Author: gujarat

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ઇંડા આધારિત વાનગીઓના પાત્રમાં જ વેજીટેરિયન વાનગીઓ બનાવવામાં આવતાં વિવાદ ઉભો થયો‘પ્યોર વેજ’ કેન્ટીનના નામે નોન-વેજ પીરસાતું હોવાની ફરિયાદઅમદાવાદ, અમદાવાદની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોલેજ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં ઇંડા આધારિત વાનગીઓ બનાવવામાં આવતી હોવાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, કેન્ટીન શરૂ કરતી વખતે તેને ‘પ્યોર વેજીટેરિયન’ તરીકે જાહેર કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા તેનાથી સાવ વિપરીત છે. એટલું જ નહી કોલેજ સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં છેવટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સમક્ષ ફરિયાદ કરીને તાકીદે સમસ્યાના નિવારણની માંગણી કરવામાં આવી છે.જો વહેલીતકે આ સમસ્યાનો…

Read More

શહેરમાં વધુ એક ઠગાઈ સામે આવીક્યુઆર કોડ સ્કેન કરાવતા ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શનમાં મોટી રકમ ઉપડી ગઈ, એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાઈઅમદાવાદ, શહેરમાં સાયબર ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સરદારનગર વિસ્તારમાં ફૂડનો વ્યવસાય કરતા એક વેપારી ઓનલાઈન ફૂડ ઓર્ડરના બહાને ઠગાઈનો શિકાર બન્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા શખ્સે મોટી સંખ્યામાં ફૂડ ઓર્ડર આપવાની વાત કરી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં QR કોડ તથા લિંક મોકલી છેતરપિંડી આચરી તેમના બેંક ખાતામાંથી કુલ ૩.૧૮ લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.સરદારનગર વિસ્તારમાં રહેતા અને એરપોર્ટ નજીક ફૂડનો વ્યવસાય…

Read More

રેલ્વે,પેટ્રોલિયમ,પેટ્રોકેમિકલ્સ,કેમિકલ્સ,કોપર ઉદ્યોગો અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં કંપનીનો બહોળો અનુભવવડોદરા, વિવિધ હાય-ફેબ પ્રાઈવેટ લિમિટેડ (Vividh Hi-Fab Private Limited)કલ્પક્કમ ખાતેના દેશના પ્રતિષ્ઠિત ૫૦૦ મેગાવોટ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR)પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને,ભારતના વધતા જતા સ્વદેશી ડિઝાઇન,ફેબ્રિકેશન,નિરીક્ષણ,પરીક્ષણ અને પરમાણુ ઉપકરણોના કમિશનિંગની ક્ષમતાનું એક ગૌરવશાળી પ્રતીક બનીને ઉભરી છે. ભારતની ત્રિ-સ્તરીય પરમાણુ ઇંધણ ચક્ર પ્રક્રિયા હેઠળ વિકસિતPFBRપ્રોજેક્ટ,રાષ્ટ્રની લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા અને અદ્યતન પરમાણુ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા માટે એક મોટું સીમાચિહ્નરૂપ છે.૧૯૮૩માં ભાગીદારી પેઢી તરીકે સ્થાપિત,વિવિધ હાય-ફેબ કંપનીએ વડોદરાનાGIDCમકરપુરા ખાતે આધુનિક ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અદ્યતન એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવાના વિઝન સાથે તેની સફર શરૂ કરી હતી. વર્ષો જતાં,કંપની પ્રાઈવેટ લિમિટેડમાં રૂપાંતરિત થઈ અને ભારતની…

Read More

છેલ્લા10વર્ષમાં ટેકાના ભાવે₹65,570કરોડના મૂલ્યની1.05કરોડ મેટ્રિક ટન ઉપજની ખરીદી થઈએક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ,વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ (MSP)હેઠળ ખરીદી વ્યવસ્થામાં કરાયેલા સુધારાઓએ ગુજરાતના લાખો ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ “ખેતી ખર્ચના દોઢ ગણા ભાવ” આપવાની નીતિ અમલમાં આવતા ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળવા લાગ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને ખેતી વધુ નફાકારક બની છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તથા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ટેકાના…

Read More

રવિવારે સવારે ૬.૩૦ કલાકે જયારે બધા આ ઇવેન્ટમાં પહોંચ્યા ત્યારે તેમને ભારે અવ્યવસ્થાનો અનુભવ થયો.ગુજરાતીમાં એક કહેવત છે કે ‘કોડે મુઆ(મર્યા) ને કુતરે તાણ્યા’ આ કહેવતને સાચી પાડે એવો અનુભવ ગાંધીનગરના સાયકલ પ્રેમીઓને ગત તા. ૩જી જુનને બુધવારે ‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે થયો.બન્યુ એવું કે કેન્દ્ર સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા “ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત ‘માય ભારત’ (એટલે કે અગાઉનું નહેરુ યુવા કેન્દ્ર) અને સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(સાઈ)ના સંયુક્ત નેજા હેઠળ ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે સાયકલોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચાલુ દિવસ હોવાથી ઓછો રિસ્પોન્સ મળતા ઇવેન્ટ તા.૭મી જુન રવિવારે ખસેડવામાં આવી હતી. આ માટે ‘માયૈ…

Read More

(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર-૭ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વર્ષોથી સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરાયેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને પાણી નિકાલના વિકાસકાર્યોનું હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી.વોર્ડની વિવિધ સોસાયટીઓમાં દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલા પાણી નિકાલના કામો હાલ પ્રગતિ હેઠળ છે.ચોમાસું નજીક હોવાથી કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે ધારાસભ્ય વી.ડી.ઝાલાએ સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી હતી.અને જણાવ્યું હતું કે નાગરિકોની સુવિધા…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદના પારસ સર્કલ ખાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ લોકપ્રશ્નો મુદ્દે વ્યાપક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દ્ગઈઈ્‌ પરીક્ષાની ગેરરીતિઓ, વધતી મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી તેમજ અમૂલ દાણ અને પશુ આહારના ભાવવધારા સામે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈને સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.નડિયાદમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં મહિલા કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ રસ્તા પર ‘મોંઘવારીનો ગરબો’ રમીને સરકારની નીતિઓ સામે પ્રહારો કર્યા હતા.ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પારસ સર્કલથી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી મોંઘવારીની લારી સાથે એક વિશાળ રેલી યોજી હતી. આ રેલીના અંતે…

Read More

ટ્રેન ઉપડવાના ૪ કલાક પહેલાં ફાઈનલ રિઝર્વેશન ચાર્ટ તૈયાર થતો હોય છે ત્યારે ઘણી સીટો ખાલી રહેતી હોય છે(એજન્સી)નવી દિલ્હી, ટ્રેનની મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે કન્ફર્મ ટિકિટ મેળવવી એ કોઈ લોટરી લાગવા બરાબર છે. તહેવારો કે વેકેશનના સમયે ટ્રેનમાં રિઝર્વેશન કરાવેલું હોય અને ટિકિટ વેઈટિંગ લિસ્ટમાં જ અટકી પડી હોય ત્યારે મુસાફરોની ચિંતાનો પાર નથી રહેતો. જોકે, હવે વેઈટિંગ લિસ્ટના કારણે મૂંઝવણમાં મુકાયેલા મુસાફરોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી.ભારતીય રેલવેની એક ખાસ સુવિધા અંતર્ગત ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલાં પણ કન્ફર્મ સીટ મળી શકે છે. રિઝર્વેશન ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ પણ ટ્રેનમાં કયા કોચમાં અને કઈ બર્થ (સીટ)…

Read More

ટૂંક સમયમાં શરૂ થશે બીકાનેર–સાબરમતી નવી ટ્રેન સેવા -રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ લીલી ઝંડી આપશે.ગુજરાત અને રાજસ્થાનના લોકોને ટૂંક સમયમાં એક નવી રેલ સેવા ની ભેટ મળવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં અમદાવાદ (સાબરમતી)–બીકાનેર (લાલગઢ) એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ નવી રેલ સેવા અમદાવાદ અને બીકાનેર વચ્ચે સીધી, ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે.આ નવી એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ ભારતના બે મહત્વપૂર્ણ પ્રવાસન ક્ષેત્રોને પરસ્પર જોડશે. હવે ગુજરાતના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ, મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાણીની વાવ અને અમદાવાદની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિનો આનંદ માણવો હોય કે રાજસ્થાનના ભવ્ય જૂનાગઢ કિલ્લો, કરણી માતા મંદિર, લાલગઢ પેલેસ તેમજ…

Read More