(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરમાં અગ્નિ સુરક્ષા તથા જીવન સુરક્ષાના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ફાયર સેફ્ટી સુવિધાઓમાં રહેલી ગંભીર ખામીઓ દૂર કરવા સંચાલકોને એક સપ્તાહ અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી.તેમ છતાં નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી સુધારાત્મક કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા ગત રાત્રિ 16/06/2026 ના રોજ છ હોટલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.મ્યુનિસિપલ ફાયર વિભાગ ઘ્વારા હોટેલ રોયલ સ્ક્વેર, ન્યૂ યોર્ક ટાવર, એસ.જી. હાઈવે, થલતેજ વોર્ડ, હોટેલ 4 ફૂડ, થલતેજ વોર્ડ, હોટેલ કેપ્રેશન, થલતેજ વોર્ડ, એપોલો હોટેલ, બોડકદેવ વોર્ડ, હોટેલ લેક ઇન, ગુરુકુલ રોડ, વસ્ત્રાપુર તેમજ હોટેલ ગ્રાન્ટ ઇન,…
Author: gujarat
પતિ જીવતો રહેતાં પ્રેમીએ બ્લેડથી ગળું કાપી મોતને ઘાટ ઉતાર્યાેપહેલા અકસ્માત મોતનો ગુનો નોંધનાર પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા પરના ઘા સામે આવતા તપાસ તેજ કરી હતીસુરત,સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેડરોડની રહેમતનગર સોસાયટીમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરીને હત્યા અને ગુનાહિત કાવતરુ ઘડવાનો ગુનો નોંધ્યો છે. મૂળ ઝારખંડના અને રહેમતનગર સોસાયટીમાં રહેતા જન્મજયકુમાર તીર્થ રાય (૪૨) તથા પત્ની ચાંદનીકુમારી વચ્ચે અગાઉના લગ્નની વાત છુપાવવા અને કમાણીના પૈસા ઘરમાં ન આપવા મુદ્દે વારંવાર ઝઘડા થતા હતા.આ દરમિયાન ચાંદનીકુમારીને અગાઉ ફુલવાડી વિસ્તારમાં સામે રહેતા…
ચોકલેટની લાલચે બાળકીનું અપહરણ કરી હવસ સંતોષી હતીકોર્ટે આરોપીને સજા સાથે રૂ. ૬૦ હજારનો દંડ અને પીડિત બાળકીને રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યાસુરત,સુરતમાં વર્ષ ૨૦૨૪માં બનેલી ચાર વર્ષની માસૂમ બાળકી પરના અપહરણ અને પાશવી દુષ્કર્મના જઘન્ય કેસમાં કોર્ટે ૨૭ વર્ષના આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. સાથે જ રૂ. ૬૦ હજારનો દંડ અને પીડિત બાળકીને રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસની હકીકત એવી છે કે, બે વર્ષ પહેલાં સને ૨૦૨૪માં સુરતમાં રહેતી ચાર વર્ષની બાળકી એક રાત્રે ઘરની બહાર રમી રહી હતી ત્યારે અંકિત ગૌતમે તેને ચોકલેટની લાલચ આપી…
વડગામ તાલુકાના મજાદરમાં ગ્રામજનોએ જાણ કરતાં ફોરેસ્ટ વિભાગે હિટાચી મશીન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરીવડગામ, વડગામના મજાદર ગામના તળાવમાં ગ્રા.પં. દ્વારા સફાઈ કામગીરી દરમિયાન ૨૦૦થી વધુ બગલાનાં મોત અને ૧૦૦૦ હજારથી વધુ ઈંડાં ફૂટી ગયાં હોવાના આક્ષેપ સાથે ગ્રમજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જેથી ફોરેસ્ટ વિભાગે હિટાચી મશીન જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મજાદર ગામના ગોદરે આવેલા તળાવમાંથી ગંદકી દૂર કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાયો હતો.સફાઈનો તમામ ખર્ચ ગામના દાતાઓએ આપ્યો હતો. પણ જ્યારે આ બાબતે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાયો ત્યારે ગામના કેટલાક જાગૃત લોકોએ વિરોધ કર્યાે હતો તેમ છતાં તળાવની સફાઈ હાથ ધરાઈ હતી અને તળાવનું…
વડોદરામાં ભયાનક અકસ્માતગંભીર અકસ્માતને પગલે પોલીસ, ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરીરાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 6 લોકોના દર્દનાક મોતવડોદરા,વડોદરામાં ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં કોટંબી સ્ટેડિયમ નજીક રાજસ્થાનથી સુરત જતી લકઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ૫ લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. જ્યારે ૨૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. ગંભીર અકસ્માતને પગલે પોલીસ, ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની પ્રાથમિક વિગતો મુજબ, રાજસ્થાના બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ પરોઢિયે ચારેક વાગે…
કચ્છવિસ્તારમાંરેલસંપર્કઅનેક્ષમતાવિસ્તારનેમળશેનવીદિશાબંનેદિશાઓમાંપ્રતિદિનબેવધારાનીયાત્રીરેલસેવાઓના સંચાલનનો માર્ગ મોકળો થશેડબલલાઇનથીદરવર્ષે12મિલિયનટનવધારાનુંમાલપરિવહનશક્યબનશે,જેનાકારણેલોજિસ્ટિક્સઅનેઔદ્યોગિકસંપર્કનેમજબૂતીમળશેભારતીયરેલવેએગુજરાતમાંરેલવેઇન્ફ્રાસ્ટ્રકચરનામજબૂતીકરણઅનેક્ષમતાવૃદ્ધિમાટેએકમહત્વપૂર્ણનિર્ણયલેતાપશ્ચિમરેલવેનાઆદિપુર–ભુજરેલખંડ(49કિ.મી.)નાડબલિંગકાર્યને₹493કરોડનાખર્ચેમંજૂરીઆપવામાંઆવીછે.મંડલરેલપ્રબંધક(DRM)અમદાવાદશ્રીવેદપ્રકાશેજણાવ્યુંકેઆયોજનાભારતીયરેલવેદ્વારાનેટવર્કક્ષમતાનાવિસ્તારમાટેચલાવવામાંઆવીરહેલાડબલિંગ,ટ્રિપલિંગઅનેઅન્યઆધારભૂતસંરચનાવિકાસકાર્યક્રમોહેઠળમંજૂરકરવામાંઆવીછે.વ્યૂહાત્મકરીતેઅત્યંતમહત્વપૂર્ણઆરેલખંડનાડબલિંગથીકચ્છક્ષેત્રમાંરેલસંપર્કઅનેસંચાલનક્ષમતામાંનોંધપાત્રવધારોથશેતેમજભવિષ્યમાંયાત્રીઅનેમાલપરિવહનનીવધતીમાંગનેપૂર્ણકરવામાંમદદમળશે.વધતાટ્રાફિકનેધ્યાનમાંરાખીક્ષમતાવિસ્તારગાંધીધામ–નલીયાકોરિડોરપરસ્થિતઆદિપુર–ભુજખંડહાલમાંસિંગલરેલલાઇનછે.ક્ષેત્રમાંચાલીરહેલીવિવિધરેલવેયોજનાઓપૂર્ણથયાબાદઆમાર્ગપરટ્રાફિકમાંનોંધપાત્રવધારોથવાનીસંભાવનાછે.તેમાંભુજ–નલીયાગેજપરિવર્તન,નલીયા–વાયોરલાઇનવિસ્તારતેમજનલીયા–જખાઉ,વાયોર–લખપતઅનેદેશલપર–લૂણાનવીરેલલાઇનયોજનાઓનોસમાવેશથાયછે.આયોજનાઓપૂર્ણથયાપછીભુજ–આદિપુરખંડપરવધારાનાયાત્રીઅનેમાલટ્રાફિકનુંદબાણવધવાનીસંભાવનાનેધ્યાનમાંરાખીનેઆરેલખંડનાડબલિંગનેમંજૂરીઆપવામાંઆવીછે.આથીભવિષ્યનીટ્રાફિકજરૂરિયાતોનેપૂર્ણકરવાનીસાથે–સાથેસંચાલનકાર્યક્ષમતામાંસુધારોથશે.યાત્રીઅનેમાલપરિવહનનેમળશેલાભઆયોજનાપૂર્ણથયાબાદબંનેદિશામાંપ્રતિદિનબેવધારાનીયાત્રીરેલસેવાઓશરૂકરીશકાશે,જેનાકારણેવિસ્તારનામુસાફરોનેવધુસારીકનેક્ટિવિટીઅનેપ્રવાસસુવિધાઓમળશે.ડબલલાઇનનાનિર્માણથીદરવર્ષેવધારાના12મિલિયનટન(MTPA)માલપરિવહનશક્યબનશે,જેનાકારણેપશ્ચિમગુજરાતમાંલોજિસ્ટિક્સવ્યવસ્થાવધુમજબૂતબનશેઅનેઔદ્યોગિકવિસ્તારોનેવધુસારોરેલસંપર્કપ્રાપ્તથશે.
છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓની પહોંચ હવે વધુ ઝડપી અને સરળ બનશે*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું આદિજાતિ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ કરવાનું મહત્વપૂર્ણ કદમ – રાજ્યમાં પ્રથમવાર ટુ-વ્હીલર હેલ્થ યુનિટ સેવાઓનો પ્રારંભમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 51 ટુ-વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ અને9 નવા મોબાઇલ હેલ્થ યુનિટને ફ્લેગ ઓફ કરાવ્યુંનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં તમામ મોબાઈલ હેલ્થ યુનિટનું14 જિલ્લાઓમાં પ્રસ્થાન::ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટની વિશેષતાઓ ::Øજરૂરી દવાઓ અને પ્રાથમિક મેડિકલ સાધનો ધરાવતા મેડિકલ બોક્સની સુવિધા.Øજીપીએસ આધારિત રિઅલ ટાઈમ મોનિટરીંગ કરી શકાશે.Øપ્રિવેન્ટિવ આરોગ્ય સેવાઓના ડિજિટલ ડેટા એન્ટ્રી અને સીએમ ડેશબોર્ડ સાથે સંકલન વ્યવસ્થા.Øસ્થાનિક સ્તરેથી જIEC,રિપોર્ટીંગ અને મોનિટરીંગ…
ટ્રક ચાલક ટાયરમાં હવા ચેક કરી રહ્યો હતોઃ બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કેટલાક મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.વડોદરા, 17 જૂન, 2026 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે ગુજરાતના વડોદરા-જરોદ રોડ પર સર્જાયેલા ગંભીર લક્ઝરી બસ અકસ્માત અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આ ભયાનક અકસ્માતમાં મૃત્યુઆંક વધીને સાત થયો છે, જ્યારે ૨૮ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે લોકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં ગૃહમંત્રી શાહે આ ઘટનાને “અત્યંત દુઃખદ” ગણાવી હતી અને અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર…
બી-ડિવીઝન પોલીસ સ્ટેશન સામેના કવાર્ટરની ઘટનાપાડોશી મહિલાએ દસ ટકા વ્યાજે રકમ આપ્યા બાદ અચાનક ર૦ ટકા વ્યાજ વસુલવાનું શરૂ કર્યુંરાજકોટ, પેડક રોડ પર બી-ડિવીઝન પોલીસ મથકની સામે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં અને મનપાનાં નિવૃત સફાઈ કામદાર મોહનભાઈ વાઘેલા (ઉ.વ.૬૭)એ વ્યાજે આપેલા પૈસાની પઠ્ઠાણી ઉઘરાણી કરાતા ઘઉંમાં નાખવાના પાવડરની પડીકી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યાે હતો. બી-ડિવીઝન પોલીસે તેની ફરિયાદના આધારે દીનાબેન ખીમસુરીયા સામે ગુનો દાખલ કર્યાે છે. ફરિયાદમાં મોહનભાઈએ જણાવ્યું છે કે ચારેક વર્ષ પહેલાં પાડોશમાં રહેતાં દીનાબેન પાસેથી સગાઈના પ્રસંગ માટે તેની પત્નીએ રૂ.૧.ર૦ લાખ વ્યાજે લીધા હતા.બદલામાં બે કોરા ચેક આપ્યા હતા. જે-તે વખતે ૧૦ ટકા વ્યાજની વાત…
અમદાવાદ મંડળે OHEની દેખરેખ માટે ડ્રોન ટેકનોલોજી અપનાવી, સુરક્ષાને મળશે નવી મજબૂતીAI-સક્ષમ હવાઈ નિરીક્ષણથી અવરોધ ઊભો કર્યા વિના ઓએચઈ OHE ની ગંભીર ખામીઓ શોધવામાં સફળતા, જાળવણી વધુ અસરકારક બનશેપશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓવરહેડ ઇક્વિપમેન્ટ (ઓએચઈ) ની તપાસ માટે ડ્રોનથી હવાઈ નિરીક્ષણનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય રેલવેમાં નવી ટેકનોલોજી દ્વારા સુરક્ષિત જાળવણીની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.રેલવે બોર્ડ દ્વારા એપ્રિલ 2026માં RDSO ના નિર્દેશ ક્રમાંક TI/IN/0060 ને મંજૂરી મળ્યા બાદ પશ્ચિમ રેલવે આ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરનાર અગ્રણી ઝોનોમાં સામેલ થયું છે. 8 જૂન 2026ના રોજ કરવામાં આવેલા આ પરીક્ષણથી પરંપરાગત મેન્યુઅલ તપાસને બદલે આધુનિક અને વધુ સુરક્ષિત વ્યવસ્થાની…
