રાજકોટ, જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આલણ સાગર ડેમમાં ન્હાવા પડેલા ચાર માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ૧૨ થી ૧૪ વર્ષની વયના ચાર-ચાર બાળકોના અકાળે અવસાનથી સમગ્ર જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ગત બપોરે ઘરેથી નીકળેલા બાળકો મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન ડેમની પાળ પરથી કપડાં અને સાયકલ મળી આવતા આ દુર્ઘટનાનો ખુલાસો થયો હતો.જસદણ તાલુકા પંચાયત પાછળ રહેતા કાંગસિયા મલ પરિવારના કાળુ ભરતભાઈ રાઠોડ, કિશન મનસુખભાઈ રાઠોડ, રાજવીર સામતભાઈ રાઠોડ અને ગાડલીયા લુહાર પરિવારના રામુ ભાયાભાઈ રાઠોડ રવિવારે બપોરે ૨ વાગ્યાના અરસામાં બાખલવડ ગામે આવેલા આલણ સાગર ડેમમાં…
Author: gujarat
ઊના, ઉના તાલુકાના ડમાસા ગામની સીમમાં સિંહે ચાર વર્ષની માસૂમ બાળકીનો શિકાર કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સોમવારે સાંજે બનેલી આ હૃદયદ્રાવક ઘટનામાં સિંહ ઘરની ઓસરીમાં બેઠેલી બાળકીને તેની માતાની નજર સામેથી જ જડબામાં દબોચીને ખેતરોમાં ગાયબ થઈ ગયો હતો.આ બનાવ બાદ વન વિભાગની ટીમ મોડી પહોંચતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ડમાસા ગામના વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઈ પામકની ચાર વર્ષની પુત્રી સાંજે ૭ વાગ્યાના સુમારે તેની માતા સવિતાબેન સાથે ઘરની ઓસરીમાં બેઠી હતી. સવિતાબેન તેમના નાના પુત્રને દવા આપીને રસોઈની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ત્રાટકેલા સિંહે બાળકીને પકડી…
AAP ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ- સુરત વોર્ડ નં. 12માં અપસેટઃ ભાજપની પેનલમાં ભંગાણ પડ્યું, કોંગ્રેસી ઉમેદવારનો વિજયગત ચુંટણીમાં 27 બેઠકો પર વિજય મેળવનાર આમ આદમી પાર્ટી આ વખતની સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં ભારે રકાસ સુરતમાં મેયર પદે પ્રતિભા દેસાઈનું નામ ચર્ચાઈ રહ્યુ છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સૌરાષ્ટ્રના કોઈ ઉમેદવાર પસંદ થાય તેવું સુત્રોએ જણાવ્યુ છે.(પ્રતિનિધિ) સુરત, શહેરનાં મજુરા ગેટ ખાતે આવેલ ગાંધી એન્જીનિયરીંગ કોલેજમાં મંગળવારે સવારે 9 કલાકથી સુરત મહાનગર પાલિકાનાં 30 વોર્ડની 120 બેઠકો માટે મત ગણતરીનો પ્રારંભ થયો હતો. મત ગણતરીનાં પ્રારંભ સાથે જ ભારતીય જનતા પાર્ટીનાં ગઢ ગણાતાં સુરત મહાનગર પાલિકામાં વધુ એક વખત ભાજપનો ભવ્ય…
નાણાકીય વર્ષ2025માં દક્ષિણ ગુજરાતની ઉપજ230 કરોડ રૂપિયા-રાજ્યના કુલ ચીકુ ઉત્પાદનમાં લગભગ50ટકા ફાળો દક્ષિણ ગુજરાતની બાગાયતી સિદ્ધિઓનેVGRCઆપશે વૈશ્વિક મંચદક્ષિણ ગુજરાત આજે ચીકુ (સપોટા) ઉત્પાદનના અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે. રાજ્યના કુલ ચીકુ ઉત્પાદનમાં લગભગ50ટકા ફાળો આપતો આ વિસ્તાર ગુજરાતની બાગાયતી પ્રગતિને મજબૂત આધાર પૂરો પાડી રહ્યો છે. તારીખ1અને2મે દરમિયાન સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)દક્ષિણ ગુજરાતની કૃષિ સિદ્ધિઓને ઉજાગર કરવાની સાથે નવી રોકાણ તકોને પણ પ્રોત્સાહિત કરશે.દક્ષિણ ગુજરાતે અંદાજે 1.15 લાખ મેટ્રિક ટનથી વધુ ચીકુનું ઉત્પાદન કર્યુંઆ એવા સમયે આવ્યું છે,જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશ ચીકુ ઉત્પાદનના એક અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો…
મહેસાણામાં 52માંથી 47 ભાજપ, નડિયાદમાં 52માંથી 51 ભાજપ, નવસારીમાં 52માથી 50 ભાજપધોળકા નગરપાલિકામાં 36 માંથી 31 બેઠકો ઉપર ભાજપની જીત વિરમગામ નગરપાલિકામાં 36 માંથી 26 બેઠકો ઉપર ભાજપની જીત બારેજા નગરપાલિકામાં 13 બેઠકો ઉપર ભાજપ અને 11 બેઠકો પર અપક્ષની જીતભાજપમાંથી ઉભા રહેલા લોકગાયીકા રાજલ બારોટ ઉના નગરપાલિકાની ચૂંટણીમાં જીત્યા, રીવાબા જાડેજાના નણંદ કોંગ્રેસના રાજકોટ વોર્ડ 2ના ઉમેદવાર નયનાબા જાડેજા હાર્યા, સુરત વોર્ડ 3માં અલ્પેશ કથીરિયાના પત્નિ કાવ્યા કથીરિયા જીત્યામાયા આહીરની પુત્રી સોનલબેન ડેર ભાજપમાંથી ચાવંડ તાલુકા પંચાયતમાં ઉભા હતા જે હાર્યા છે.પોરબંદર મહાનગરપાલિકાની તમામ 52 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જીતપોરબંદર જિલ્લા પંચાયતની 16 માંથી 16 બેઠક પર ભાજપની જીત…
૧૨ માળની ઊંચાઈ ધરાવતો પુલ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે સાબરમતી નદી પર બની રહ્યો છેઅમદાવાદ: મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ હેઠળ સાબરમતી નદી પર એક અત્યાધુનિક પુલનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં અનેક મહત્વના બાંધકામ લક્ષ્યાંકો સિદ્ધ કરી લેવામાં આવ્યા છે, જે આ મહત્વકાંક્ષી કોરિડોર માટે એક મોટી સિદ્ધિ ગણાય છે.પુલના માળખાને મજબૂત બનાવવા માટે ખાસ પ્રકારની એન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે:બાંધકામ દરમિયાન સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલુ રહે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. કામચલાઉ પાળા (Embankments) માં ‘હ્યુમ પાઇપ કલ્વર્ટ્સ’ (Hume pipe culverts) ફીટ કરવામાં આવ્યા છે…
એન્વુ ઇન્ડિયાએ ભારતના જાહેર આરોગ્ય નેતૃત્વને એકત્ર લાવતા રાષ્ટ્રીય સંમેલનને સમર્થન આપ્યું — શહેરી વેક્ટરજન્ય રોગ નિયંત્રણને ગતિ આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલુંભારતના શહેરો વેક્ટરજન્ય રોગોના જોખમનું કેન્દ્ર: એન્વુ ઇન્ડિયાના અરુણ કુમારભારતીય મેલેરિયા અને અન્ય સંક્રમક રોગ સંસ્થા (ISMOCD) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી આયોજિત બે દિવસીય વૈજ્ઞાનિક સંમેલનમાં શહેરી પેસ્ટ મેનેજમેન્ટ અને વેક્ટર નિયંત્રણમાં થયેલા નવા વિકાસ પર ચર્ચા કરવામાં આવી અને ભારતના શહેરો માટે વિજ્ઞાન આધારિત માર્ગદર્શિકા નક્કી કરવામાં આવીતા. 29 એપ્રિલ 2026 | અમદાવાદ: શહેરી પેસ્ટ મેનેજમેન્ટ અને વેક્ટર નિયંત્રણ ક્ષેત્રે થયેલા નવા વિકાસ વિષયક રાષ્ટ્રીય ટેકનિકલ સંમેલન 28 એપ્રિલ 2026ના રોજ અમદાવાદમાં પૂર્ણ થયું. આ સંમેલનમાં…
સ્થળાંતર કરતા પરિવારો અને તેમના બાળકોને શિક્ષણની મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો અને જેઓ શાળાકીય શિક્ષણથી વંચિત રહી જાય છે તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્યઅમદાવાદ, 28 એપ્રિલ 2026: અમદાવાદના મોરૈયા ઔદ્યોગિક વિસ્તારમાં સ્થળાંતરિત શ્રમિકોના બાળકો માટે એક નવા ‘અર્લી ચાઈલ્ડહુડ ડેવલપમેન્ટ કેર એન્ડ એજ્યુકેશન’ (ECDCE) કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કામની શોધમાં સતત સ્થળાંતર કરતા પરિવારો અને તેમના બાળકોને શિક્ષણની મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે, જેઓ ઘણીવાર શાળાકીય શિક્ષણથી વંચિત રહી જાય છે.મોરૈયા ગામના કેસર સિટી ખાતે શરૂ કરાયેલું આ કેન્દ્ર 3 થી 6 વર્ષની વયના બાળકો માટે શિક્ષણ, પોષણ અને સંભાળ માટે એક વ્યવસ્થિત માળખું પૂરું…
અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 28 એપ્રિલે પરિણામો લગભગ બપોર પછી જાહેર થઈ જશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ જીત તરફ છે.ગુજરાત રાજ્યની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલ, 2026ના રોજ આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે મત ગણતરી કરવાની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે.…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ 28-04-2026ના રોજ મંગળવાર બપોર સુધીમાં જાહેર થઈ જશે. આ સાથે જ નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક 10 દિવસની અંદર બોલાવવામાં આવે તેવી સંભાવના છે. આ બેઠકમાં જ મેયર અને ડેપ્યુટી મેયરની વરણી પણ કરવામા આવશે.રોટેશન મુજબ, નવી ટર્મના પહેલા અઢી વર્ષ માટે મેયર ઓ.બી.સી. વર્ગના હશે. મેયર પદના પ્રબળ દાવેદાર તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને પૂર્વ એ.એમ.ટી.એસ. ચેરમેન ધરમશી દેસાઈના નામ સૌથી આગળ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજેતા જાહેર થનારા તમામ ૧૯૨ ઉમેદવારો તે જે વોર્ડમાંથી ચૂંટણી જીત્યા હોય તે અંગેનુ સર્ટિફિકેટ કલેકટર કચેરીમાંથી મેળવી મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ જમા કરાવવા પડશે.નવી ટર્મની પહેલી…
