ઑક્ટોબર2022થી મે2026સુધીમાં13કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી,
68.28કિમીના નેટવર્ક અને54 સ્ટેશનો સાથે અમદાવાદ મેટ્રો પરિયોજના બનીગુજરાતના આધુનિક જાહેર પરિવહનનું મજબૂત મૉડલ
અમદાવાદ, કનેક્ટિવિટી એ કોઈપણ શહેરની પ્રગતિનું માપદંડ છે. એક આધુનિક અને એકીકૃત પરિવહન માળખું વિકાસ,રોજગારી,પ્રવાસન અને લોકોના જીવનની ગુણવત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા12વર્ષ દરમિયાન દેશમાં કનેક્ટિવિટી અને પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યમાં વિશ્વસ્તરીય મેટ્રો નેટવર્કની પરિકલ્પના કરી હતી,જેનો ઉદ્દેશ ટ્રાફિકના દબાણમાં ઘટાડો,શહેરો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી અને કાર્યક્ષમ જાહેર પરિવહન વ્યવસ્થા દ્વારા શહેરી વિકાસને નવી ગતિ આપવાનો હતો.
આ વિઝનના પરિણામે આજે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા ઝડપી,સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1અને ફેઝ-2ના સફળ અમલીકરણ બાદ68.28કિલોમીટર લાંબા નેટવર્ક અને54સ્ટેશનો સાથે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો આજે લાખો નાગરિકોના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે.AMC, GMC, AMTS, BRTS, RAILWAYSજેવી સ્થાનિક સંસ્થાઓ સાથે મજબૂત સંકલન દ્વારા મુસાફરોને છેલ્લા માઇલ સુધી કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં200થી વધુ બસો મેટ્રોના સ્ટેશનોથી પસાર થાય છે.
*મેટ્રોને મળ્યો જનવિશ્વાસનો સાથ: દૈનિક મુસાફરોની સંખ્યા1.6લાખ સુધી પહોંચી*
ગુજરાત સરકારના ‘ઇઝ ઑફ લિવિંગ’ના મંત્રને સાકાર કરતું68.28કિમી લાંબું મેટ્રો રેલ નેટવર્ક અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોની સુવિધામાં વધારો કરવાની સાથે સમયની બચત પણ કરી રહ્યું છે. પરિણામે આજે લાખો મુસાફરો મેટ્રો સેવાનો લાભ લઈ રહ્યા છે. વર્ષ2023માં સરેરાશ દૈનિક69હજાર મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો હતો.
આ આંકડો વધીને વર્ષ2024માં1.01લાખ અને વર્ષ2025માં1.33લાખ સુધી પહોંચ્યો હતો. વર્ષ2026ના મે મહિના સુધીમાં દૈનિક મુસાફરોની સંખ્યા1.53લાખ સુધી પહોંચી છે. આ દર્શાવે છે કે અમદાવાદ-ગાંધીનગરના નાગરિકો માટે મેટ્રો આજે માત્ર એક પરિવહનનું માધ્યમ જ નહીં,પરંતુ ઝડપી,કિફાયતી અને વિશ્વસનીય મુસાફરી માટે પસંદગીનો વિકલ્પ બની ગઈ છે.
*ઑક્ટોબર2022થી મે2026સુધીમાં13કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી*

