી અને પાયોનિયર તરીકેનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.રોબોટિક કેન્સર સર્જરી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઓળખાતું એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અદ્યતન મિનિમલી ઇન્વેસિવ કેન્સર સારવાર દ્વારા વધુ ચોકસાઈ, ઓછો દુખાવો, ઝડપી સ્વસ્થતા, હોસ્પિટલમાં ઓછો સમય રહેવાની જરૂરિયાત અને…

Read More

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતમાં “એક પેડ મા કે નામ ૩.૦”મહાઅભિયાનનો ગાંધીનગરથી કરાશે શુભારંભગાંધીનગર લોકસભા વિસ્તારને‘હરિયાળા લોકસભા‘બનાવવા માટે વન વિભાગ દ્વારા અંદાજે ૫૦૦ હેકટરથી વધુ વિસ્તારમાં ૫૦ લાખથી વધુ રોપાઓ વાવીને‘વન કવચ – માઈક્રો ફોરેસ્ટ‘તૈયાર કરાશેતા.૦૫ જૂન –‘વિશ્વ પર્યાવરણ દિવસે‘વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત “એક પેડ માં કે નામ” અભિયાનના ત્રીજા તબક્કાનો શુભારંભ થશે. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી અભિયાનનો આરંભ થશે.ગાંધીનગરના‘જ‘રોડ પર લોકભવન સ્ટાફ ક્વાર્ટર્સ નજીક ૦.૫ હેક્ટર વિસ્તારમાં‘વનકવચ‘પદ્ધતિથી અંદાજે ૫,૦૦૦ રોપાઓનું વાવેતર કરીને આ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરાશે.નોંધપાત્ર છે કે વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪માં નવી દિલ્હીના બુદ્ધ જયંતી પાર્ક ખાતેથી “એક પેડ માં કે…

Read More

જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં₹274.96કરોડના ખર્ચે રોડ,સ્ટોર્મ વોટર ડ્રેન નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેનની સુવિધાઓથી ફાર્મા ક્લસ્ટરના વિકાસને મળશે નવી ગતિવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી5જૂન, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ₹18,777કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દક્ષિણ ગુજરાત પ્રદેશના વિકાસને વેગ આપતાં આ વિકાસકાર્યોમાંGIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) હેઠળ₹1063.43કરોડના ખર્ચે8પ્રોજેક્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ અંતર્ગત ભરૂચને₹894કરોડથી વધુના અને વલસાડને₹169.3કરોડના પ્રોજેક્ટ્સની ભેટ મળવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર,પ્રદૂષિત પાણીના નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.વડાપ્રધાન ભરૂચમાં ₹894કરોડથી વધુના6 GIDCપ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશેભારતના ઔદ્યોગિક વિકાસમાં…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં પારસ ચંદ્રક અર્પણ સમારોહ યોજાયોસાહિત્યકારો જ્યોત સમાન છે જે પોતે પ્રજ્વલિત થઈને સમાજને સાચો દિશાદર્શન અને પ્રકાશ આપે છે: રાજ્યપાલસંસ્કૃતિ એ સમાજનો આત્મા છે અને સભ્યતા એ તેનું શરીર છે; સાહિત્ય અને સંસ્કૃતિ વિહીન સમાજ પથ્થર સમાન છે : આચાર્ય દેવવ્રતજીરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પારસ ચંદ્રક અર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે ‘પારસ પટેલની વાર્તાઓ‘ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.પારસ ચંદ્રક અર્પણ સમારોહમાં વર્ષ ૨૦૨૫ માટે પદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે શ્રી રાજેન્દ્ર શુક્લ, ગદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે શ્રી હર્ષવી પટેલ, ગદ્યના…

Read More

ચોમાસા પૂર્વે ગુજરાત એલર્ટ:‘ઝીરો કેઝ્યુઆલિટી‘ના લક્ષ્ય સાથે વહીવટીતંત્ર સજ્જ: મુખ્ય સચિવસંબંધિત વિભાગો-કેન્દ્રીય સુરક્ષા દળોએ ચોમાસાની પૂર્વ તૈયારી સંદર્ભે ડિઝાસ્ટર મેનેજમેન્ટપ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા ગાંધીનગર, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસની અધ્યક્ષતામાં 03-06-2026ના રોજ ગાંધીનગર ખાતે આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઉચ્ચ સનદી અધિકારીઓ,પોલીસ મહાનિર્દેશક,મુખ્ય વન સંરક્ષક સહિત વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતમાં વહીવટી-તંત્ર ચોમાસા પૂર્વે‘ઝીરો કેઝ્યુઆલિટી‘ના લક્ષ્ય સાથે સજ્જ છે,તેમ મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે જણાવ્યું હતું. મુખ્ય સચિવશ્રીએ રાજ્યમાં ચોમાસાના આગમનની સંભાવનાને ધ્યાને રાખીને તમામ વિભાગોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અસરકારક અમલીકરણ…

Read More

અંગદાન એ અંત નથી, પરંતુ અનેક જીવનમાં નવી શરૂઆત છે: આરોગ્ય મંત્રીઅમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતાઓની સ્મૃતિને ચિરંજીવ રાખવા માટે નિર્મિત વિશેષ “અમરકક્ષ”ની રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ભાવસભર મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ અંગદાન દ્વારા અનેક દર્દીઓને નવજીવન આપનારા મહાન અંગદાતાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનોના નિઃસ્વાર્થ તેમજ ઐતિહાસિક યોગદાનને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું.અમરકક્ષમાં પ્રદર્શિત અંગદાતાઓના ફોટોગ્રાફ્સ અને તેમની પ્રેરણાદાયી જીવનગાથાઓ નિહાળતા મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, અંગદાન એ માત્ર દાન નથી, પરંતુ મૃત્યુ પછી પણ અનેક લોકોને જીવનદાન આપવાની સર્વોચ્ચ માનવસેવા છે. અંગદાતાઓ સમાજમાં માનવતા, કરુણા અને પરોપકારનું જીવંત પ્રતિક છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,…

Read More