અમદાવાદ, શહેરમાં આગામી ચોમાસા દરમિયાન ભૂગર્ભ જળસંચય અભિયાન હેઠળ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનાં પ્રોજેક્ટ અંતર્ગત સાત ઝોનમાં એક હજાર જેટલાં પરકોલેટીંગ વેલ કાર્યરત કરી દેવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.મ્યુનિ.ઇજનેર ખાતામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં વર્ષાેથી પીવાનાં પાણી માટે કે ફેક્ટરી ઉપયોગ માટે બોરવેલની મદદથી ભૂગર્ભ જળ ઉલેચવામાં આવી રહ્યાં છે. નર્મદાનાં નીર ઘર ઘર સુધી પહોંચાડવાનાં દાવા છતાં મ્યુનિ.હદમાં આવેલી સંખ્યાબંધ સોસાયટીઓ અને ફેક્ટરીઓમાં હજુ પણ હજારોની સંખ્યામાં ખાનગી બોરવેલ લાખો લિટર ભૂગર્ભજળ ઉલેચી રહ્યાં છે.તેના પરિણામે શહેરભરમાં પીવાલાયક ભૂગર્ભજળનાં સ્તર ખાસા ઉંડા ઉતરી ગયાં છે અને હવે તો આરોગ્યને હાનિ પહોંચાડે તેવા હાઇ ટીડીએસવાળા પાણી આવી રહ્યાં છે.શહેરી…
Author: gujarat
નવી દિલ્હી: જો તમે ઇન્સ્ટાગ્રામ પર પ્રાઇવસી અને વધારાના કંટ્રોલના શોખીન છો, તો મેટા તમારા માટે એક ખાસ ભેટ લઈને આવી રહ્યું છે. કંપની હવે ‘મેટા વેરિફાઇડ’ (બ્લુ ટિક) સિવાય સામાન્ય યુઝર્સ માટે પણ એક પ્રીમિયમ સેવા ‘ઇન્સ્ટાગ્રામ પ્લસ’ પર કામ કરી રહી છે. આ સર્વિસમાં એવા ફીચર્સ આપવામાં આવશે જેની યુઝર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.ઇન્સ્ટાગ્રામ પ્લસનું સૌથી આકર્ષક ફીચર એનોનિમસ સ્ટોરી વ્યૂ (Anonymous Story View) છે. અત્યાર સુધી જ્યારે તમે કોઈની સ્ટોરી જોતા, ત્યારે તમારું નામ સામેવાળાના વ્યુઅર લિસ્ટમાં દેખાતું હતું. પરંતુ આ પેઇડ સર્વિસ લીધા પછી, તમે કોઈની પણ સ્ટોરી તેની જાણ બહાર (સિક્રેટલી) જોઈ શકશો.…
અમદાવાદ: ગુજરાત રાજ્યના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર તરીકે કાર્યરત ૨૦૦૧ની બેચના સિનિયર આઈએએસ (IAS) અધિકારી શ્રીમતી આરતી કન્વરની કેન્દ્ર સરકારમાં બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ હવે ભારત સરકારને સોંપવામાં આવતા તેઓ નવી દિલ્હી ખાતે મહત્વની જવાબદારી સંભાળશે.શ્રીમતી આરતી કન્વર અત્યાર સુધી અમદાવાદ ખાતે સ્ટેટ ટેક્સ ચીફ કમિશનર તરીકે કુશળ સેવાઓ આપી રહ્યા હતા. હવે તેમની નિમણૂક નવી દિલ્હી ખાતે ‘મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ્સ’ (કાપડ મંત્રાલય) માં એડિશનલ સેક્રેટરી તરીકે કરવામાં આવી છે. તેમની બહોળી વહીવટી ક્ષમતાને ધ્યાને રાખીને કેન્દ્રમાં આ મહત્વનું પદ સોંપવામાં આવ્યું છે.આરતી કન્વરની બદલીને પગલે ખાલી પડેલી અમદાવાદ સ્ટેટ…
(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગરના મહેતાપુરા, બ્રહ્માણીનગર, પરબડા સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં સોમવારે બપોરના સુમારે ગૃહિણીઓ બપોરનું ભોજન બનાવતી હતી ત્યારે અચાનક ઓનલાઈન ગેસનો પુરવઠો બંધ થઈ ગયો હતો જેથી ગૃહિણીઓએ થોડોક સમય રાહ જોઈ હતીપરંતુ ફરીથી રાંધણગેસનો સપ્લાય શરૂ ન થતાં અને બપોરના ભોજનનો ટાઈમ થઈ જતાં ન છુટકે અનેક પરિવારોએ બહારથી ભોજન મંગાવવાનો વખત આવ્યો હતો. ઓનલાઇન ગેસ કંપનીની લાપરવાહીના કારણે સતત ચાર કલાકથી વધુ સમય પુરવઠો બંધ રહયો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરના મોટાભાગના વિસ્તારોમાં સાબરમતી ગેસ દ્વારા પાઈપ લાઈનથી રાંધણગેસનો પુરવઠો નિયમીત રીતે પુરો પાડવામાં આવે છેત્યારે સોમવારે બપોરના સુમારે જયારે મહેતાપુરા,બ્રહ્માણીનગર,…
મોડાસાની મુસાફીર હોટલમાં એસ.ઓ.જી.નો દરોડોમોડાસા, અરવલ્લી જિલ્લામાં હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા સંચાલકો સામે પોલીસ તંત્ર લાલઆંખ કરી રહ્યું છે. ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ અભિયાન અંતર્ગત અરવલ્લી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એચ. રાઠોડ અને તેમની ટીમ મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોડાસાની ડુગરવાડા ચોકડી નજીક આવેલી ‘હોટલ મુસાફીર’ ના સંચાલક પોતાની હોટલમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ વપરાશ માટેના રાંધણ…
(પ્રતિનિધિ)નડિયાદ, માતર તાલુકાના ભલાડા ગામે હરસિધ્ધિ ફળિયા પાસે આવેલા ખુલ્લા ખેતરમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર..ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દરૂડો પાડી માતર ભલાડા ના બુટલેગર રાજેશ ઉર્ફે લાલો બાદશાહ ગુલામ પરમાર સહિત ૧૬ ને પકડી પડ્યા છે અને રૂપિયા ૨૨,૩૬,૭૫૦ ના મુદ્દામાલ ઝડપી પાડ્યા છે જ્યારે જુગાર રમતા ચાર શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતામળતી માહિતી મુજબ માતર તાલુકાના ભલાડા ગામે હરસિધ્ધિ ફળિયા પાસે આવેલા ખુલ્લા ખેતરમાં બુટલેગર રાજેશ ઉર્ફે લાલો બાદશાહ ગુલામ પરમારનુ છેલ્લા ઘણા સમયથી હાય પ્રોફાઈલ જુગાર ધામ ધમધમતું હોવાનું કહેવાય છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ ટીમ ગઈકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન બુટલેગર રાજેશ…
બાથરૂમની દીવાલ પર સંતાડયા હતા ફોન(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ ફરી એકવાર સવાલો ઊભા થયા છે.જેલની અંદરથી ૪ મોબાઈલ ફોન અને ૩ સીમકાર્ડ મળતા તંત્રમાં ચકચાર મચી ગઈ છે.તો બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથધરી હતી.ભરૂચ બી ડિવિઝનમાં જેલર ગૃપ -૧ ના ઝડતી સ્કવોર્ડના દેવસી કરંગીયાએ નોંધાયેલ ફરિયાદ અનુસાર ૦૫/૦૪/૨૦૨૧ ના રોજ પોલીસ મહાનિર્દેશક જેલ અ ને સુધારાત્મક વહીવટ,ગુજરાત રાજ્ય, અમદાવાદની મૌખીક સુચના અનુસાર અમો અમારી ટીમ સાથે ભરૂચ જિલ્લા જેલ ખાતે ૨૨-૦૦ કલાકે આવી નાઈટ મેઈનગેટના અમલદાર સહદેવસિંહ લાલજીભાઇ પરમારનાઓ પાસે ગેટ રજીસ્ટરમાં એન્ટ્રી કરાવી તેઓના પાસે અમારા બધાની અંગ ઝડતી કરાવી…
મોડાસાના ગણેશપુરકંપા સહિત સાત કંપાઓના કચ્છી પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓએ ભાજપને તિલાંજલિ (પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ભાજપની ખેડૂત વિરોધી નીતિઓ અને વિકાસની માત્ર પોકળ વાતોથી કંટાળીને ગણેશપુરકંપા સહિત આસપાસના સાત કંપાઓના કચ્છી પાટીદાર સમાજના ૨૦૦ થી વધુ સક્રિય યુવાનો અને મહિલાઓએ ભાજપને તિલાંજલિ આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત એક કાર્યક્રમમાં તમામ નવયુવાનો અને મહિલાઓ ને કોંગ્રેસનો ખેસ પહેરાવીને વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કોંગ્રેસમાં જોડાયેલા યુવાનોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં ખેડૂતોની હાલત દયનીય બની…
ભાજપમાં બેઠક દીઠ ર૦ દાવેદારો, કોગ્રેસમાં ૬, જયારે ‘આપ’ને ફાંફાં-ટિકિટ માટે પક્ષમાં ‘પરિવારવાદ’નું આક્રમણઃ નેતાઓના સગા-વ્હાલા મેદાનમાં(એજન્સી)અમદાવાદ, રાજકીય પક્ષોમાં આગામી ચુંટણીને લઈ ગરમાવો તેજ બન્યો છે. જિલ્લાની બેઠકો પર દાવેદારી નોધવવા માટે નેતાઓની દોડાદોડ વધી છે. પરંતુ આ વખતે સેવા ના નામે પરીવારવાદનું વર્ચસ્વ વધુ જોવામળી રહયું છે.ટીકીટ વાંછુઓમાં જોવા પતીપત્ની દીકરા સસરા અને કાકા સસરા સુધીના સગાસંબંધીઓને દાવેદારી નોધાવતા પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરો વેઈટલટીગમાં મુકાયા છે. જેના લીધે પાયાના કાર્યકરોમા ભારે રોષ જોવા મળી રહયો છે. ટીકીટોની જાહેરાત બાદ મોટી ઉથલપાથલના સંકેત વર્તાઈ રહયા છે. છેલ્લી ઘડીએ ખેલ પાડી માનીતાઓને જીતાડવાના માટે અત્યારથી જ ચોકઠા ગોઠવવામાં આવી રહયા છે.જીલ્લાની…
