માથાસુલિયા ગામે રહેતા જગતસિંહ ભાથીસિંહ પરમાર શુક્રવારે રાત્રે પોતાના ઘરના પરિવારજનો સાથે આગળ ઓસરીમાં સૂઈ રહ્યા હતાહિંમતનગરના માથાસુલિયા ગામે તસ્કરો ત્રાટક્યા, ૮.૦૪ લાખની ચોરીહિંમતનગર, હિંમતનગર તાલુકાના માથાસુલિયા ગામે શુક્રવારે રાત્રે ઘરના પરિવારજનો આગળ ઓસરીમાં સુતા હતા ત્યારે તસ્કર ટોળકીએ ઘરના પાછળના ભાગે રસોડાની લોખંડની જાળીના સળિયા તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૮ લાખની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. માથાસુલિયા ગામે રહેતા જગતસિંહ ભાથીસિંહ પરમાર શુક્રવારે રાત્રે પોતાના ઘરના પરિવારજનો સાથે આગળ ઓસરીમાં સૂઈ રહ્યા હતા.આ દરમિયાન તસ્કરોએ જૂના પતરાવાળા મકાનમાં પાછળના ભાગે આવેલા રસોડામાં લગાવેલા લોખંડના સળીયા…
Author: gujarat
અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગત તા. ૧૮ થી ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન એક પ્રતિષ્ઠિત ‘BCCI લેવલ-૧ ક્યુરેટર્સ કોર્સ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) માટે રાષ્ટ્રીય સ્તરે અત્યંત ગૌરવની વાત આવી છે.આ ઉચ્ચ સ્તરીય કોર્સ અને તેની પરીક્ષામાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જયેશભાઈ પટેલે પોતાની અસાધારણ બુદ્ધિપ્રતિભા અને ટેકનિકલ જ્ઞાનના જોરે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ (Rank 1) પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ આખા દેશમાં રોશન કર્યું છે.પીચ મેનેજમેન્ટ અને ટેકનિકલ કુશળતામાં મેળવી સર્વોચ્ચ સિદ્ધિ: ક્રિકેટની રમતમાં પિચ અને ગ્રાઉન્ડ કન્ડિશન સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, જેના માટે…
અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, નવી દિલ્હી દ્વારા સંયુક્ત રીતે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ “ભારતીય જ્ઞાન પરંપરા: પ્રાચીન કાળથી 21મી સદી સુધી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને તકનીકી વિકાસ” નો આજે જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે ભવ્ય પ્રારંભ થયો. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, ત્યારબાદ પરિષદનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ ડૉ. અતુલ કોઠારીએ ભારતીય જ્ઞાન પરંપરાના મહત્વ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 (NEP-2020)માં તેના સમાવેશ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ભારતીય જ્ઞાન પરંપરા માત્ર ઐતિહાસિક વારસો…
20 મેડલ જીતી ખેલાડીઓએ સર્જ્યો ઇતિહાસ, વિવિધ વયજૂથમાં શાનદાર દેખાવઅમદાવાદ (પ્રતિનિધિ) શેલા સ્થિત ક્લબ ઓ-7 ખાતે 4થી 6 જૂન દરમિયાન યોજાયેલી પ્રથમ અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026માં સેટ2વિન ટેબલ ટેનિસ એકેડેમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ 20 મેડલ્સ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિવિધ વયજૂથમાં મળેલી આ સફળતાએ એકેડેમીને સ્પર્ધાની સૌથી સફળ એકેડેમીઓમાં સ્થાન અપાવ્યું છે.STAG અને Seven Star Sports Ahmedabadના સહયોગથી કાર્યરત સેટ2વિન ટેબલ ટેનિસ એકેડેમીના ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શિસ્ત, રમત પ્રત્યેની નિષ્ઠા અને કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. એકેડેમીને કુલ 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.અંડર-13 ગર્લ્સમાં ઝિનાલી પટેલે ગોલ્ડ મેડલ…
ગુજરાતમાં ‘વિકાસ ભી,વિરાસત ભી’નો વિચાર થયો સાકાર-રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં16લાખથી વધુ મુલાકાતીઓએ નિહાળ્યા મ્યુઝિયમડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાનની સાથે જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા: પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્માગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૬ લાખથી વધુ નાગરીકોએ વિવિધ મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલયની મુલાકાત લીધી છે તેમ ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક ડો. પંકજ શર્માએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે,બદલાતા સમય સાથે ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી મ્યુઝિયમ માત્ર કલાકૃતિઓના સંગ્રહસ્થાન ન રહેતા જ્ઞાન અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો બન્યા છે.છેલ્લા ૧૨ વર્ષમાં ગુજરાતમાં અનેક મ્યુઝિયમ બન્યા છે. જેમાં કચ્છના ભૂકંપ…
તમામ અધિકારીશ્રીઓ રાત્રિ રોકાણ પણ આ ગામોમાં જ કરશે –મુલાકાત દરમિયાન દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ,રાત્રીસભા જેવા બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશેગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના ૮ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ આગામી તા. ૧૧ અને ૧૨ જૂને પાકિસ્તાન સરહદ સાથે સ્પર્શતા ગુજરાતના સરહદી વિસ્તાર વાવ – થરાદ,પાટણ અને કચ્છ જિલ્લાના ૧૬ બોર્ડર વિલેજિસની મુલાકાત લેશે અને ત્યાં જ સ્થાનિકના ઘરે રાત્રિ રોકાણ કરશે.આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે.આ વિશેષ કાર્યક્રમ અંતર્ગતADGPશ્રી વાબંગ જમીર,વાવ…
૮ જૂન: વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ-‘જાગૃતિ એ જ શ્રેષ્ઠ બચાવ’,વહેલું નિદાન અને અદ્યતન સારવારથી આ બીમારી સામે જીતી શકાય છે: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાલોકોમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને વહેલા નિદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે ૮ જૂનને વિશ્વભરમાં ‘વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વિશેષ અવસરે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને બ્રેઈન ટ્યુમરના લક્ષણો પ્રત્યે સતર્ક અને જાગૃત રહેવા ખાસ અપીલ કરી છે.મંત્રીશ્રીએ જણાવ્યું કે,બ્રેઈન ટ્યુમર એ મગજના અસામાન્ય કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે અને તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. જોકે,અદ્યતન તબીબી વિજ્ઞાનના કારણે હવે બ્રેઇન ટ્યુમરની સફળ સારવાર અને સંપૂર્ણ…
ગુજરાતભરની પાત્ર ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડીને આ વર્કશોપ હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવશેAhmedabad, ભારત સરકારનું પંચાયતી રાજ મંત્રાલય 9 જૂન 2026ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર એક આઉટરીચ વર્કશોપનું આયોજન કરી રહ્યું છે. આ વર્કશોપ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજ; પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતિ મુક્તા શેખર;ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, અને ગુજરાત સરકારના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડો. ગૌરવ દહિયા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (HUDCO) તથા નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર…
ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીનું કનેક્શન ખુલ્યું, સાયબર સેલનું ઓપરેશનગાંધીનગર, ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરને એક મોટી સફળતા મળી છે. તેમણે અંદાજે રૂપિયા ૨૨૬ કરોડથી વધુનું આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી નેટવર્ક શોધી કાઢ્યું છે.આ નેટવર્ક આતંકવાદી ફંડિંગ, ડ્રગ્સની હેરાફેરી અને ડાર્ક વેબ માર્કેટપ્લેસ સાથે જોડાયેલા ‘ડર્ટી ક્રિપ્ટો’ના મની લોન્ડરિંગમાં સામેલ હતું. સીઆઈડી ક્રાઈમ અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહેલા આ ઓપરેશનમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેને પગલે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા હવે ૧૦ થઈ ગઈ છે.સાયબર નાણાકીય ગુનાઓ સામે ચાલી રહેલી કડક ઝુંબેશના ભાગરૂપે આ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસકર્તાઓએ આધુનિક બ્લોકચેન…
શહેરી ખેતી: કાળઝાળ ગરમીમાં ધાબાને બનાવો નંદનવન અને મેળવો ઓર્ગેનિક શાકભાજી તથા ફળઆધુનિક ટેકનિકથી ધાબા પર ખેતી અને મળશે ઓર્ગેનિક શાકભાજી સાથે ગરમીથી મુક્તિવધતા જતા શહેરીકરણને કારણે ઉનાળામાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. આવા સમયે ‘ટેરેસ ગાર્ડનિંગ’ અથવા ‘શહેરી ખેતી’ એ માત્ર શોખ પૂરતો મર્યાદિત ન રહેતા, ગરમી સામે લડવાનું એક સચોટ હથિયાર સાબિત થઈ રહ્યું છે.પોતાના ધાબા પર ગ્રીનરી જાળવી રાખવાથી ઘરના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને સાથે જ તાજા, ઓર્ગેનિક શાકભાજી પણ ઉપલબ્ધ થાય છે. ગરમીના પ્રકોપ વચ્ચે પણ તમારા બગીચાને લીલોછમ રાખવા માટે કેટલીક આધુનિક પદ્ધતિઓ અને સરકારની પ્રોત્સાહક યોજનાઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે.શહેરી…
