ધમકીઓનો સિલસિલો ચિંતાનો વિષય(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. છઠ્ઠી એપ્રિલ વહેલી સવારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા તંત્ર અને પોલીસ દોડતું થયું હતું.ધમકીભર્યા સંદેશાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ધમકીની જાણ થતાં જ અમદાવાદ આરટીઓ સત્તાધીશોએ રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જોખમને ટાળવા માટે તાત્કાલિક ધોરણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં…
Author: gujarat
બેના કરૂણ મોતસ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીઆણંદ,આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક વહેતી મહીસાગર નદીમાં રવિવારે એક મોટી દુર્ઘટના સર્જા હતી. આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા ચાર મિત્રો રજાના દિવસે મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે પાણીના પ્રવાહનો અંદાજ ન આવતા ચારેય યુવાનો નદીમાં ડૂબવા લાગ્યા હતા. આ સમયે આસપાસના સ્થાનિકોની નજર પડતા તેઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બે યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા, પરંતુ અન્ય બે યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શોધખોળ બાદ ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી…
ઘટનાને લઈને પરિવારમાં આક્રોશનો માહોલયુવતીના સંબંધીઓએ યુવકને ગુપ્ત ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતાં પાલનપુર ખસેડાયોથરાદ,થરાદ પંથકમાંથી થોડા સમય અગાઉ યુવક-યુવતી ભાગી ગયા હતા. જોકે, યુવતીના પરિજનોએ ભાગેલા યુવક-યુવતીને શોધી કાઢ્યા હતા. આથી યુવતીના પરિવારના કેટલાક શખ્સોએ ઝડપાયેલા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના કારણે શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાથે જ યુવકના ગુપ્ત ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચાડતાં સારવાર અર્થે થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ હાલત સુધારા પર ન હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી.આ ઘટનાને લઈ વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર ફેલાઈ છે. યુવક ઉપર યુવતીના પરિવારના કેટલાક શખ્સોએ ક્‰ર રીતે હુમલો કર્યાે…
વહેલી સવારે ગમખ્વાર અકસ્માતએરપોર્ટ રોડ પર બે બાઈક સામસામે ફૂલ ઝડપે આવી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે સીધી અને પ્રચંડ ટક્કર થઈ હતીપોરબંદર,ગાંધીભૂમિ પોરબંદરમાં આજે વહેલી સવાર રક્તરંજિત સાબિત થઈ છે. શહેરના એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતે ત્રણ પરિવારોના વહાલસોયા દીકરા છીનવી લીધા છે. વહેલી સવારે ૫ થી ૬ વાગ્યાના સુમારે બનેલી આ દુર્ઘટનામાં કુલ પાંચ યુવાનો અડફેટે આવ્યા હતા, જેમાંથી ત્રણના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે બે ઈજાગ્રસ્તો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.મળતી માહિતી મુજબ, એરપોર્ટ રોડ પર બે બાઈક સામસામે ફૂલ ઝડપે આવી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે સીધી અને પ્રચંડ…
સટોડિયાએ માસ્ટર આઇડી સાથે સ્ટેડિયમમાં બેસીને સોદા કર્યાતમામ લોકો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઇપીએલ મેચ પર સટ્ટો રમતા હતાંઅમદાવાદ,વસ્ત્રાપુરમાં આવેલા એક બંગલોમાં ક્રાઇમ બ્રાંચે રેડ પાડીને ક્રિકેટ મેચના સટ્ટા માટે આઇડી ખરીદીને વેચાણ કરતા છ આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ વિવિધ વિસ્તારોમાંથી મેચના દિવસે પણ સટોડિયાઓની પોલીસે ધરપકડ કરી છે. સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાંથી પોલીસે સટોડિયાઓને ઝડપી પાડ્યા છે. આ તમામ લોકો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઇપીએલ મેચ પર સટ્ટો રમતા હતા. પકડાયેલામાંથી એક આરોપી તો માસ્ટર આઇડી સાથે સ્ટેડિયમમાં બેસીને સોદા કર્યા હોવાનું ખૂલ્યું છે.શનિવારે યોજાયેલી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઇપીએલ મેચ…
ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રની 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2026 એનાયત કરી સમ્માનિત કરવામાં આવીશક્તિ એવોર્ડ 2026: ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં 11 પ્રતિભાશાળી મહિલાઓનો સન્માન સમારોહઅમદાવાદ : ડ્રીમ ફાઉન્ડેશન, અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સામાજિક કાર્યો થકી રાષ્ટ્ર ઉત્થાનમાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યું છે. આ સંસ્થા દ્વારા 5 એપ્રિલ, 2026ના રોજ એએમએ ખાતે પોતાના ક્ષેત્રમાં અગ્રણી એવી 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2026 અને પ્રમાણપત્ર એનાયત કરી સમ્માનિત કરવામાં આવી.શક્તિ એવોર્ડ 2026માં વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય યદુનાથ મહોદયા, જાણીતા વક્તા રેખાબેન દેસાઇ, જાણીતા ગાયનોકોલોજીસ્ટ ડૉ. લીના પટેલ અને શિક્ષણવિદ ગિતીકા સલુજા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.પોતાના ક્ષેત્રમાં…
ગાંધીનગર, 6 એપ્રિલ ગુજરાતમાં સત્તાવાળાઓએ રાજ્યવ્યાપી અમલીકરણ ઝુંબેશ દરમિયાન 17 ખાદ્ય એકમો પર કુલ રૂ. 1,40,900નો દંડ ફટકાર્યો છે અને અંદાજે 615 કિલોગ્રામ હલકી ગુણવત્તાના ખોરાકનો નાશ કર્યો છે. રવિવારે અધિકારીઓએ જણાવ્યું હતું.આ કાર્યવાહી હોટલ, રેસ્ટોરાં, ઢાબા અને સ્ટ્રીટ ફૂડ યુનિટ્સમાં પનીર અને ‘એનાલોગ પનીર’ના ઉપયોગમાં ખાદ્ય સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે.ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) એ 4 એપ્રિલે એક આદેશ જારી કરીને તમામ ખાદ્ય વ્યવસાય સંચાલકોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ દૂધના પનીરનો ઉપયોગ કરી રહ્યા છે કે વનસ્પતિ ચરબી, સ્ટાર્ચ અથવા અન્ય વિકલ્પોમાંથી બનાવેલ ‘એનાલોગ પનીર’નો ઉપયોગ કરી રહ્યા છે તે સ્પષ્ટપણે…
માળીયા નગર પાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે -મોરબીના માળીયામાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યો નથી-કારણ કે વર્ષોથી કોંગ્રેસે સત્તા જમાવી છેમોરબી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાલ ગુજરાતમાં ભારે રાજકિય ગરમાયો જામ્યો છે. રાજ્યભરમાં હાલ ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતની વિવિધ પાર્ટીઓ વિવિધ જગ્યાએ પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા તથા જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનો ભરતી મેળો એટલે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી છે.આ સમયે ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટા ભાગના શહેરોમાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે આવા સમયે ગુજરાતમાં આ એક જગ્યાએ સ્થિતિ એકદમ ઉલટી સર્જાઈ છે અને ભાજપને અહીં પોતાનો મુરતિયો…
ઉમરેઠ પેટાચૂંટણી માટે ભાજપે હર્ષદ પરમાર અને કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યા હતાઆણંદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર પણ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી આ બેઠક હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી જેમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા. તો કોંગ્રેસના ઉમેદવાર સોમવારે નામાંકન કરવાના છે.ભાજપે સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ મૂક્્યો છે, તો કોંગ્રેસે વરિષ્ઠ નેતા ભૃગુરાજ સિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતી આ બેઠક પર બંને…
