Author: gujarat

ગો ડિજિટ કંપની સામે ગ્રાહક સુરક્ષા ફોરમનો ચુકાદોજો કંપની બે માસમાં આ રકમ નહીં ચૂકવે તો તેઓએ ૯ ટકા લેખે વ્યાજ ચુકવવું પડશે. ફોરમે ફરિયાદીના ખર્ચ પેટે વધારાના રૂપ,૦૦૦ પણ ચુકવવાનો હુકમ કર્યો છે.રાજકોટ, રાજકોટમાં ગ્રાહકોના વીમા કલેઈમ નકારવાના કિસ્સાઓ વધુ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. ફરિયાદી રાજકોટના કોમલબેન રાઠોડે ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી રૂ.૬,૦૦,૦૦૦નું વીમા કવચ લીધું હતુંકોમલબેન ગર્ભાશયના ગાઠના ઓપરેશન માટે હોસ્પિટલ ખાતે તા.ર૯.૩.ર૦ર૪ થી તા.૩૧.૩.ર૦ર૪ સુધી સારવાર લીધી હતી, જેનો કુલ ખર્ચ રૂ.૯પ,૯૩૬ થયો હતો પરંતુ ગો ડિજિટ…

Read More

શિક્ષણ, આરોગ્ય અને વિકાસના ૨૦ વર્ષના માસ્ટર પ્લાન સાથે પરિવર્તનનો દાવો(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે, ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ‘કોંગ્રેસનું કમિટેમેન્ટ’ શીર્ષક હેઠળ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર અમિત નાયક દ્વારા આ મેનિફેસ્ટો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પ પત્રમાં શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓમાં ધરખમ ફેરફારો કરવાની ખાતરી સાથે શહેરના આગામી ૨૦ વર્ષના વિકાસનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આ આક્રમક અભિગમ અને જીતના દાવાને પગલે રાજકીય આલમમાં હલચલ મચી છે.શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પક્ષ દ્વારા મોટા વચનો આપવામાં…

Read More

(પ્રતિનિધિ) દેવગઢ બારીયા, દેવગઢ બારીયાના મેઘામુવાડી ગામનાં જંગલમાં ત્રાટકેલી દેવગઢબારિયા પોલીસે તાડપત્રીમાં સંતાડી રાખેલ રૂપિયા ૬.૪૧ લાખ ઉપરાંતની કિંમતના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની ૭૫ જેટલી પેટીઓ પકડી પાડી એક વ્યક્તિની અટકાયત કર્યાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીયા પોલીસની ટીમ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામના મહેંદી ખેડા ફળિયામાં રહેતા મુકેશભાઈ ચંદુભાઈ પટેલ, શૈલેષભાઈ હિંમતભાઈ પટેલ તથા દેવગઢબારિયા તાલુકાના ભુવાલ ગામના પ્રકાશભાઈ પર્વતભાઈ પટેલ એમ ત્રણેય જણાય વિદેશી દારૂનો વેપલો કરવા બહારથી દારૂનો જંગી જથ્થો મંગાવી મેગામ મુવાડી ગામના જંગલમાં એક જગ્યાએ તાડપત્રીમાં સંતાડી રાખેલ હોવાની ગુપ્ત બાતમી તેઓના બાતમીદાર દ્વારા…

Read More

છાપરીયામાં રહેતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી મરાવી નાખવાની ધમકી આપી(પ્રતિનિધિ) હિંમતનગર, રાજયમાં ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે તેમ છતાં હિંમતનગરના ચિસ્તીયાનગરમાં રહેતા એક રહીશે આઠ વર્ષ અગાઉ હડિયોલપુલ છાપરીયા વિસ્તારમાં રહેતા અને નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં માસિક ૧૦ ટકાના વ્યાજે રૂ.૧૦ લાખ આપ્યા બાદપાંચ વર્ષ સુધી વ્યાજ અને લીધેલ રકમ મળી અંદાજે રૂ.૬૦ લાખ અને પેનલ્ટી પેટે દર મહિને રૂ.૧પ હજાર ચુકવ્યા હોવા છતાં છાપરીયા વિસ્તારમાં રહેતા વ્યાજખોરે અમદાવાદના માણસો મારફતે ઉઠાવી મરાવી નાખવાની ધમકી આપી આખા પરિવારને માનસિક અને આર્થિક રીતે ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં…

Read More

ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા અનેક ઠેકાણે બેનરો ઉડયા(પ્રતિનિધિ) હિંમતનગર, હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે સાબરકાંઠામાં બપોર પછી વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ હિંમતનગર સહિત જિલ્લાના અન્ય ઠેકાણે જોરદાર પવન તથા ગાજવીજ સાથે માવઠુ થવાને કારણે જનજીવન થોડોક સમય માટે જાણે કે થંભી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.ડીઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે ૩ વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે જોરદાર પવન ફૂંકાયો હતો. જેથી કયાંક કાચા છાપરા તથા ઝાડ અને વીજ થાંભલા પડી ગયા હતા. સદ્‌નશીબે કમોસમી વરસાદને કારણે સાંજે ૬ વાગ્યા સુધી જિલ્લામાં કોઈ જાનહાનીની વિગતો સાંપડી નથી.ડીઝાસ્ટાર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે…

Read More

ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતુંઢોંસાના ખીરુંના કારણે કથિત મોતના કેસમાં બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયો(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું તૈયાર ખીરું ખાવાથી બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં સાતમી એપ્રિલ એક મોટો વળાંક આવ્યો છે, જ્યારે એફએસએલ ટીમની હાજરીમાં અઢી મહિનાની બાળકીના દફનાવી દીધેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ફરીથી બહાર કાઢવામાં આવ્યો હતો. મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ હવે વૈજ્ઞાનિક તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત છઠ્ઠી એપ્રિલના…

Read More

અમદાવાદ, વાડજ પિયરમાં રહેતી પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાે હતો. લગ્નના પાંચ દિવસ બાદથી જ પતિ માનસિક ત્રાસ આપીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો. જેથી પરિણીતાએ કંટાળીને ફ્લેટના છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યાે હતો. વાડજ પોલીસે પરિણીતાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.નવા વાડજમાં આવેલા મંગલાગૌરી રેસિડેન્સી ખાતેના પિયરમાં છ માસથી રહેતા આશાબેનના ૧૫ વર્ષ અગાઉ રાજસ્થાનના વિપુલ શર્મા સાથે લગ્ન થયા હતા. લગ્નના પાંચ દિવસ બાદથી પતિ વિપુલે માનસિક ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. પતિ વિપુલ અવાર નવાર માર મારતો હતો અને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો.ગત નવેમ્બર માસમાં આશાબેનની સાસુએ માતાને ફોન કરીને “આશા…

Read More

અમદાવાદ, શહેરમાં ગરમીની મોસમ તેમજ ભેળસેળયુક્ત અને જાહેર આરોગ્યને હાનિ પહોંચાડે તેવા ખાદ્યપદાર્થાેનાં ધૂમ વેચાણને પગલે તથા પ્રદૂષિત પાણીનાં કારણે ઝાડા ઊલટી, ટાઇફોઇડ જેવા રોગચાળામાં વધારો નોંધાયો છે, પરંતુ મ્યુનિ. હેલ્થ ખાતાનાં ચોપડે કોઇ અકળ કારણોસર ઓછા કેસ નોંધાઇ રહ્યાં છે.શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ખાણીપીણીનો ધંધામાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે.જ્યાં જુઓ ત્યાં ખાણીપીણીની લારીઓ, ફાસ્ટફૂડની દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, આ સિવાય ખાણીપીણીની ચીજવસ્તુઓનાં ઉત્પાદકો પણ વધ્યા છે.પરંતુ ખાણીપીણીની ચીજવસ્તુ વેચનારા કેટલાય ધંધાર્થીઓ હલકી ગુણવત્તાનાં ખાદ્યપદાર્થાેનો ઉપયોગ કરતાં હોવાથી તેમજ સ્વચ્છતા અને અન્ય નિયમોનું પાલન નહિ કરતાં હોવાથી નાગરિકોને વિવિધ પ્રકારની બિમારીનો ભોગ બનવું પડી રહ્યું…

Read More

અમદાવાદ, શહેરમાં રહેતા એક વૃદ્ધ રેલવે ડિપાર્ટમેન્ટની ડીએફસીસીની એક કંપનીમાં નોકરી હતા. જે બાદ રિટાયર્ડ થતાં વર્ષ ૨૦૨૦માં તેમને રિટાયર્ડમેન્ટની કેટલીક રકમ મળી હતી. જેથી બાજુની કંપનીમાં કામ કરતા ગઠિયાએ એક વ્યક્તિ શેરબજારનો વેપાર કરે છે અને તે કેટલાક લોકોને ધિરાણ કરે છે, તેમના ત્યાં ધિરાણ કરતા લોકોને ૧૦ ટકા વળતર આપતો હોવાની વાત કરી હતી.જેથી વૃદ્ધને રસ પડતા તેમણે જીવનભરની મૂડી અને રિટાયર્ડમેન્ટની આવેલી રકમ સહિત ૩૦ લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં ગઠિયાએ વળતર ન આપીને જેના ત્યાં રોકાણ કર્યું તેનું અવસાન થયું હોવાનું બહાનું બતાવીને છેતરપિંડી આચરી હતી. સાબરમતી પોલીસે બંને લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી…

Read More