ગુજરાતમાં ૧૦ લાખ યુનિટ સુધીની ક્ષમતા વધારવાનો પ્રસ્તાવ મૂકાયો છે-ગુજરાતના ખોરજ GIDCમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે.(એજન્સી)ગાંધીનગર, દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી મોટું રોકાણ લાવી રહી છે. મારુતિ સુઝુકીના ડિરેક્ટર બોર્ડે ગુજરાતમાં રૂ.૪,૯૬૦ કરોડના જમીન સંપાદન પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.હાલ ગુજરાતમાં ચાલી રહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ, ગુજરાતમાં એક કાર કંપનીએ ગુજરાતમાં મોટું રોકાણની જાહેરાત કરી છે. દેશની ટોચની ઓટોમોબાઇલ ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાના ડિરેક્ટર બોર્ડે ગુજરાતમાં જમીન સંપાદન અને તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે રૂ.૪,૯૬૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે અંતર્ગત ગુજરાતમાં ૧૦ લાખ યુનિટ સુધીની ક્ષમતા વધારવાનો પ્રસ્તાવ મૂકાયો છે.મારુતિ…
Author: gujarat
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ સાબરકાંઠા નાઓએ સાબરકાઠા જીલ્લામાં ચાઇનીઝ દોરીના ગેર કાયદેસર વેચાણ બાબતે ચાઇનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ,ઈડરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામા સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચન આપેલ જે સુચના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પી.આઈ. આર.ટી. ઉદાવત તથા સર્વેલન્સ ટીમના માણસો અહેકો ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ, અહેકો કનુભાઈ મોગજીભાઈ, તથા આપોકો દિલીપભાઈ રણછોડભાઈ વિગેરે પેટ્રોલિંગમાં હતાતે દરમ્યાન સાથેના આ.પો કો…
Rajkot Morbi Highway Accident મામલે મોડી રાત્રે એક હૃદયવિદારી ઘટના સામે આવી છે. રાજકોટ-મોરબી હાઈવે પર કાગદડી ગામ નજીક બે કાર વચ્ચે થયેલી જોરદાર સામસામે ટક્કરમાં બે નાનાં બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.કેવી રીતે સર્જાયો અકસ્માત?મળતી માહિતી મુજબ, ઘટના ગત મોડી રાત્રે બની હતી. ઝડપી ગતિએ આવી રહેલી બે કાર એકબીજાને સામસામે અથડાઈ હતી. આ ભીષણ ટક્કરમાં 3 વર્ષીય મોક્ષ અને નવ મહિનાની શ્રેયા મદ્રેસણિયાનું કરુણ મોત નિપજ્યું છે. બંને માસૂમોના અકાળ નિધનથી પરિવારજનોમાં ભારે આક્રંદ…
અમદાવાદ, ગુજરાતમાં ડ્રગ્સ, હેરોઈન અને હાઈબ્રિડ ગાંજાનું ચલણ સતત વધી રહ્યું છે ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ રાજસ્થાનથી ૪૮ લાખનું હેરોઈન લઈને વડોદરા આવી રહેલા પેડલરને વડોદરા રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો હતો.પેડલર અમરિકસિંઘ પ્લેટફોર્મ પરથી કૂદીને ખાડામાં પડતાં પગ ભાંગ્યો હતો. પોલીસે તેની પાસેથી ગાંજો કબજે લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.ગાંજો, હેરોઈન, ચરસ અને ડ્રગ્સના પેડલરોની સ્થાનિક પોલીસને માહિતી મળતી નથી ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલના નિલિપ્ત રાય અને મયુર ચાવડાની ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી આવી રહેલી એક ટ્રેનમાં પેડલર ૪૮ લાખનું હેરોઈન લઈને આવી રહ્યો છેતરત જ ઈન્સ્પેકટર વનાર અને કરમટા ટીમ સાથે…
Ahmedabad Crime News અંતર્ગત શહેરમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક ગત રાત્રે કેટલાક શખસોએ લાકડી અને છરી વડે ઘાતકી હુમલો કરીને એક યુવાનની હત્યા કરી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.શું છે સમગ્ર ઘટના?મળતી વિગતો મુજબ, ગત 14 જાન્યુઆરીની રાત્રે આશરે 9:45 વાગ્યે આ ઘટના બની હતી. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ સમાધાનના બહાને યુવાનને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા જ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો.લાકડી અને છરીથી નિર્મમ હુમલોઆરોપીઓએ ભેગા મળીને યુવક પર લાકડીઓ વડે માર માર્યો હતો. ત્યારબાદ…
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના અનેક ગામડાઓના ધરતીપુત્રો નહેર નિગમ અને નહેર વિભાગ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી કરીને થાકી ગયા છે,છતાં તંત્રની જાડી ચામડી હજી સુધી ભેદાઈ નથી.રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થતી અને આછોદ, મછાસરા, રોજા ટંકારીયા, હેતમપુરા, વલીપોર, માંગરોલ, દેણવા સહિત અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે નહેર નહીં પરંતુ ઝાડી-ઝાંખર અને ગાદથી ભરેલું જંગલ બની ગઈ છે. નહેર બને ત્યારથી આજદિન સુધી યોગ્ય રીતે સાફ-સફાઈ થઈ નથી કે શું, એવા ભયાનક દ્રશ્યો નહેરના દરેક કિલોમીટરે જોવા મળી રહ્યા છે.નહેરમાં ઉગેલા ઝાડ, ઝાંખર, ગંદકી અને ગાદના કારણે પાણીનો પ્રવાહ સંપૂર્ણ રીતે અવરોધાઈ ગયો છે.પરિણામે ખેડૂતો સુધી એક…
(પ્રતિનિધિ) ગોધરા, શહેરા તાલુકાના અણિયાદ ગામ સ્થિત લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વૈશાલીબેન કિરણસિંહ બારીઆ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાતા સમગ્ર શાળા પરિવાર, ગામ અને શહેરા તાલુકામાં ગૌરવની લાગણી પ્રસરી છે.વૈશાલીબેને BSFની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી તા. ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ શહેરા પરત ફરતા તેમના સન્માનાર્થે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત અણિયાદના સદસ્ય વિનુભાઈ અમરાભાઈ નાયક, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમણસિંહ હિંમતસિંહ રાઠોડ, અણિયાદ ગામના સરપંચ સરસ્વતીબેન દિલીપભાઈ બારીઆ, ગામના અગ્રણી આરતભાઈ ફતેસિંહ બારીઆ,હીરાભાઈ હેમાભાઈ, વાઘાસાહેબ, શિક્ષક ઘટક સંઘના ઉપપ્રમુખ ભવાનસિંહ, પગાર કેન્દ્ર શાળા અણિયાદના આચાર્ય, પેટા શાળાઓના આચાર્યઓ, સી.આર.સી. મનોહરસિંહ બિયોલા, પાલીખંડા સી.આર.સી. ભુપેન્દ્રસિંહ સોલંકી…
JCB Demolish Water Tankનો અદ્દભુત કિસ્સો ગુજરાતના અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં આશરે 60 ફૂટ ઊંચી અને 10 માળ જેટલી પાણીની ટાંકી તોડવા માટે સીધું JCB મશીન ટોચ સુધી પહોંચાડવામાં આવ્યું. આ જોખમી કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને JCB ડ્રાઈવરની હિંમતને સલામ કરી રહ્યા છે.કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ માટે કાર્યવાહીઆ ઘટના અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન નજીકની છે, જ્યાં સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી ચાલી રહ્યો છે. આ વિસ્તારને વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ સાથે વિકસાવવા માટે 75 વર્ષ જૂની અને લાંબા સમયથી બિનઉપયોગી રહીેલી પાણીની ટાંકી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ક્રનની મદદથી ટોચ પર પહોંચ્યું…
ઉત્તરાયણના તહેવારમાં ઈમરજન્સીને પહોંચી વળવા(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતો ઉત્તરાયણ પર્વ આનંદ, મેળાવડા અને ઉત્સાહ ભર્યા પળો લાવે છે.ત્યારે ઉત્તરાયણના તહેવાર ૧૪ અને ૧૪ મી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે.છેલ્લા ચારથી પાંચ વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઈમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે.આ ઈમરજન્સીને પહોંચી વળવા ભરૂચ જીલ્લા ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ ૧૪ અને ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ એમ બે દિવસ અપેક્ષિત ઈમરજન્સીના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ થઈ છે અને જીલ્લામાં ૩૪ એમ્બ્યુલન્સ તેમજ ૧૪૦ કમૅચારીઓ ખડે પગે સેવા આપશે.પાછલા વર્ષોની માહિતીના…
વલસાડ, વલસાડની ઝેનિથ ડૉ. હાઉસે ડૉ. ધ્રુમિલ સરકાર પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન તથા ફેશિયલ પ્લાસ્ટિક સર્જન ના નેતૃત્વ હેઠળ એક બેન્ચમાર્ક, સ્ટેટ-ઓફ-ધ-આર્ટ હેડ એન્ડ નેક કેન્સર સર્જરી સફળતાપૂર્વક કરીને આરોગ્યક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ વલસાડ-વાપી વિસ્તારમાં અદ્યતન કેન્સર સારવાર માટે એક નવા યુગની શરૂઆત દર્શાવે છે.વર્ષો સુધી ગંભીર હેડ એન્ડ નેક કેન્સરથી પીડિત દર્દીઓને અદ્યતન સારવાર માટે મહાનગરોમાં જવું પડતું હતું. ડૉ. ધ્રુમિલ સરકારના દ્રષ્ટિવાન નેતૃત્વ અને નિષ્ણાતી માર્ગદર્શન હેઠળ, ઝેનિથ ડૉ. હાઉસે હવે આંતરરાષ્ટ્રીય સ્તરની કેન્સર સર્જરી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનાવી છે, જેથી દર્દીઓને ઘર નજીક ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળી શકે.આ સર્જરીમાં આધુનિક…
