Author: gujarat

વારંવાર નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટ આસારામ આશ્રમ પર લાલઘુમ થઈ અને રાહત આપવાનો ઈનકાર કર્યોઆશ્રમે સરકારી શરતો તોડી નદીની જમીન પચાવી પાડી છે. સાથે જ સાબરમતી નદીની જમીન પણ પચાવી પાડી છે.(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો બની ગયો છે. ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા આસારામ આશ્રમની અપીલ ફગાવી દેવાઈ છે. હાઈકોર્ટના સિંગલ જજનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે. હવે ગમે તે ઘડીએ આસારામ આશ્રમ તોડી પાડવામાં આવશે. નવી નોટિસ આપી સરકાર આસારામ આશ્રમની જમીન પરત મેળવશે.તેમજ કલમ ૨૦૨ હેઠળ નોટિસ આપી આશ્રમનો કબજો લેવાશે. અમદાવાદ સ્થિત મોઢેરામાં આવેલ આસારામ આશ્રમનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. આસારામઆશ્રમની જમીન…

Read More

લોહીલુહાણ હાલતમાં માતા સિવિલમાં દાખલ, પુત્ર સામે ફરિયાદઆસપાસના લોકો અને પરિવારના સભ્યો દોડી આવતા હુમલાખોર અર્જુન ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતોઅમદાવાદ,શહેરમાં લોહીના સંબંધોને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના વસ્ત્રાલ વિસ્તારમાં બની હતી. જેમાં વસ્ત્રાલની જલપરી સોસાયટીમાં માત્ર ટીવી ચાલુ રાખવા જેવી સામાન્ય તકરારમાં એક પુત્રએ આવેશમાં આવી પોતાની સગી માતા પર લાકડાના ડંડા વડે જીવલેણ હુમલો કર્યાે છે. આ હુમલામાં ૫૬ વર્ષીય માતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.વસ્ત્રાલની જલપરી સોસાયટીમાં રહેતા સુનિતાદેવી ભદોરિયા (ઉ.વ. ૫૬) તેમના પુત્ર અર્જુનસિંહ સાથે રહે છે.ગત ૧૪ એપ્રિલની મોડી…

Read More

૧ કિલો શુદ્ધ ઘીમાંથી ૧૫ કિલો નકલી ઘી તૈયાર કરાતું હતુંફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલ્યાસુરત,ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થાેના કૌભાંડને લઈને ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા નકલી પનીર મળી આવ્યા બાદ હવે સુરતમાં નકલી ઘીનો પર્દાફાશ થતાં હરકોઈ અચંબામાં પડી ગયા છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્›પ એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડી એક મોટી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો ભાંડાફોડ કર્યાે છે. સબકા ફૂડ્‌સ નામે ચાલી રહેલી આ ફેક્ટરીમાં માત્ર ૧ કિલો શુદ્ધ ઘીમાંથી ૧૫ કિલો નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે અહીંથી કુલ રૂ. ૩૫.૮૧…

Read More

વર્ષ 2025 દરમિયાન PIT NDPS Act હેઠળ કુલ 86 આરોપીઓને અટકાયત કરી, ચાલુ વર્ષે 4 મહિનામાં 21 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવીરાજ્ય સરકારે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છેAhmedabad, ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે.આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમની ટીમોએ…

Read More

જૂનાગઢ, સાસણગીર વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત રિસોર્ટમાં રૂમ ભાડે રાખીને ચાલતા જુગારધામ પર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી ત્રાટકી હતી. આ દરોડામાં સૌરાષ્ટ્રના જાણીતા સોની વેપારીઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.જૂનાગઢના પ્રવાસન ધામ એવા સાસણગીરના રિસોર્ટમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સફળ દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાસણગીરના ‘ગીર પ્રાઇડ રિસોર્ટ’ માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રિસોર્ટમાં રૂમ ભાડે રાખીને કેટલાક શખ્સો મોટા પાયે જુગાર રમી રહ્યા હતા.આ જુગારધામનો મુખ્ય સૂત્રધાર ગોંડલનો સોની વેપારી સંજય હસમુખભાઈ વડનગરા હોવાનું બહાર આવ્યું છે, જેણે…

Read More

નવી દિલ્‍હી: ગુજરાતમાં યોજાનારી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી વચ્‍ચે રાજ્‍યમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્‍યારે ૨૬મી એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયામાં દેશના ટોચના દિગ્‍ગજ નેતાઓ પણ સક્રિય રીતે ભાગ લેતા જોવા મળશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ કેન્‍દ્રીય મંત્રીઓ અને રાજ્‍યપાલો સહિતના અગ્રણીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવશે, જે ચૂંટણીને વધુ પ્રેરણાદાયક બનાવે છે.આગામી ૨૬મી તારીખે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્‍તારના મતદાતા છે. તેઓ હંમેશા મતદાનને લોકશાહીનો પર્વ ગણાવતા આવ્‍યા છે. જેથી દેશના ઘણા બધા મહત્‍વના મુદ્દાઓમાં વ્‍યસ્‍ત હોવા છતાં તેઓ પોતાના મતનો ઉપયોગ કરવા માટે સમય કાઢે છે.આ વખતે પણ તેઓ મતદાનમાં ભાગ લેશે તેવી…

Read More

‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ અંતર્ગત સ્કૂમ વિદ્યાલયમાં શપથ અને સર્જનાત્મકતા દ્વારા 100% મતદાનનો સંકલ્પઅમદાવાદની શાળાઓમાં મતાધિકારનો સંદેશ, વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના પ્રહરીઆગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.આ કડીમાં વસ્ત્રાપુર સ્થિત સ્કૂમ વિદ્યાલય ખાતે ધોરણ 11ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સુશ્રી અમી દેસાઈના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીના માધ્યમથી સમાજમાં મતાધિકાર પ્રત્યે સભાનતા કેળવવાનો રહ્યો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને નિબંધ…

Read More

આમોદ નગરપાલિકા ચતુષ્કોણીય જંગ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ત્રિપાંખિયો જંગ(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પાલિકામાં કુલ ૬ વોર્ડ માટે ૨૬ મી એપ્રિલના રોજ ૫૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે જેમાં ભાજપ કોંગ્રેસ અપક્ષ સહિત આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ ખેલાશે.આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં ભાજપના ચાર ઉમેદવારો, કોંગ્રેસના ચાર ઉમેદવારો તેમજ આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો મળી કુલ ૧૦ ઉમેદવારો ચુંટણી લડશે.વોર્ડ નંબર ૨ માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર યોજાશે.આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં કુલ ૧૩ ઉમેદવારો હતાજ્યારે આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચાર ઉમેદવારો અમિત દિલીપ પટેલ, દીક્ષિત કનુ પરમાર, જયાબેન નટવર પટેલ તેમજ…

Read More

સુરત મનપાના ૩૦ વોર્ડની ૧ર૦ બેઠકો માટે ૪૮૩ ઉમેદવારો મેદાનમાંસુરત, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી- ર૦ર૬ અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબકકે પહોચી ગઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સુરતના ૩૦ વોર્ડની ૧ર૦ બેઠકો માટે હવે કુલ ૪૮૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે.ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવ્સે ૧૬ ઉમેદવારોએ નામાંકન પત્રો પરત ખેંચ્યા હતા જેમાં કોંગ્રેસના બે ઉમેદવારમાં વોર્ડ ૧૮ લિંબાયત- પરવટ-કુંભારિયાના સંજય રામાનંદી અને વોર્ડ નંબર ૧ જંહાગીરપુરા- વરીયાવ-છાપરાભાઠા-કોસાડના ઉમેદવાર બોની છે.સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા તેના નિર્ણાયક તબક્કામાં…

Read More

નિયમ ભંગ કરનારને ૨ વર્ષની જેલ અને ૧ લાખનો દંડ થશે(પ્રતિનિધિ) ભરૂચ, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ અંતર્ગત “ બાળ લગ્ન એ કાનૂની અપરાધ છે.આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, હિન્દુ પંચાગ મુજબ તા.૧૯/૦૪/૨૦૨૧ ના દિવસે ‘અક્ષયતૃતીયા’ (અખાત્રીજ) ના શુભ દિવસે તથા અન્ય દિવસમાં ખુબ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજતા હોય છે.જેમાં ખાસ બાળલગ્નો ન થાય તે માટે સમુહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને જણાવવાનું કે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા…

Read More