ઉમરગામ તાલુકામાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજ્યપાલશ્રીરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમની સાદગી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉમરગામ તાલુકામાં આયોજિત બે દિવસીય ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં સહભાગી થવા માટે તેમણે અમદાવાદથી વાપી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પોને ચરિતાર્થ કરતા રાજ્યપાલશ્રીએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ઇંધણની સ્થિતિ સામાન્ય ન થાય, ત્યાં સુધી તેઓ રાજ્યના પ્રવાસોમાં હવાઈ મુસાફરીના બદલે એસ.ટી. બસ અથવા ટ્રેન જેવા સાર્વજનિક પરિવહનના માધ્યમોનો જ ઉપયોગ કરશે. આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે તેમણે આજે વંદે ભારત ટ્રેનમાં સામાન્ય પ્રવાસીની જેમ સફર કરી હતી.ટ્રેનની મુસાફરી દરમિયાન…
Author: gujarat
સુરતે સ્થાપ્યો નવો ‘પર્યાવરણ -મિત્ર’ માપદંડ-આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલા આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો-ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવીવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ 100% સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી બની રહે, એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર પ્લાસ્ટિક અને થર્મોકોલનો સંપૂર્ણ નિષેધ કરવામાં આવ્યો છે, જે વડાપ્રધાનના ‘મિશન લાઈફ’ના (Mission LiFE) વિઝનને સાર્થક કરે છે.સામાન્ય ઇવેન્ટ મેનેજમેન્ટથી એક ડગલું આગળ વધીને, આ સમગ્ર આયોજનને પર્યાવરણ જાગૃતિના એક વિશાળ કેનવાસમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું.‘ભારતના સૌથી સ્વચ્છ શહેર’ તરીકેની સુરતની સફરને ઉજાગર કરતા કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં શનિવારથી આગામી ૫ દિવસ સુધી ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તોફાની પવન ફૂંકાવવાની આશંકા છે. આ સાથે જ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.જોકે, હવામાનમાં આવેલા આ બદલાવને કારણે ગરમીથી થોડી રાહત મળશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨ ડિગ્રી ઘટીને ૪૧.૪ ડિગ્રી નોંધાયું હતું, જે આગામી દિવસોમાં ૪૦ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગે પવન અને વરસાદની આગાહી કરી છે, પરંતુ બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં આગામી ૧૦ દિવસ સુધી વરસાદની સંભાવના નહિવત્ પણ હોઈ શકે છે.હવામાન વિભાગ દ્વારા ૧૦ જૂન સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં શુક્રવાર…
(એજન્સી)ગાંધીનગર, યુદ્ધની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી છે. ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર મોટો વધારો થયો છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે વપરાતો મુખ્ય કાચો માલ એટલે કે પેપર વિદેશથી આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રો-મટિરિયલના ભાવમાં મોટો ઉછાળો આવવાને કારણે તેમજ ઈંધણ મોંઘું થતાં લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખાસ્સો વધી ગયો છે.પુસ્તકોના છાપકામની કિંમતમાં આટલો મોટો વધારો થયો હોવા છતાં, ગુજરાત સરકારે આર્થિક બોજ પોતે વહેંચી લીધો છે અને તેનો ભાર વાલીઓ પર ન નાખવાનો પ્રશંસનીય નિર્ણય કર્યો છે.પાઠ્યપુસ્તક બોર્ડના મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે, વિદેશથી આયાત થતા કાગળ અને ઈંધણના ભાવ વધવા છતાં, વાલીઓ પર…
અમદાવાદ, અમદાવાદના રાણીપ અને વાડજ વિસ્તારને જોડતા ચંદ્રભાગા બ્રીજ પર એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી બ્રીજ નીચે આવેલી કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારચાલક સહિત તેમાં સવાર અન્ય એક યુવકને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે બી ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ગત મોડી રાત્રે સર્જાયો હતો. એક કાર રાણીપ તરફથી ચંદ્રભાગા બ્રીજ તરફ જઈ રહી હતી. કાર નવરંગપુરા વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય વિશાલ મનોજ શાહ ચલાવી રહ્યા હતા અને તેમની બાજુની સીટ પર તેમનો ૩૩ વર્ષીય મિત્ર મુકુન્દ પટેલ બેઠો હતો.કારની ગતિ પૂરઝડપે હોવાના કારણે ચંદ્રભાગા બ્રીજ…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સોના-ચાંદીના પ્રખ્યાત બજાર માણેકચોક વિસ્તારમાં ચોરી અને વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે. અહીં આવેલી જ્વેલર્સની દુકાનમાં મેનેજરે જ માલિકની આંખમાં ધૂળ નાખીને લાખો રૂપિયાના સોનાની ચોરી આચરી હતી.છેલ્લા છ મહિનાથી ચાલી આવતી આ ચોરીની વિગતો ત્યારે સામે આવી જ્યારે મેનેજર અચાનક દુકાને આવવાનું બંધ કરી ગાયબ થઈ ગયો હતો. જ્વેલર્સના માલિકે આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ફરાર મેનેજરને ઝડપી લીધો છે.મળતી માહિતી અનુસાર, આ ઘટના અંગે બોપલ વિસ્તારમાં રહેતા અને ખાડિયા માણેકચોકમાં જ્વેલર્સની દુકાન ચલાવતા ૩૨ વર્ષીય વેપારી મુકેશ સોનીએ ફરિયાદ નોંધાવી છે. તેમની દુકાનમાં છેલ્લા દોઢ વર્ષથી ધવલ…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાંથી ફરી એકવાર છેતરપિંડીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મોટા અધિકારીઓ અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવીને લોકોનો વિશ્વાસ જીત્યા બાદ કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારા મહાઠગ અનિલ વિભાણી અને તેની પત્ની વિમ્મી વિભાણીની પોલીસે ધરપકડ કરી લીધી છે.વૈભવી જીવન જીવવાના મોહમાં આ દંપતીએ અત્યાર સુધીમાં ૧૫ જેટલા નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી અંદાજે ૨૦ કરોડ રૂપિયાથી વધુની મસમોટી રકમ પડાવી લીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.પોલીસ તપાસમાં આરોપી અનિલ વિભાણીની ગુનાહિત કુંડળી સામે આવી છે, જે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. અનિલ અગાઉ એક સામાન્ય ટ્રક ડ્રાઇવર તરીકે અને પથ્થરની ખાણમાં સામાન્ય નોકરી કરતો હતો.શોર્ટકટથી અમીર બનવાની લાલસામાં તે…
મિયાવાકી પદ્ધતિ આધારિત ક્લોંગ-ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ(પ્રતિનિધિ) અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણના મહાઅભિયાનના શુભારંભ કરાવ્યો હતો.શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણના સ્રોતોની સચોટ માહિતી મેળવવા માટે મોબાઇલ સોર્સ અપોર્શનમેન્ટ ખાસ મોબાઈલ લેબોરેટરીને મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું. આ સ્માર્ટ સેન્સિંગ અને ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ (મોબાઈલ રીયલ-ટાઈમ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરી) નો મુખ્ય હેતુ અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ ફેલાવતા મુખ્ય સ્રોતોની વૈજ્ઞાનિક તપાસ કરવી અને હવાની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.મુખ્યમંત્રીએ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ…
રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા -સુરત આજે સ્વચ્છતા માટે જાણીતું થયુંઃ વડાપ્રધાનવડાપ્રધાનના હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે અંદાજે રૂ.૧૮,૭૭૮ કરોડના ૨૪ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવીસુરત, વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરત એરપોર્ટ પરથી પીએમ મોદી લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન મોદીએ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું…
વૃક્ષારોપણથી લઈને 1 લાખ વૃક્ષોની જાળવણી અને 50 હજાર ચોરસ મીટરમાં અર્બન ફોરેસ્ટ વિકાસ સુધીની કામગીરી હાથ ધરાશે*અમદાવાદ. (પ્રતિનિધિ) વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા વિભાગ દ્વારા ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ-2026’ અંતર્ગત શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ વેગ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.આ અંતર્ગત 5 જૂન 2026ના રોજ પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડમાં સાનિધ્ય સ્ટેટ્સની બાજુમાં આવેલા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વૃક્ષરથને ફ્લેગ-ઓફ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ PPP, CSR અને CER સંસ્થાઓ સાથે એમઓયુ (MOU) અર્પણ વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેરમાં હરિયાળી વિસ્તાર…
