ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો કન્ટેઈનમેન્ટ ફેસીલીટી: સંક્રામક અને જીવલેણ બીમારીઓ સામે અસરકારક રસીઓ વિકસાવવામાં બનશે ઉપયોગીજીવાણુઓ ઉપર અદ્યતન સંશોધન,અસરકારક સારવારના વિકાસ,રોગચાળા સામે ઝડપી પ્રતિક્રિયા આપી રાજ્ય અને રાષ્ટ્રની બાયો સિક્યુરિટીને બનાવશે મજબૂતછેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો કર્યો છે. કોવિડ19પેન્ડેમિકએ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. કોરોના સમયે તમામ લોકોના સેમ્પલની તપાસ કરવા માટે આપણે ભારતની એકમાત્ર પૂણે સ્થિત બી.એસ.એલ.-4લેબનો ઉપયોગ કર્યો હતો.COVID-19મહામારી દરમિયાન,દેશને વિવિધ પ્રકારના એવા રોગકારક સંક્રામક સૂક્ષ્મજીવોને સમજવા માટે બાયોસેફ્ટી કન્ટેઇનમેન્ટ સુવિધાઓની તાત્કાલિક જરૂરિયાતનો સામનો કરવો પડયો હતો,જેમના માટે કોઈ રસી અથવા સારવાર ઉપલબ્ધ ન હતી.COVID-19ઉપરાંત,ગુજરાતમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસ (માનવમાં) અને લમ્પી સ્કિન ડિસીઝ…
Author: gujarat
મોક ટેસ્ટ માટે ઉમેદવારો તા. ૧૬/૦૧/૨૦૨૬થી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશેઅમદાવાદ, સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA)દ્વારાUPSCસિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૬ના તાલીમ કાર્યક્રમ (બેચ ૨૦૨૫-૨૬) અંતર્ગત પ્રિલિમિનરી પરીક્ષા માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ મોક ટેસ્ટમાં ભાગ લેવા માટેSPIPA –અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરા,સુરત,રાજકોટ,અમદાવાદ અને મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ્રવેશ મેળવેલ હોય અને જેમણે પોતાની ડિપોઝિટ પરત મેળવેલ નથી,તેવા ઉમેદવારોએ તા. ૧૬/૦૧/૨૦૨૬થી કચેરી સમય દરમિયાન અસલ ડિપોઝિટ પહોંચ રજૂ કરીને સંબંધિત કેન્દ્ર પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.વધુમાં,જે ઉમેદવારોએ અગાઉ ડિપોઝિટ પરત મેળવી લીધી છે અથવા જેઓSPIPAના વર્તમાન તાલીમ કાર્યક્રમમાં જોડાયેલા નથી,તેવા બાહ્ય ઉમેદવારો પણ રૂ. ૧,૦૦૦ રજીસ્ટ્રેશન ફી ભરીને આ…
દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો હૃદયસ્પર્શી સંવાદસમરસતાના આ વિચારને સમગ્ર દેશમાં ફેલાવવા યુવાનોને રાજ્યપાલશ્રીનો અનુરોધગાંધી વિચારના પ્રચાર–પ્રસાર માટે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે ભાવનગર જિલ્લાના હણોલ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો. આ યુવાનો હણોલ ગામમાં ૧૧ દિવસ સુધી રોકાઈ ગ્રામજીવન,સામાજિક સમરસતા,સહઅસ્તિત્વ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને નજીકથી અનુભવી રહ્યા હતા.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,હણોલ ગામ સાચા અર્થમાં સમરસતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ગામમાં ૧૮ જેટલી જુદી-જુદી જ્ઞાતિના લોકો વસે છે,છતાં અહીં કોઈ ભેદભાવ વિના સૌ એક પરિવારની જેમ જીવન જીવતા જોવા મળે છે. વિવિધ વિચારધારાઓ હોવા છતાં પરસ્પર સદભાવ,માનવતા અને…
(એજન્સી)ગાંધીનગર, રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે સરકાર દ્વારા મક્કમ ડગલું ભરવામાં આવ્યું છે. રાજ્યની તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓને હવે સંપૂર્ણપણે ડિજિટલ બનાવી ‘ઈ-સરકાર’ પોર્ટલ હેઠળ આવરી લેવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.હવેથી શાળાઓના કમિશનરની કચેરી ખાતે કોઈપણ પત્રવ્યવહાર કે ફાઈલ હાર્ડ કોપીમાં સ્વીકારવામાં આવશે નહીં. શાળા કમિશનર કચેરી દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, તમામ વહીવટી અને શૈક્ષણિક કામગીરી હવે ડિજિટલ ફોર્મેટમાં જ કરવાની રહેશે. ડ્ઢઈર્ં કચેરીથી રાજ્ય કક્ષાએ મોકલવામાં આવતી ફાઈલો જો ભૌતિક સ્વરૂપે હશે, તો તેનો અસ્વીકાર કરવામાં આવશે.જો કોઈ અધિકારી આ આદેશનું ઉલ્લંઘન કરી મેન્યુઅલ ફાઈલ મોકલશે, તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની…
(એજન્સી)રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં મકર સંક્રાંતિના પર્વની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. શહેરના ભગવતપરા વિસ્તારમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે થયેલી બોલાચાલીએ લોહિયાળ જંગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિની કરૂણ હત્યા નીપજી છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.મળતી માહિતી મુજબ, ભગવતપરા ગેટ વાળી શેરીમાં એક જ જ્ઞાતિના બે પરિવારો પોતપોતાની અગાસી પર પતંગનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન પતંગ કાપવા અથવા દોરીના પેચ લેવા બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આવેશમાં આવેલા બંને પરિવારો નીચે શેરીમાં ઉતરી આવ્યા હતા અને વાત મારામારી સુધી પહોંચી…
સુરત, સુરત અને ભરૂચમાં પ્રોજેકટ ધરાવતા સરથાણાના યુવાન બિલ્ડરની સોમવારે ૧રમી જાન્યુઆરીના રોજ કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. કતારગામ પોલીસે વકીલ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.આરોપીઓની પૂછપરછમાં મહિલા સાથેના અનૈતિક સંબંધમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં હજી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. મૂળ અમરેલીના સાવરકુંડલાના જીરા ગામના વતની અને સુરતના સરથાણામાં રહેતા ૪૬ વર્ષીય બિલ્ડર વિપુલભાઈ રવજીભાઈ માંડાણી ૧ર જાન્યુઆરીએ કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે કે.કે.પી.નગરમાં ગયા હતા.ત્યારે ત્રણથી ચાર શખ્સો સાથે ઝપાઝપી થતાં બે વ્યક્તિએ તેમને ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઈ ગયા…
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઉત્તરાયણના પર્વ દિવસે પુણ્ય પ્રાપ્તિ મેળવવા માટે ગૌ પૂજાનું પણ મહત્વ વધુ રહ્યું છે.જેના કારણે ભરૂચના પાંજરાપોળ ખાતે વિશેષ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ ગૌ પૂજા કરવા સાથે ધાસ ખવડાવવા ઉમટી પડ્યા હતા.મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનો અનેરો મહિમા વધુ રહેલો છે અને ગાયની ૩૩ કરોડ દેવી દેવતા તરીકે ગાયની પૂજાનું મહત્વ વધુ હોય છે.જેના કારણે ભરૂચના શક્તિનાથ નજીક જે.બી.મોદી પાર્ક પાસે આવેલા પાંજરાપોળ ખાતે ગૌપૂજા માટે વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે.ભરૂચ પાંજરાપોળ ખાતે મહિલા મંડળો સહિત વિવિધ સંગઠનો અને લોકો મકરસંક્રાંતિના દિવસે વિશેષ પૂજા – અર્ચના માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.જેના પગલે પાંજરાપોળમાં…
નવસારી મનપાના આઉટર વિસ્તારમાં₹112 કરોડનાખર્ચે પાણી અને ડ્રેનેજ નેટવર્કથી25હજારથી વધુ લોકોને લાભ થશેજળ વ્યવસ્થાપનના કાર્યોથી નાના શહેરોને મુશ્કેલીઓથી મુક્ત કરવાનું ગુજરાત સરકારનું અર્બન વિઝનનવસારી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરીકરણને વેગ આપવાની સાથે નાગરિકોના ઇઝ ઑફ લિવિંગને વધારવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર શહેરોના વિસ્તરણ સાથે નવા જોડાતા વિસ્તારોમાં પાણી પુરવઠો,ડ્રેનેજ પાઇપલાઇન,રોડ અને સ્વચ્છતા જેવી મૂળભૂત નાગરિક સુવિધાઓ સુનિશ્ચિત કરી રહી છે. આ અંતર્ગત તાજેતરમાં નવસારી મહાનગરપાલિકાએ₹112કરોડ રૂપિયાનો પાણી પુરવઠા અને ડ્રેનેજ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.ઉલ્લેખનીય છે કે, 1જાન્યુઆરી2025ના રોજ નવસારીમાં મહાપાલિકા અમલી બની હતી,જેમાં અગાઉના નવસારી વિજલપોર પાલિકા વિસ્તાર સાથે નજીકના4ગામો એરુ,ધારાગીરી,દાંતેજ અને હાંસાપોરને સમાવી લેવામાં આવ્યા…
વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પમાં સૌરાષ્ટ્ર-કચ્છ બનશે દેશનું ગ્રોથ એન્જિન: મંત્રી જીતુભાઈ વાઘાણી૧૫ જાન્યુઆરી સુધી યોજાનારા એક્ઝિબિશનનો વધુમાં વધુ લાભ લેવા ઔદ્યોગિક એકમો તથા નાગરિકોને મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો અનુરોધસૌરાષ્ટ્રના ઉદ્યોગકારો ન્યૂ એજ ટેક્નોલોજી ક્ષેત્રમાં રોકાણ કરીને આગળ વધે: કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું આહવાન‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ સૌરાષ્ટ્ર કચ્છની ક્ષમતાને વિશ્વ સમક્ષ ઉજાગર કરનાર મોટું પ્લેટફોર્મ બનીઃ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા*રાજકોટ, તા. ૧૨ જાન્યુઆરી – રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજીત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – કચ્છ અને સૌરાષ્ટ્ર’નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂપિયા ૫.૭૮ લાખ કરોડના રોકાણના ૫૪૯૨ સમજૂતિ કરાર થયા હોવાની જાહેરાત કેબિનેટ મંત્રી…
ઇન્ટર-વિલેજ સ્પોર્ટસ ડે અને પરવરિશ કેમ્પમાં આજુબાજુના ગામોમાંથી 700થી વધારે વિદ્યાર્થીઓ એક સાથે આવે છે, જેથી ફિટનેસ, ટીમ વર્ક અને લાઈફ સ્કીલ્સને પ્રોત્સાહન આપી શકે.પિપાવાવ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને કિશોરોને સશક્ત બનાવવા પ્રત્યે પોતાની સતત કટિબદ્ધતા અંતર્ગત એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે સ્વામી વિવેકાનંદ ઈન્ટર–વિલેજ સ્પોર્ટ્સનું આયોજન કર્યું અને પરવરિશ કેપ ચલાવ્યો. તેમાં આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને ફિઝીકલ ફિટનેસ, ટીમ વર્ક, લીડરશીપ તથા સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરતી વિવિધ પહેલો સાથે સામેલ કરવામાં આવ્યાં.કંપનીના જ્ઞાન જ્યોતિ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલ સ્વામી વિવેકાનંદ ઈન્ટર–વિલેજ સ્પોર્ટ્સ ડેમાં રામપારા, ભેરાઇ, શિયાળ બેટ, પાદર, થાવી, દિવાલો, દેવપારા, કડિયાલી અને પિપાવાવ ધામ જેવા ગામોની નવ શાળાના ધોરણ 4થી 8ના…
