કોર્ટે આરોપીને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યોઅપરિણીત હોવાનું કહી કોર્ટમેરેજ કર્યા બાદ પ્રથમ પત્નીનાં ડિવોર્સ પેપર મળી આવતાં ભાંડો ફૂટ્યોરાજકોટ, રાજકોટમાં પ્રથમ લગ્નની વિગતો પત્ની અને કોર્ટ સામે છુપાવી બીજા લગ્ન કરનાર યુવકને જેલહવાલે થવાનો વારો આવ્યો છે. બીજા લગ્ન બાદ મનમેળ ન બેસતા આરોપીએ પત્ની અને પુત્રને તરછોડી દીધા હતા, પરંતુ કાયદાકીય લડાઈ દરમિયાન પતિના અગાઉના લગ્નના દસ્તાવેજો મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપી પતિને ૩ વર્ષની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યાે છે.શહેરના નાનામવા રોડ પર રહેતા આશિષ કંટારીયાએ વર્ષ ૨૦૦૬માં એક યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.લગ્ન સમયે આશિષે…
Author: gujarat
પાલનપુર, પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર આવેલી ઓઇલ મિલમાં સાંજના સમયે અચાનક બોઇલર ફાટતાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અહીં કામ કરતા પરપ્રાંતીય સાત મજૂરો આગમાં લપેટાયા હતા.જેમાં ત્રણ મજૂર ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યારે ચાર મજૂર સામાન્ય ઘાયલ થયા હતા. ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. જેમાંથી ત્રણ ગંભીર રીતે ઘાયલને અમદાવાદ રિફર કરાયા હતા. પાલનપુરના કાણોદર ગામે આવેલી આદર્શ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની ઓઇલ મિલમાં શ્રમિકો પાસે કામ લેવામાં આવતું હતું. આ ઓઈલ મિલમાં બુધવારે મજૂરો કામ કરી રહ્યા હતા.દરમિયાન એક પેટ્રોલ ભરેલું બોઇલર ચાલુ કરવા જતાં અચાનક આગની ચિંગારી પ્રસરતાં ભીષણ આગ ભભૂકી હતી. તમામ…
અમદાવાદ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં અઢી માસની માસૂમ બાળકીને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં મોતના મુખમાં ધકેલી દેનાર કળિયુગી માતા મોનિકા મકવાણાની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે અત્યંત ગંભીર અવલોકન કરતા જણાવ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ આ એક માતા દ્વારા કરવામાં આવેલું અત્યંત અમાનવીય કૃત્ય જણાય છે.ગુનો અત્યંત ગંભીર પ્રકારનો છે. માતા દ્વારા જ પોતાના સંતાન પ્રત્યે આવું અમાનવીય વર્તન આઘાતજનક છે. તપાસ હજુ ચાલુ હોવાથી અને પુરાવાઓ સાથે ચેડાં થવાની શક્યતા છે.ત્યારે જામીન આપવા ન્યાયોચિત નથી. પોલીસ તપાસ અને કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ, આરોપી માતા મોનિકા દીપકભાઈ મકવાણાની અઢી માસની પુત્રી વિશ્વા અકસ્માતે પાણીની ટાંકીમાં પડી…
અમદાવાદ, રોકાણકારોને ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ડોક્સી ફાઇનાન્સ કંપનીના સંચાલકો સામે કાયદાનો સકંજો વધુ મજબૂત બન્યો છે. રૂ. ૨.૦૫ કરોડની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા ચાર મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, વિદેશી ચલણ યુએસડીટી અને આંતરરાજ્ય કનેક્શનની તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે.આરોપીઓ જય બલરામ કાકવાણી, નામદેવ રાજકુમાર મીરાણી, નિખીલ તવલે અને સંજય હરિરામ હેમરાજાણીએ રોકાણકારોને લલચામણી સ્કીમો બતાવી વિશ્વાસમાં લીધા હતા.ફરિયાદી પાસેથી આ ટોળકીએ કુલ રૂ. ૨,૧૮,૫૫,૮૫૦ મેળવ્યા હતા. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં માત્ર રૂ. ૧૩,૧૯,૩૦૦ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂ.…
આગામી AMC ચુંટણી માટે સંક્લ્પ પત્ર-૨૦૨૬નું વિમોચન મહાનગર કાર્યાલય ખાતે ઋષિકેશ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યુસંકલ્પ પત્રની મુખ્ય વિશેષતાઓ:અમદાવાદ, કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગની એક અખબાર યાદીમાં જણાવે છે કે, આજરોજ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી અને મહાનગરના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, મહાનગરના અધ્યક્ષશ્રી પ્રેરકભાઇ શાહ, મહાનગર ચુંટણી સમિતિના ઇન્ચાર્જ અને પુર્વ ધારાસભ્યશ્રી રાકેશભાઇ શાહ, પુર્વ મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન, પુર્વ ડે.મેયરશ્રી જતિનભાઇ પટેલ, પુર્વ સ્ટે.કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઇ દાણીના વરદ હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી -૨૦૨૬ના સંક્લ્પ પત્રનુ વિમોચન કરવામાં હતુ.પત્રકાર પરિષદને સંબોધતા કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યુ કે, ભાજપના ઉમેદવારો વિકાસના ઇતિહાસ તેમજ વિકાસ પથ પર અગ્રેસર ગુજરાતની બાબતો સાથે…
સુરત, શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. સચિન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ચાલતી ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડીને પોલીસે ૨,૦૨૯ કિલોગ્રામથી વધુનો ભેળસેળયુક્ત જથ્થો ઝડપી પાડ્યો છે. આ નકલી ઘી બજારમાં વેચાય તે પહેલા જ પોલીસે તેને પકડી પાડી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવ્યા છે.SOG ની ટીમે બાતમીના આધારે પાડી રેઇડ: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા નકલી ખાદ્ય પદાર્થો સામે કડક ઝુંબેશ ચલાવવા મળેલી સૂચના મુજબ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમો કાર્યરત હતી.પી.આઈ. એ.એસ. સોનારાના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો માહિતી એકત્ર કરી…
અમદાવાદ, આગામી તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં લોકશાહીનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય અને મહત્તમ મતદાન થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં SVAP (State Voters Awareness Programme) નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ તાજેતરમાં જિલ્લાની ૬૨૦ જેટલી સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે ૩૦,૦૫૪ જેટલા વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો અને વાલીઓએ એકસાથે મળીને મતદાન જાગૃતિના શપથ ગ્રહણ કર્યા હતા.ચૂંટણી પ્રક્રિયામાં યુવા પેઢી અને નાગરિકોની ભાગીદારી વધારવા માટે શાળાઓમાં નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા અને સૂત્રલેખન જેવી…
(પ્રતિનિધિ)બાયડ, તારીખ ૧૪ એપ્રિલની વહેલી સવારે અંદાજિત ૫ઃ૩૦ સમયે ધનસુરા તાલુકા ના રામપુરા ગામમાં રહેતી એક મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા તેમના પરિવારજનોએ ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો.૧૦૮ ઈમરજન્સી સેવા બાયડ ની ટીમે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચીને સગર્ભાની તપાસ કરી અને પરિસ્થિતિને પારખીને ઘટના સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરવાનો નિર્ણય લીધો હતો.ઈમરજન્સી મેડીકલ ટેક્નિશિયન હિતેન્દ્ર પંચાલ અને પાયલટ તખતસિંહ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર પર બેઠેલા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટ્રલ ફિઝિશિયન ડોક્ટર કરણ ની ઓન કોલ સલાહ પ્રમાણે અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થાએ આપેલ ટ્રેનિંગનો ઉપયોગ કરી સગર્ભાની સુરક્ષિત અને સફળ પ્રસુતિ કરાવી. માતાએ સ્વસ્થ…
રશિયા ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવામાં એક નિષ્પક્ષ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી શકે છેપાકિસ્તાન પહેલેથી જ SCO માં ભારત સાથે ભાગીદાર છે અને હવે બ્રિક્સમાં (BRICS) પણ જોડાવા માંગે છે.(એજન્સી)ઈસ્લામાબાદ, રશિયામાં પાકિસ્તાનના રાજદૂત ફૈઝલ નિયાઝ તિરમિઝીના એક તાજેતરના નિવેદને રાજદ્વારી આલમમાં ચર્ચા જગાવી છે. એક ખાનગી ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ભારત અને પાકિસ્તાન બંનેના પરમાણુ સુરક્ષા રેકોર્ડની પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષનો ઉલ્લેખ કરી પરમાણુ મથકો પર હુમલો ન કરવાની હિમાયત કરી છે. Pakistan’s Ambassador to Russia Faisal Niaz Tirmiziરાજદૂત તિરમિઝીએ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પરસ્પર…
ભરૂચ પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ સમયમાં કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે બબાલ(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હવે વિવાદોની ચરમસીમાએ પહોંચી છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારે વોર્ડ નંબર ૪ના કોંગ્રેસ ઉમેદવાર મનીષ જાદવે પોતાનું ફોર્મ પરત ખેંચતા રાજકીય માહોલ ગરમાયો હતો.જોકે હવે ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી યોજાશે.ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં કોંગ્રેસના ઉમેદવાર મનીષ જાદવે ફોર્મ પરત ખેંવાતા આવતા અને કોંગ્રેસના આગેવાનોને અંદર જવા નહી દેતા નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સરકારી કચેરીમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો.કોંગ્રેસ કાર્યકરો દ્વારા પોલીસ વચ્ચે બોલાચાલી સાથે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા જેથી કોંગ્રેસના આગેવાનોએ પોલીસ…
