રવિવારે સવારે ૬.૩૦ કલાકે જયારે બધા આ ઇવેન્ટમાં પહોંચ્યા ત્યારે તેમને ભારે અવ્યવસ્થાનો અનુભવ થયો.
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘કોડે મુઆ(મર્યા) ને કુતરે તાણ્યા’ આ કહેવતને સાચી પાડે એવો અનુભવ ગાંધીનગરના સાયકલ પ્રેમીઓને ગત તા. ૩જી જુનને બુધવારે ‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે થયો.
બન્યુ એવું કે કેન્દ્ર સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા “ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત ‘માય ભારત’ (એટલે કે અગાઉનું નહેરુ યુવા કેન્દ્ર) અને સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(સાઈ)ના સંયુક્ત નેજા હેઠળ ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે સાયકલોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચાલુ દિવસ હોવાથી ઓછો રિસ્પોન્સ મળતા ઇવેન્ટ તા.૭મી જુન રવિવારે ખસેડવામાં આવી હતી. આ માટે ‘માયૈ ભારત'(એટલે કે નહેરુ યુવા કેન્દ્ર) દ્વારા વ્યક્તિગત અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના રજીસ્ટ્રેશન પણ પરાણે કરાવવામાં આવ્યાં હતા. રવિવારે સવારે ૬.૩૦ કલાકે જયારે બધા આ ઇવેન્ટમાં પહોંચ્યા ત્યારે તેમને ભારે અવ્યવસ્થાનો અનુભવ થયો.

(૧)-પહેલાં સ્ટેજ પર ઝૂમ્બા ડાન્સ વગેરે કરવાયાં પછી
(૨) સાયકલ રેલીના ફ્લેગ ઓફનુ નાટક થયું ત્યારબાદ
(૩)-આયોજનના સંયોજક તેમજ અન્ય મહાનુભાવો ગાયબ થઇ ગયા.
(4)-મર્યાદિત સાયકલોની વ્યવસ્થા હતી તે લઈને સાયકલ સવારો નીકળ્યા પણ
(5) તેમણે સાયકલ કઈ તરફ ચલાવીને લઇ જવાની છે, તેનો કોઈ રૂટ ચાર્ટ કે રૂટ નિર્દેશક સાઈન બોર્ડ પણ નહોતા.તેથી બધાએ પોતપોતાની રીતે સાયકલ ચલાવી અને કહેવાતી સાયકલ રેલી પુરી થઈ.
કે. એલ. એન. રાવને કેમ કાયમી ડી.જી.પી. ન બનાવાયા?

