અમદાવાદ: અમદાવાદ શહેરમાં સતત વધતા જતા વાહનોના ભારણ અને રોજબરોજ થતા અકસ્માતોની સમસ્યાના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા શહેરીજનોને ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી મુક્તિ અપાવવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક નવો ભવ્ય આઉટર રિંગ રોડ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.આ મહત્વાકાંક્ષી અને આધુનિક પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા ૨૨૦૦ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે. ઓથોરિટીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવા રિંગ રોડના નિર્માણનું કામ ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થઈ જવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં અમદાવાદમાં રિંગ રોડના ત્રીજા અને આખરી તબક્કાની કામગીરી શરૂ…
Author: gujarat
યોજનાના બીજા તબક્કા (2021-22)માં સમગ્ર દેશમાં32.35લાખ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા,જેમાં ગુજરાતે રેકોર્ડ18.50લાખ કાર્ડ તૈયાર કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવીરાજ્યમાં14,900ડ્રોન ફ્લાઇટ્સ દ્વારા11,511ગામોનું સચોટ મૅપિંગ અને પ્રમોલગેશન પૂર્ણ કરવામાં આવ્યુંગુજરાતમાં મહેસાણા (1.66લાખ) તથા અમદાવાદ (1.53લાખ) જિલ્લાઓ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આગળપ્રોપર્ટીકાર્ડથી ગામડાંઓમાં આર્થિક સશક્તિકરણના નવા દ્વાર ખુલ્યા;₹50 લાખ સુધીની બૅન્ક લોનનીસુવિધાથી ગ્રામ્ય ઉદ્યોગસાહસિકતાને નવી ગતિ મળીગાંધીનગર,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા12વર્ષોમાં કેન્દ્ર સરકારે ગ્રામીણ સશક્તિકરણની દિશામાં ઐતિહાસિક પહેલો હાથ ધરી છે,જેમાં ‘પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના’ એક સીમાચિહ્નરૂપ યોજના તરીકે ઊભરી છે. દાયકાઓ સુધી ગામડાઓમાં રહેણાંક મિલકતોના કાનૂની દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનો પોતાના જ ઘર-મિલકતના કાનૂની અધિકારો તેમજ વિવિધ આર્થિક લાભોથી વંચિત રહેતા હતા.આજે…
સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કર્યા- દુર્ઘટના સ્થળે પરિવારજનોની ભાવુક હાજરીઅમદાવાદ, પ્રથમ વર્ષગાંઠે મૃતકોને યાદ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લાગણીસભર વાતાવરણ વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અકસ્માતનો ભોગ બનતા સેંકડો પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આજે આ કરુણ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પીડિત પરિવારો માટે સમયનો આ અંતરાલ પણ તેમના ઘાવોને ભરી શક્યો નથી. પ્રથમ વર્ષગાંઠે મૃતકોને યાદ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લાગણીસભર વાતાવરણ વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં…
ગોરા-ઘૂમા રોડ અંડરબ્રિજ (RUB)ને ટૂંક સમયમાં સામાન્ય જનતા માટે સમર્પિત કરવા અંગે ચર્ચા -આંબલી રોડ સ્ટેશન આસપાસ આવેલી રેલવે જમીનના યોગ્ય વિકાસ માટે મેયરે સૂચનો કર્યાઅમદાવાદના સર્વાંગી વિકાસ અને રેલવે માળખાકીય સુદૃઢીકરણને લઈને જનપ્રતિનિધિઓ અને રેલવે અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠકસ્ટેશન પુનર્વિકાસ, ‘ફાટક મુક્ત ગુજરાત’ તથા મુસાફર સુવિધાઓના વિસ્તરણ અંગે વ્યાપક ચર્ચાઅમદાવાદના સર્વાંગી વિકાસ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢીકરણ તથા નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી 12 જૂન, 2026ના રોજ અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ, અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશ મકવાણા, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશ પટેલ તથા દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિક જૈને મંડળ રેલ પ્રબંધક કચેરી ખાતે મંડળ રેલ…
કાર, બાઈક અને વ્હેલ વોમિટ સહિત રૂ.૬૬.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર વન વિભાગની ટીમે લાખો રૂપિયાની પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટી સાથે ૩ આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.અંકલેશ્વર વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતાં દ્ગૐ-૪૮ પર નર્મદા ગેટ નજીકથી આશરે ૬૫ લાખ કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી- એમ્બરગ્રીસ કબ્જે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ પ્રતિબંધિત પદાર્થ ભાવનગરથી લાવવામાં આવ્યો હતો અને તેનો સોદો થાય તે પહેલાં જ વન વિભાગે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. મળેલી બાતમીના આધારે વન વિભાગે આરોપીઓ…
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માના અંબાજી હાઈવે પર આવેલ ચાડા ગામ પાસે અંબાજી હાઈવે પર સવારે એક સિમેન્ટ ભરેલી ટ્રક અને પેસેન્જર મિની લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મિની લક્ઝરીમાં સવાર કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા,જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત ચાડા ગામની દૂધ ડેરી પાસે થયો હતો. અકસ્માતમાં સામેલ વાહનોમાં મિની બસ લક્ઝરી ગાડી નંબર ૯૨૬૧ અને ટેમ્પો (ટ્રક) નંબર ૩૬૯૭ નો સમાવેશ થાય છે.ઘાયલોમાં મધુબેન ખુશાલદાસ સોનયા (ઉંમર ૪૯), નાંદની ખુશાલદાસ સોનયા (ઉંમર ૨૪) અને ગોધરાના મોહિનીબેનઅને ગોધરાના મોહિનીબેન જેઠવાની (ઉંમર ૭૪) નો સમાવેશ થાય છે.આ ત્રણ લોકોને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે…
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા તાલુકા ના રઢુ માં આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા એક મહિલાના બંધ ઘરમાંથી ચોર ઈસમ લોખંડની જાળી તથા દરવાજાના નકૂચા ખોલી, લાકડાના કબાટનું તાળું તોડી આશરે રૂ.૩,૫૫,૦૦૦ ની કિંમતના સાડા ત્રણ તોલા સોનાના દાગીના ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.મળતી માહિતી મુજબ ખેડા ના રઢુ માં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા વસંતબેન વિરભદ્રસિંહ વાઘેલા નામના ૭૫ વર્ષીય વિધવા મહિલા ગત તારીખ ૦૯/૦૬/૨૦૨૬ ના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે પોતાના ઘરમાં સોનાના દાગીના લાકડાના કબાટમાં મૂકી, કબાટને તાળું લગાવી નાહવા-ધોવા તેમજ પૂજા પાઠ કરવા ગયા હતા. ત્યારબાદ બપોરે અગિયાર વાગ્યાના સુમારે નજીકમાં આવેલી દુકાને શાકભાજી…
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ રાયોટિંગના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.મળતી માહિતી મુજબ, પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને બાતમીદારોના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ દરમિયાન એસ.ઓ.જી.ના પો.સ.ઇ. એ. આર. તડવી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. શંકરસિંહ સજ્જનસિંહને બાતમી મળી હતી કે ગોધરા ટાઉન બી ડિવિઝન…
(પ્રતિનિધિ) નડિયાદ, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે બાતમીના આધારે વસોના વલેટવા ગામની સીમમાં કેનાલ પાસે દરોડો પાડી ખેડા જિલ્લા પંચાયત ના સભ્ય અને નડિયાદના આખડોલ ગામના પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદ પરમાર સહિતની બુટલેગર ત્રિપુટીનો રૂપિયા ૫,૦૭,૬૪૪ની કિંમતનો ૧,૦૩૩ નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.રાજકીય આલમમાં ભારે ચકચાર મચાવનારા આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી એક સાગરીતની અટકાયત કરી કુલ રૂપિયા ૫,૧૭,૬૪૪નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે મુખ્ય આરોપી જિલ્લા પંચાયત સભ્ય સહિતની બુટલેગર ત્રિપુટી ફરાર થઈ ગઈ છે.જેને પકડવા પોલીસ કામે લાગી છે.મળતી માહિતી. મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની પોલીસ ટીમને ગઈકાલે મધ્યરાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી…
