અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે લગ્નપ્રસંગ જેમ ઢોલ-શરણાઈ સાથે મત આપવા નીકળ્યા ગ્રામજનો(એજન્સી)અમરેલી, હાલ લોકશાહીના મહાપર્વ નિમિત્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૨૬મી એપ્રિલે આખા ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે એક અત્યંત પ્રેરણાદાયક અને અનોખો નજારો રજૂ કર્યો છે.સામાન્ય રીતે ચૂંટણી એટલે વ્યૂહરચના અને રાજકીય ગરમાવો માનવામાં આવે છે, પરંતુ મોટા આંકડિયાના ગ્રામજનોએ તેને ખરા અર્થમાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણી તરીકે સ્થાપિત કરી છે.ગામમાં વહેલી સવારથી જ વાતાવરણ કોઈ લગ્નપ્રસંગ કે મોટા મહોત્સવ જેવું જ સર્જાયું હતું. આ અનોખી ઉજવણીની વિશેષતા એ હતી કે મતદારો માત્ર મતદાન મથક સુધી ચાલીને જવાને બદલે ઢોલ અને…
Author: gujarat
કેન્દ્ર ગૃહમંત્રી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે મતદાન કરવા માટે રવિવારે અમદાવાદ આવી પહોંચ્યાં હતા.-મતદાન કર્યાં બાદ અમિત શાહે કામેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કર્યાં હતા.(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં રવિવારે સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન રાજકીય આગેવાનોએ પણ મતાધિકારનો ઉપયોગ કરીને મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી.ગુજરાતના મુખ્યમંત્રીએ અમદાવાદના શીલજમાં આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા માટે અમદાવાદ આવ્યાં હતા. તેમજ પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા મતદાન મથક ઉપર મતદાન કર્યું હતું.તેમજ બંને મહાનુભાવોએ મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી.અમિત…
બોલેરો પીકઅપમાં માછીમારીની જાળ અને પાંચ જેટલા ગેસના ખાલી સિલિન્ડર ભરેલા હતા. આ સામાનની ઉપર આશરે ૧૫ જેટલા શ્રમિકો સૂતા હતા.રાજકોટ, રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલની ગુંદાળા ચોકડી પાસે ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી જેતપુર તરફ જઈ રહેલી બોલેરો પીકઅપનું ટાયર ફાટતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે ગાડી બ્રિજની દીવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડી ઉપર સૂતેલા શ્રમિકો નીચે રોડ પર પટકાતા બે શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.મળતી માહિતી અનુસાર, બોલેરો પીકઅપમાં માછીમારીની જાળ અને પાંચ જેટલા ગેસના ખાલી સિલિન્ડર ભરેલા હતા. આ સામાનની ઉપર…
કેટલાંક સ્થળે અપૂરતી વ્યવસ્થાથી મતદારોના પાણી માટે વલખાં(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં રવિવારે તા. 26-04-2026ના રોજ એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હતો, તો બીજી તરફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હતા. રાજ્યમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીની નજીક પહોંચતા જનજીવન પ્રભાવિત થયું હતું. આ કાળઝાળ ગરમી અને ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં ત્રણ અલગ-અલગ કરુણ ઘટનાઓ સામે આવી છે.જામનગરમાં ‘આપ’ના ઉમેદવાર, પેટલાદમાં ચૂંટણી ફરજ પરના કર્મચારી અને પાટણમાં એક વૃદ્ધાનું હાર્ટ એટેકથી નિધન થતા ચૂંટણીના પર્વ વચ્ચે ગમગીની વ્યાપી ગઈ છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ વચ્ચે આમ આદમી પાર્ટી (આપ) માટે માઠા સમાચાર આવ્યા હતા.વોર્ડ નંબર-૩ના યુવા ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું માત્ર ૩૮ વર્ષની વયે હાર્ટ…
૯ વર્ષની ઉંમરે કેવી રીતે બંને હાથ ગુમાવ્યા? ચૂંટણીમાં વાડજના દિવ્યાંગ મનજીભાઈ રામાણી પગની આંગળીથી મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવે છેઅમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે. જોકે મતદાનની આ પ્રક્રિયામાં હજુ પણ ઘણા મતદાન મથકો પર મતદારોનો ધસારો જોવા મળતો નથી, ત્યારે અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા મનજીભાઈ રામાણીએ લોકશાહીના પર્વમાં મતદાનનો અનોખો મેસેજ આપ્યો છે.પોતે બે હાથથી દિવ્યાંગ હોવા છતાં તેઓએ મતદાન મથકે પહોંચી કિંમતી વોટ આપ્યો હતો અને હાથ ન હોવાથી મતદાન મથકમાં તેમના ડાબા પગની આંગળીએ શાહીનું નિશાન કરાવવામાં આવ્યું હતું.મળતી માહિતી મુજબ, અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા આ દિવ્યાંગ મનજીભાઈ છેલ્લા ૩૫ વર્ષથી…
પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા હતાપુત્રને ડૂબતો જોઈ પિતા પણ પાણીમાં કૂદ્યા હતા, પરંતુ કમનસીબે ઊંડા પાણી અને કાદવને કારણે પિતા પણ પુત્રના મોત થયાકચ્છ,કચ્છ જિલ્લાના આદિપુર પાસે આવેલા શિણાય નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ભેડિયામાં પાણીથી ભરેલા એક ઊંડા ખાડામાં ડૂબી જવાથી પિતા અને પુત્રના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે ૨૨ વર્ષીય પુત્ર અચાનક પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. પુત્રને ડૂબતો જોઈ પિતા પણ પાણીમાં કૂદ્યા હતા, પરંતુ કમનસીબે ઊંડા પાણી અને કાદવને કારણે પિતા પણ પુત્રના મોત થયા.મળતી માહિતી અનુસાર, ૨૪ એપ્રિલ સાંજે ૪ વાગ્યા આસપાસ દુર્ઘટના બની હતી.…
કોર્ટે આરોપીઓને બે-બે લાખનો દંડ પણ કર્યાેકેસમાં પાછળથી ધરપકડ કરાયેલા જામ સલાયાના અમીન કરીમ સુરાણીને નિર્દાેષ ઠેરવી છોડી મૂકાયો જામનગર,પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ વતી ફિશિંગ બોટમાં ભારતમાં ક રોડોની કિંમતના હેરોઇનની ડિલિવરી આપવા આવતા ATSના હાથે ઝડપાઈ ગયેલા ૬ પાકિસ્તાનીઓને ભુજ NDPS કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આ ચુકાદામાં નોંધ્યું હતું કે ભારતના યુવાનોને નિશાન બનાવી ગંભીર વ્યસનમાં ધકેલવાનું કાર્ય સામાન્ય કૃત્ય ગણી શકાય નહીં. આ કાવતરું ભારતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો સપ્લાય કરી રાષ્ટ્રીય માળખાને નબળું પાડવાની સુનિયોજિત વ્યૂહરચનાનો એક ભાગ હતું.સજા પામનારા પાકિસ્તાનીઓમાં મોહમ્મદ ઇમરાન મોહમ્મદ તારીક વાઘેર (ઉ.૩૧), દાનિસ મોહમ્મદ હુસેન કચ્છી વાઘેર (ઉ.વ. ૨૪),…
તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા સીસ્ટમનો લોચો કે અધિકારીઓની આળસ? અશોક ચૌધરીએ પાંચ વાર ફોર્મ ભર્યાં, પાંચેય વાર મંજૂર થઈ ગયા!સુરત,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને ચૂંટણી શાખાની એક ગંભીર બેદરકારી સામે આવી છે. મગદલ્લા વોર્ડ નંબર ૨૨ની મતદારયાદીમાં એક જ વ્યક્તિનું નામ પાંચ અલગ-અલગ જગ્યાએ નોંધાયેલું જોવા મળતા સમગ્ર તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઈઇર્ં કક્ષાએ થયેલી આ પાંચ ગણી ભૂલને સુધારવાને બદલે પાલિકાના અધિકારીઓએ પણ આંખ આડા કાન કરીને તેને યથાવત રાખી છે. પરિણામે, વોર્ડ નંબર ૨૨ની યાદીમાં અશોક ચૌધરીનું નામ પાંચ વાર ચમક્યું છે.શહેરના અન્ય વિસ્તારોમાં પણ…
મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાંચે એક ચોંકાવનારા કિસ્સામાં ૨૯ વર્ષીય શાદિક જાવર અને તેના ૨૨ વર્ષીય સાથીદાર નૌશાદ મિઠાનીની ધરપકડ કરી છે. આ બંને પર ૨૦ એપ્રિલના રોજ મુંબઈના નાગપાડા વિસ્તારમાં ૭૮ વર્ષીય ઈકબાલ ઈબ્રાહિમ સેલિયાની હત્યા કરવાનો આરોપ છે.તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આ ઘટના પાછળનું કારણ વર્ષો જૂનો બદલો છે:
કચ્છ, ભુજના ચકચારી સાક્ષી ખાનિયાની હત્યા કેસમાં ભુજ કોર્ટે માત્ર ૮ મહિનામાં જ મોટો ચુકાદો આપી કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, પ્રેમ પ્રકરણ મામલે સાક્ષી ખાનિયાને મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોર નામના બે શખ્સોએ ગત ૨૮ ઓગસ્ટના ૨૦૨૫ના રોજ ભુજની સંસ્કાર કોલેજની બહાર સરાજાહેરમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.જે મામલે ભુજમાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ભુજના છાત્રોએ કેન્ડલ સાથે રેલી યોજીને સાક્ષીને ન્યાય મળે તે માટે રેલી યોજી હતી. આ મામલે કોર્ટે આરોપી મોહિત સિદ્ધપુરા અને જયેશ ઠાકોરને કસૂરવાર ઠેરવ્યા છે અને બંને આરોપીઓને કોર્ટે આજીવન કારાવાસની…
