Author: gujarat

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)દ્રારા તેની ૨૪મી વાર્ષિક એચઆર કોન્ફરન્સનું“હ્યુમન એન્ડ એઆઈ–ઈન્ટેલિજન્સ ઈન ટ્રાન્ઝિશન: સ્ટ્રક્ચરિંગ ધ ફ્યુચર ઓફ વર્ક”થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત એચઆર પ્રોફેશનલ્સ,વૈશ્વિક વિચારકો,અનુભવી એચઆર એક્ઝિક્યુટિવ્સ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ જોડાયા હતા,જેમણે માનવ મૂડી (હ્યુમન કેપિટલ) અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના બદલાતા પ્રવાહો પર અમૂલ્ય વિચારો રજૂ કર્યા હતા.કોન્ફરન્સની શરૂઆત એએમએના વાઇસ પ્રેસિડેન્ટ અને અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડના સીઈઓ શ્રી મોહલ સારાભાઈ દ્રારા પ્રેરણાદાયી સ્વાગત પ્રવચનથી થઈ હતી. મુખ્ય અતિથિ ઝાયડેક્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. અજય રાન્કાએ “એઆઈ અને રોબોટિક્સના યુગમાં વૈશ્વિક સ્તરે પ્રાસંગિક સંસ્થાઓની રચના” વિષય પર ઉદ્બોધન પ્રવચન આપ્યું હતું. યુનિવર્સિટી ઓફ…

Read More

રમતમાં થયેલી એક નાની ભૂલ બની જીવનની સૌથી મોટી કસોટીસાબુ બનાવવાના કેમિકલના એક ઘૂંટડાથી 3 વર્ષના બાળકે ગુમાવી અન્નનળીઃ સિવિલના ડોક્ટરે આપ્યું નવજીવનસાબુ બનાવવાના કેમિકલના એક ઘૂંટડાથી ગુમાવી અન્નનળી,સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડૉક્ટરોએ જટીલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી કરી જોધપુર રાજસ્થાન ના ૩ વર્ષના અયાનને આપ્યું નવજીવનઘરમાં વપરાતા એસિડ,ક્ષાર,સાબુ બનાવવા માટેના કેમિકલ,ફિનાઈલ,ટોયલેટ ક્લીનર અને અન્ય ઝેરી પદાર્થો બાળકોની પહોંચથી દૂર,બંધ કબાટમાં રાખવા અત્યંત જરૂરી:- ડો. રાકેશ જોષીનાનાં બાળકોની જિજ્ઞાસા ઘણી વખત ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આવી જ એક ગંભીર અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે,જેમાં ઘરે રમત રમતા સાબુ બનાવવા માટે વપરાતા કેમિકલનું પાણી પી જવાથી માત્ર ત્રણ…

Read More

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સતત વધતા જતા વાહનોના ભારણ અને રોજબરોજ થતા અકસ્માતોની સમસ્યાના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા શહેરીજનોને ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી મુક્તિ અપાવવા અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક નવો ભવ્ય આઉટર રિંગ રોડ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.આ મહત્વાકાંક્ષી અને આધુનિક પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા ૨૨૦૦ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે. ઓથોરિટીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવા રિંગ રોડના નિર્માણનું કામ ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થઈ જવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં અમદાવાદમાં રિંગ રોડના ત્રીજા અને આખરી તબક્કાની કામગીરી શરૂ…

Read More

યોજનાના બીજા તબક્કા (2021-22)માં સમગ્ર દેશમાં32.35લાખ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા,જેમાં ગુજરાતે રેકોર્ડ18.50લાખ કાર્ડ તૈયાર કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવીરાજ્યમાં14,900ડ્રોન ફ્લાઇટ્સ દ્વારા11,511ગામોનું સચોટ મૅપિંગ અને પ્રમોલગેશન પૂર્ણ કરવામાં આવ્યુંગુજરાતમાં મહેસાણા (1.66લાખ) તથા અમદાવાદ (1.53લાખ) જિલ્લાઓ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આગળપ્રોપર્ટીકાર્ડથી ગામડાંઓમાં આર્થિક સશક્તિકરણના નવા દ્વાર ખુલ્યા;₹50 લાખ સુધીની બૅન્ક લોનનીસુવિધાથી ગ્રામ્ય ઉદ્યોગસાહસિકતાને નવી ગતિ મળીગાંધીનગર,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા12વર્ષોમાં કેન્દ્ર સરકારે ગ્રામીણ સશક્તિકરણની દિશામાં ઐતિહાસિક પહેલો હાથ ધરી છે,જેમાં ‘પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના’ એક સીમાચિહ્નરૂપ યોજના તરીકે ઊભરી છે. દાયકાઓ સુધી ગામડાઓમાં રહેણાંક મિલકતોના કાનૂની દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનો પોતાના જ ઘર-મિલકતના કાનૂની અધિકારો તેમજ વિવિધ આર્થિક લાભોથી વંચિત રહેતા હતા.આજે…

Read More

સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને યાદ કર્યા- દુર્ઘટના સ્થળે પરિવારજનોની ભાવુક હાજરીઅમદાવાદ, પ્રથમ વર્ષગાંઠે મૃતકોને યાદ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લાગણીસભર વાતાવરણ વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્‌લાઇટ અકસ્માતનો ભોગ બનતા સેંકડો પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્‌યો હતો. આજે આ કરુણ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પીડિત પરિવારો માટે સમયનો આ અંતરાલ પણ તેમના ઘાવોને ભરી શક્યો નથી. પ્રથમ વર્ષગાંઠે મૃતકોને યાદ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લાગણીસભર વાતાવરણ વચ્ચે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં…

Read More

ગોરા-ઘૂમા રોડ અંડરબ્રિજ (RUB)ને ટૂંક સમયમાં સામાન્ય જનતા માટે સમર્પિત કરવા અંગે ચર્ચા -આંબલી રોડ સ્ટેશન આસપાસ આવેલી રેલવે જમીનના યોગ્ય વિકાસ માટે મેયરે સૂચનો કર્યાઅમદાવાદના સર્વાંગી વિકાસ અને રેલવે માળખાકીય સુદૃઢીકરણને લઈને જનપ્રતિનિધિઓ અને રેલવે અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠકસ્ટેશન પુનર્વિકાસ, ‘ફાટક મુક્ત ગુજરાત’ તથા મુસાફર સુવિધાઓના વિસ્તરણ અંગે વ્યાપક ચર્ચાઅમદાવાદના સર્વાંગી વિકાસ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢીકરણ તથા નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી 12 જૂન, 2026ના રોજ અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ, અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશ મકવાણા, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશ પટેલ તથા દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિક જૈને મંડળ રેલ પ્રબંધક કચેરી ખાતે મંડળ રેલ…

Read More

કાર, બાઈક અને વ્હેલ વોમિટ સહિત રૂ.૬૬.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર વન વિભાગની ટીમે લાખો રૂપિયાની પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટી સાથે ૩ આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.અંકલેશ્વર વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતાં દ્ગૐ-૪૮ પર નર્મદા ગેટ નજીકથી આશરે ૬૫ લાખ કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી- એમ્બરગ્રીસ કબ્જે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ પ્રતિબંધિત પદાર્થ ભાવનગરથી લાવવામાં આવ્યો હતો અને તેનો સોદો થાય તે પહેલાં જ વન વિભાગે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. મળેલી બાતમીના આધારે વન વિભાગે આરોપીઓ…

Read More

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્માના અંબાજી હાઈવે પર આવેલ ચાડા ગામ પાસે અંબાજી હાઈવે પર સવારે એક સિમેન્ટ ભરેલી ટ્રક અને પેસેન્જર મિની લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મિની લક્ઝરીમાં સવાર કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા,જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત ચાડા ગામની દૂધ ડેરી પાસે થયો હતો. અકસ્માતમાં સામેલ વાહનોમાં મિની બસ લક્ઝરી ગાડી નંબર ૯૨૬૧ અને ટેમ્પો (ટ્રક) નંબર ૩૬૯૭ નો સમાવેશ થાય છે.ઘાયલોમાં મધુબેન ખુશાલદાસ સોનયા (ઉંમર ૪૯), નાંદની ખુશાલદાસ સોનયા (ઉંમર ૨૪) અને ગોધરાના મોહિનીબેનઅને ગોધરાના મોહિનીબેન જેઠવાની (ઉંમર ૭૪) નો સમાવેશ થાય છે.આ ત્રણ લોકોને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા તાલુકા ના રઢુ માં આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા એક મહિલાના બંધ ઘરમાંથી ચોર ઈસમ લોખંડની જાળી તથા દરવાજાના નકૂચા ખોલી, લાકડાના કબાટનું તાળું તોડી આશરે રૂ.૩,૫૫,૦૦૦ ની કિંમતના સાડા ત્રણ તોલા સોનાના દાગીના ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.મળતી માહિતી મુજબ ખેડા ના રઢુ માં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા વસંતબેન વિરભદ્રસિંહ વાઘેલા નામના ૭૫ વર્ષીય વિધવા મહિલા ગત તારીખ ૦૯/૦૬/૨૦૨૬ ના રોજ સવારના દશેક વાગ્યાના સુમારે પોતાના ઘરમાં સોનાના દાગીના લાકડાના કબાટમાં મૂકી, કબાટને તાળું લગાવી નાહવા-ધોવા તેમજ પૂજા પાઠ કરવા ગયા હતા. ત્યારબાદ બપોરે અગિયાર વાગ્યાના સુમારે નજીકમાં આવેલી દુકાને શાકભાજી…

Read More