હાથીપગા રોગના નિર્મૂલન માટે ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરશ્રીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો સાથે આયોજન બેઠક યોજાઇરાજ્યના ત્રણ જિલ્લાના ચાર પ્રભાવિત તાલુકાઓમાં હાથીપગા રોગને અટકાવવા આગામી તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન ‘સામૂહિક દવા વિતરણ’ અભિયાન યોજાશે. આ અભિયાનમાં ભરૂચનો નેત્રંગ તાલુકો, નર્મદાના નાંદોદ અને દેડિયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની કુલ ૫.૪૮ લાખથી વધુ વસ્તીને સાંકળી લેવામાં આવશે. આ અભિયાનમાં સરકારની સાથે નાગરિકો પણ જોડાશે તો સમાજને વધુ તંદુરસ્ત બનાવી શકીશું તેમ, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ દ્વારા જણાવાયું હતું.રાજ્યમાંથી હાથીપગા રોગના નિર્મૂલન માટે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરશ્રીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો સાથે આયોજન બેઠક યોજાઇ હતી.આરોગ્ય કમિશનરશ્રીએ વિગતો આપતા કહ્યું…
Author: gujarat
શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાનો મહોત્સવ: વિશ્વ વિખ્યાત કલાકારો નૃત્ય રસિકોને કલાનું પાન કરાવશેસૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિના ‘અર્ધ’ અવસરે મોઢેરા ખાતે ભવ્ય આયોજનમોઢેરા, સૂર્યમંદિર ખાતે કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં અને નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈરમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આગામી તા.૧૭ અને ૧૮ જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે. આ મહોત્સવ બંને દિવસ સાંજે ૦૬:૩૦ વાગ્યાથી શરૂ…
નવું વર્કશોપ કાર્યરત થવાથી અમદાવાદ શહેર અને આસપાસના રૂટ પર દોડતી એસ.ટી. બસોની સેવા બનશે વધુ સુદ્રઢચંડોળામાં અત્યાધુનિક એસ.ટી. વર્કશોપનું મંત્રી દર્શનાબહેન વાઘેલા અને દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સંપન્નગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ચંડોળા મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નેતૃત્વમાં એસ.ટી. નિગમ હાલ ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે નિગમ દ્વારા અત્યાધુનિક વોલ્વો જેવી બસોનું સંચાલન કરવામાં આવી…
Unclaimed Deposits Refund:‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત કેન્દ્રીય નાણા મંત્રી શ્રી નિર્મલા સિતારમનની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-૨૦૨૫માં ગુજરાતની રાજધાની ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ કુલ રૂ. ૧૦૪.૬૧ કરોડની રકમ એટલે કે, તેમની મહામૂલી મૂડી સ્વમાનભેર પરત કરાવામાં આવી છે.રાજ્યમાં આ અભિયાનના પ્રારંભથી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં કુલ ૨૬,૮૭૪ દાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ દાવાઓની નિયમ મુજબની ખરાઈ કરીને સંબંધિત બેંકો દ્વારા ખાતેદારોને તેમની રકમ પરત કરવામાં આવી છે. આ ઝુંબેશ એક સરળ પણ શક્તિશાળી સંદેશ આપે છે કે નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને પરત કરવો જોઈએ.…
જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈસંકલનના પ્રશ્નોનું સત્વરે હકારાત્મક નિવારણ લાવવા અધિકારીઓને અનુરોધ કરતાં જિલ્લા વિકાસ અધિકારીઅમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સંકલન બેઠકમાં પુછાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી, તેનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરાયો હતો.જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત ધોરણે તેનું નિરાકરણ થાય તે જરૂરી છે.આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, અસલાલી તળાવ કામગીરી, મુનસર તળાવની સફાઈ, આરોગ્ય કેન્દ્રનાં કામો, વિરમગામ તાલુકાના ગામોના પોસ્ટલ પિનકોડને લગતાં પ્રશ્નો, દેત્રોજ…
Stray Cattle AI Tracking: ગુજરાતના શહેરોને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગને પ્રાથમિકતા આપી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કર્યા બાદ આ ટેક્નોલોજીને રાજ્યના શાસનમાં સમાવિષ્ટ કરીને નાગરિક સેવા વિતરણને સમૃદ્ધ બનાવવના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેતી સમસ્યા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના લીધે આવનારા દિવસોમાં રખડતા પશુઓના લીધે પેદા થતી સમસ્યાઓનું સમાધાન લાવવામાં વધુ સરળતા રહેશે.અમદાવાદમાં રખડતી ગાયોના લીધે ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છે. અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સીસીટીવી કેમેરાની મદદથી…
અમદાવાદ ખાતે ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ: બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલે કરાવ્યું ઉદ્ઘાટનઅંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થનાર ૬૦૦ કિલોનું દિવ્ય ત્રિશૂલ અંબાજી યાત્રાધામમાં એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશેઉત્તરકાશીમાં સ્થિત ૧૫૦૦ વર્ષ જૂના પવિત્ર શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ પવિત્ર ત્રિશૂલિયા ઘાટ પર પ્રસ્થાપિત થતા શક્તિ ઉપાસકો માટે આસ્થાનું વધુ એક કેન્દ્ર ઉમેરાશે :- શ્રી મિહિર પટેલશ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી તૈયાર થયું અખંડ શક્તિ ત્રિશૂલબનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે ભવ્ય ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ને શ્રદ્ધાળુઓના દર્શન માટે…
Arvind Kejriwal Gujarat Visit: અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યકર્તાઓના શપથ સમારોહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતની જનતા બદલાવ માટે પૂરી રીતે તૈયાર છે. ભાજપ એટલી ડરેલી છે કે ‘આપ’ ની સભા રોકવાની પૂરી કોશિશ કરી, પરંતુ આપણા કાર્યકર્તાઓના જુસ્સાથી સભા થઈ. છેલ્લા ૩૦ વર્ષથી ભાજપ ડર અને ભ્રષ્ટાચારના જોરે સરકાર ચલાવી રહી છે, તેમના મંત્રી-ધારાસભ્યો ચોર છે અને ગુજરાતને લૂંટી રહ્યા છે. ૨૦૨૭માં ગુજરાતની સત્તા બદલાવાની છે, પછી ભાજપવાળા જેલમાં જશે. ‘આપ’ ની સરકાર બની તો કરદા પ્રથા ખતમ કરીશું, યુવાનોને રોજગાર અને ખેડૂતોને બીજ, ખાતર, પાણી આપીશું. તેમણે કહ્યું…
ભાવિ અધિકારીઓ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં સત્યનિષ્ઠા અને સમાનુભૂતિ સાથે કાર્ય કરે: LBSNAAના ડેપ્યુટી ડાયરેક્ટર દીપ કોન્ટ્રાક્ટરસ્પીપા ખાતે ૧૦ સપ્તાહના સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સની પૂર્ણાહુતિ: નૈતિક લોકસેવા અને ડિજિટલ ગવર્નન્સ પર અપાયો ભારવિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તાલીમી અધિકારીઓને સન્માનિત કરાયાAhmedabad, ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ખાતે તા. ૧૦ નવેમ્બર ૨૦૨૫થી શરૂ થયેલા ‘સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ-૨૦૨૫’નો સમાપન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (LBSNAA), મસૂરીના ડેપ્યુટી ડાયરેક્ટર (Sr.) સુશ્રી દીપ કોન્ટ્રાક્ટર, IFS વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.સુશ્રી કોન્ટ્રાક્ટરે સ્પીપાના સુચારુ આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું કે આ તાલીમ ભાવિ અધિકારીઓને સંવેદનશીલ અને…
AAP Top 10 Leaders in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય અને ભાજપના અભેદ્ય ગઢ ગણાતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ (AAP) પાંચ વર્ષ પહેલા નગર નિગમની ચૂંટણીઓથી ગાબડું પાડ્યું હતું. સુરતમાં ૨૭ બેઠકો જીત્યા બાદ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૧૪ ટકા મતો સાથે પાંચ બેઠકો જીતીને પાર્ટીએ સૌને ચોંકાવી દીધા હતા, કારણ કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ગુજરાતમાં કોઈપણ ત્રીજા પક્ષનું આ સૌથી મજબૂત પ્રદર્શન હતું. મુંબઈ સહિત મહારાષ્ટ્રની ૨૯ મહાનગરપાલિકાઓના પરિણામો જાહેર થયા બાદ ગુજરાતની મુલાકાતે પહોંચેલા કેજરીવાલે ૨૦૨૭માં ભાજપને હરાવી દેવાની હુંકાર ભરી છે.ત્રણ દિવસીય મુલાકાતે ગયેલા અરવિંદ કેજરીવાલે રાજ્યમાં પરિવર્તનનો શંખનાદ કર્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૨૦૨૭માં યોજાશે, પરંતુ…
