Author: gujarat

પાલનપુર, બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા આંતરરાજ્ય સ્તરે કાર્યરત બાળ તસ્કરીની “મુરગન ગેન્ગ” તરીકે ઓળખાતી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને તેલંગાણામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની સમગ્ર તપાસ દરમિયાન ૮થી વધુ નવજાત શિશુઓના ગેરકાયદે વેચાણનો ચોંકાવનારો ખુલાસો થયો છે.વડગામ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ધનપુરા-જલોત્રા હાઈવે નજીકથી એક ચાર વર્ષીય બાળકનું અજાણ્યા વ્યકિતઓ દ્વારા કારમાં અપહરણ કરાયું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેની સૂચના અન્વયે પોલીસે ગણતરીના કલાકોમાં શૈલેષ ગમાર અને પાબુ ભગોરા સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અપહરણ થયેલા બાળકને હેમખેમ છોડાવવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ સમગ્ર નેટવર્ક અનેક રાજ્યોમાં…

Read More

સુરત, અમેરિકા અને ઈરાન વચ્ચે છેડાયેલા યુદ્ધની સીધી અને આકરી અસર સુરતની સુમુલ ડેરી સુધી પહોંચી છે. રાંધણ ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે શ્રમિકો માટે બે ટંકનું ભોજન બનાવવું પણ દુષ્કર બનતા ડેરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોએ વતનની વાટ પકડી છે.આ શ્રમિકોની અછતને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીના નવી પારડી સ્થિત મહત્ત્વના પ્લાન્ટ્‌સ બંધ કરવાની ફરજ પડી છે.આ પ્લાન્ટ બંધ થતાં હાલ બજારમાં સુમુલ ડેરીનું બફેલો મિલ્કની એક અને છ લીટરની થેલી મળતી નથી. આ સાથે જ ઇલાયટની નાની અને સ્લીમ એન્ડ ટ્રીમ દૂધની નાની થેલી પણ મળતી નથી.જ્યારે વીતેલા ચારેક દિવસથી મસાલા છાસ પણ બજારમાંથી…

Read More

જામનગર, જામનગર શહેરમાં શેરબજારમાં થયેલા મોટા આર્થિક નુકસાનને કારણે એક યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય યુવાને શેરબજારના દેવા અને માનસિક તણાવના કારણે ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.આ બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, રાજપાર્ક વિસ્તારમાં ડિવાઇન હોસ્પિટલ પાછળ રહેતા દેવાંગભાઈ પ્રવીણભાઈ પોપટ (ઉં.૩૫) છેલ્લા છ મહિનાથી શેરબજારમાં ટ્રેડિંગનું કામ કરતા હતા. શેરબજારમાં સતત ખોટ જવાથી તેમને આશરે ૨૫ લાખ રૂપિયાનું માતબર નુકસાન થયું હતું.આ આર્થિક નુકસાનને ભરપાઈ ન કરી શકવાને કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં રહેતા હતા.ગત ૭ એપ્રિલના રોજ સાંજે…

Read More

દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ એકસાથે ૪૦૦થી વધુ મહેમાનોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે.ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકોમાં ઝાડા-ઊલટીની ફરિયાદ બાદ તાત્કાલિક સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર, સોમવારે (૨૦મી એપ્રિલ) સાંજે ૬ વાગ્યે અભલોડ ગામે યોજાયેલા લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે એકત્ર થયા હતા. જોકે, જમ્યાના થોડા જ સમયમાં અનેક લોકોને ગંભીર અસ્વસ્થતા અને ઝાડા-ઊલટી થવા લાગ્યા હતા.સ્થિતિ એટલી હદે વણસી હતી કે ગામમાં જ યુદ્ધના ધોરણે મેડિકલ કેમ્પ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા કરી હાકલ(પ્રતિનિધિ)ગોધરા, મહીસાગર જિલ્લાના સંતરામપુર સ્થિત પ્રતાપપુરા મેદાન ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારાર્થે આયોજિત જનસભાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધી હતી. તેમણે સંતરામપુરની ભૂમિ પરથી ગોવિંદ ગુરુ અને માનગઢના વીરોને વંદન કર્યા હતા આ પ્રસંગે તેમણે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ‘વિકાસ’ એ માત્ર શબ્દ નથી રહ્યો, પરંતુ ગુજરાતના જન-જનની જીવનશૈલી બની ગયો છે.મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ભાજપ સરકારની પારદર્શક નીતિઓને કારણે આજે ગુજરાતના ખૂણે-ખૂણે પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. ગામડે-ગામડે પાકા રસ્તા, વીજળી અને પાણીની સુવિધાઓ પહોંચી છે.…

Read More

હિંમતનગર-ઈડર નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી કરનાર વિરૂધ્ધ ભાજપે કાર્યવાહી કરીહિંમતનગર,સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર-ઈડર નગરપાલિકાની ચુંટણીમાં ભાજપની વિરૂધ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર ૧૦ કાર્યકરોને તાજેતરમાં પ્રદેશ ભાજપના આદેશ બાદ જિલ્લા સંગઠન દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેને લઈને જિલ્લામાં રાજકીય ગરમાવો શરૂ થયો છે.આ અંગે જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉથી જ પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્શ લેવાયા બાદ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા તેમ છતાં ઈડર નગરપાલિકાના વોર્ડ નં.૧માં ચાર, વોર્ડ નં.ર બે, વોર્ડ નં.૭માં ત્રણ તથા હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં.૬માં અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર ઉમેદવારને ભાજપે શનિવારે સસ્પેન્ડ કરીને તેની જાણ કરી દીધી છે.જિલ્લા…

Read More

ગીર પંથકમાં મધિયો, ઇયળ અને સોનમાખનો આતંકઅમરેલી, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તાર સહિત ગીર પંથકમાં પ્રખ્યાત કેસર કેરીના પાક પર વધુ એક આફત આવી છે. કમોસમી વરસાદના માર બાદ હવે જીવાતો અને રોગોના પ્રકોપે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ખાસ કરીને કેરીના પાકમાં મધિયો, ઇયળ અને સોનમાખ (ફ્રૂટ ફ્લાય) જેવા જીવજંતુઓના વધતા ઉપદ્રવને કારણે ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા છે.સ્થાનિક ખેડૂત મહેન્દ્રભાઈ વસોયાએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. કેરીને અંદરથી ખાઈ જતી ઇયળ અને ફ્રૂટ ફ્લાયના કારણે પાકને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. બહારથી કેરી સારી દેખાતી હોવા છતાં અંદરથી બગડી જતી હોવાને કારણે બજારમાં તેની કિંમત…

Read More

પ્રશાસનની લાલ આંખથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્ત્વોમાં ફફડાટચોટીલા, પવિત્ર યાત્રાધામ ચોટીલામાં નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના નેટવર્ક પર વહીવટી તંત્રએ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. ચોટીલાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચટી મકવાણા દ્વારા એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપીને સિટી પેલેસ હોટલ અને બાલાજી હોટલને એક વર્ષ માટે તાત્કાલિક અસરથી બંધ કરી તેનો કબજો સરકાર હસ્તક લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.વહીવટી તંત્રને મળેલી ચોક્કસ બાતમીના આધારે રચવામાં આવેલી સ્પેશિયલ ટીમ અને ડમી ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસમાં બહાર આવ્યું હતું કે, નેશનલ હાઈવે નં.૪૭ પર આવેલી દેવાભાઈ ભીખાભાઈ આલની માલિકીની સિટી પેલેસ હોટલ અને સંજયભાઈ અમુભાઈ ડાભીની…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગના ધંધા સામે એસ.ઓ.જી. પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવ તલાવડી નજીક જાહેર રોડ પર પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને કુલ રૂ. ૮૭,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે. જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી.માહિતી મુજબ, એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જી. વહોનીયા તથા તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેવ તલાવડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન બે રીક્ષામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપવામાં આવ્યા…

Read More