દર્દીઓને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી2,400થી વધુ મૅડિકલ પ્રૉસિજરનો સમાવેશ,PM-JAYયોજના હેઠળ1,981હોસ્પિટલ આવરી લેવાઈ
કેન્દ્રના સહયોગથી ગુજરાતે આયુષ્માન વીમા કવચ વધારીને વાર્ષિક₹૧૦ લાખ કર્યું : શ્રી પ્રફુલ પાનશેરીયા,આરોગ્ય રાજ્યમંત્રી,ગુજરાત
ગાંધીનગર, ગુજરાતમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ અત્યારસુધીમાં કુલ 2.79કરોડ આયુષ્યમાન કાર્ડધારકોને વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે,તેમ ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું છે. વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં પીએમજેવાય યોજના હેઠળ રાજ્યમાં કુલ1,981હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે,જેમાં1,112સરકારી અને869ખાનગી હોસ્પિટલનો સમાવેશ થાય છે. નોંધપાત્ર બાબત એ છે ક દર્દીઓને મહત્તમ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી યોજના અંતર્ગત2,400થી વધુ નાની-મોટી મેડિકલ પ્રોસિજર-સારવાર પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને12વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં આરોગ્યક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગેની વિગતો આપતા આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનસેરીયાએ જણાવ્યું કે,ગુજરાતે પીએમજેવાય અંતર્ગત સુરક્ષા વીમા કવચની રકમ રૂ.10લાખ કરી સમગ્ર દેશમાં સિમાચિહ્નરૂપ કામ કર્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર નાગરિકોને ઉત્તમ આરોગ્યસેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ‘PMJAYયોજના’ હેઠળ ગંભીર બીમારીઓની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. જેમાં હૃદય રોગની ૬ લાખથી વધુ સર્જરીના ક્લેઇમ અંતર્ગત લાભાર્થીઓને રૂ.૪,૨૫૨.૨૮ કરોડની સહાય-રકમ ચૂકવાઈ છે.. આ ઉપરાંત,૧૨ હજારથી વધુ દર્દીઓને કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ.૭૪.૬૫ કરોડ તેમજ ૭ લાખથી વધુ દર્દીઓને ડાયાલિસિસ માટે રૂ.૧,૪૬૫.૮૪ કરોડની સહાય-રકમ અપાઈ છે.
કેન્સરની સારવારમાં કીમોથેરાપી,સર્જીકલ ઓન્કોલોજી અને રેડિયેશન માટે ૧૭ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૪,૦૧૬.૪૨ કરોડની સહાય આપવામાં આવી છે. આરોગ્યસેવાથી કોઈ વંચિત ન રહે તેવા ધ્યેયમંત્ર સાથે કાર્યરત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે શ્રવણશક્તિની તકલીફ ધરાવતા124બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરીની સુવિધા પૂરી પાડી છે. જેનો અંદાજિત ખર્ચ રૂ.5કરોડ જેટલો થાય છે.

