Author: gujarat

ઉત્તરાયણના તહેવારમાં ઈમરજન્સીને પહોંચી વળવા(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતો ઉત્તરાયણ પર્વ આનંદ, મેળાવડા અને ઉત્સાહ ભર્યા પળો લાવે છે.ત્યારે ઉત્તરાયણના તહેવાર ૧૪ અને ૧૪ મી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે.છેલ્લા ચારથી પાંચ વર્ષના મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને અને માર્ગ ઉપર ટ્રાફિકને કારણે ઈમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે.આ ઈમરજન્સીને પહોંચી વળવા ભરૂચ જીલ્લા ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ ૧૪ અને ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ એમ બે દિવસ અપેક્ષિત ઈમરજન્સીના વધારાને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ થઈ છે અને જીલ્લામાં ૩૪ એમ્બ્યુલન્સ તેમજ ૧૪૦ કમૅચારીઓ ખડે પગે સેવા આપશે.પાછલા વર્ષોની માહિતીના…

Read More

વલસાડ, વલસાડની ઝેનિથ ડૉ. હાઉસે ડૉ. ધ્રુમિલ સરકાર પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન તથા ફેશિયલ પ્લાસ્ટિક સર્જન ના નેતૃત્વ હેઠળ એક બેન્ચમાર્ક, સ્ટેટ-ઓફ-ધ-આર્ટ હેડ એન્ડ નેક કેન્સર સર્જરી સફળતાપૂર્વક કરીને આરોગ્યક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ વલસાડ-વાપી વિસ્તારમાં અદ્યતન કેન્સર સારવાર માટે એક નવા યુગની શરૂઆત દર્શાવે છે.વર્ષો સુધી ગંભીર હેડ એન્ડ નેક કેન્સરથી પીડિત દર્દીઓને અદ્યતન સારવાર માટે મહાનગરોમાં જવું પડતું હતું. ડૉ. ધ્રુમિલ સરકારના દ્રષ્ટિવાન નેતૃત્વ અને નિષ્ણાતી માર્ગદર્શન હેઠળ, ઝેનિથ ડૉ. હાઉસે હવે આંતરરાષ્ટ્રીય સ્તરની કેન્સર સર્જરી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનાવી છે, જેથી દર્દીઓને ઘર નજીક ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળી શકે.આ સર્જરીમાં આધુનિક…

Read More

દેશભક્તિની ભાવના ઉજાગર કરતી “ઓપરેશન સિંદુર” તેમજ રાષ્ટ્રભક્તિ સંબંધિત લખાણવાળી પતંગો લોકોને ખાસ પસંદ પડી રહી છે.(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં આકાશી યુદ્ધના પર્વ તરીકે ઓળખાતું ઉત્તરાયણ પર્વ નજીક આવતા પતંગ બજારોમાં ફરી રોનક જોવા મળી રહી છે. પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહેતા શહેરના વિવિધ પતંગ બજારોમાં અંતિમ તબક્કાની ભારે ઘરાકી નીકળતાં વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.ઉતરાયણ પૂર્વેના શરૂઆતના દિવસોમાં બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. પતંગો અને દોરીની વેચાણમાં અપેક્ષિત ઉછાળો ન આવતાં અનેક વેપારીઓમાં નિરાશા ફેલાઈ હતી. જોકે, જેમ જેમ પર્વ નજીક આવ્યું તેમ તેમ લોકોની ખરીદીમાં વધારો નોંધાયો છે અને અંતિમ દિવસોમાં ભારે ઘરાકી…

Read More

(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ: ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે અમદાવાદના પતંગ બજારોમાં ભભક જોવા મળી રહી છે. ખાસ કરીને પતંગો માટે વિશ્વવિખ્યાત એવા રાયપુર દરવાજા બજારમાં સોમવારે મોડી રાત્રે ખરીદીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો. શહેરીજનો મોટી સંખ્યામાં પતંગ અને માંજો ખરીદવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર રાયપુર વિસ્તાર ‘કાઈટ ફીવર’માં ડૂબેલો જોવા મળ્યો હતો.મોડી રાત સુધી ધમધમ્યું બજાર રાયપુર દરવાજા તેની પરંપરાગત પતંગો અને મજબૂત દોરી (માંજો) માટે જાણીતું છે. ગઈકાલે રાત્રે અહીં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકો પોતાની મનપસંદ પતંગોની પસંદગી કરતા નજરે પડ્યા હતા.વેપારીઓના…

Read More

ગુજરાતના આકાશમાં ગુંજશે પોષણનો સંદેશ: મકરસંક્રાંતિ નિમિત્તે રાજ્યભરમાં ઉજવાઈ રહ્યો છે‘પોષણ ઉડાન – ૨૦૨૬‘પૌષ્ટિક ચિકી,શ્રી અન્ન વાનગીઓ અને હેલ્થ ચેકઅપ દ્વારા ઉત્તરાયણ બનશે વધુ તંદુરસ્તઅમદાવાદ, ગુજરાતમાં ૧૪મી જાન્યુઆરી,મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરી દરમિયાન ‘પોષણ ઉડાન – ૨૦૨૬’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પતંગોત્સવના માધ્યમથી પોષણ અંગે જનજાગૃતિ લાવવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં બે દિવસ દરમિયાન રાજ્ય,ઝોન,જિલ્લા,ઘટક અને આંગણવાડી કેન્દ્ર કક્ષાએ આઈસીડીએસ અંતર્ગત વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.પોષણ ઉડાન-૨૦૨૬ હેઠળ બાળકો,કિશોરીઓ,સગર્ભા અને ધાત્રી માતાઓ,સ્થાનિક શાળાઓ,એનજીઓ,સમુદાયના આગેવાનો જન ભાગીદારીથી જોડાશે. આ કાર્યક્રમ…

Read More

સિવિલ હોસ્પિટલમાં થયું ગુપ્તદાન સ્વરૂપે એક વધુ અંગદાન :- સિવિલમાં કુલ અંગદાન ૨૨૫એ પહોચ્યુ –સિવિલ હોસ્પિટલ માં એક દીવસમાં એક બ્રેઇન ડેડ તેમજ એક મ્રુત દાતા તરફથી ૧૦ અંગોનુનું ન મળ્યુહ્રદય, લીવર, બે કીડની, બે આંખો તેમજ એક ત્વચાનું દાન મળ્યું –સિવિલ હોસ્પિટલ માં મુસ્લીમ સમાજમાંથી થયેલુ આ ૮મુ અંગદાનયુ એન મેહતા હોસ્પિટલમાં દાખલ ૬૪ વર્ષીય દીનેશભાઇ ગલાઠીયા મ્રુત્યુ પામતા પરીવારજનો એ સ્કીન તેમજ આંખોનુ દાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યોઅત્યાર સુધી ૨૨૫ અંગદાતાઓ થકી ૭૪૬ અંગો દાન માં મળ્યા –૧૬૮ ચક્ષુ તેમજ ૩૨ ચામડી મળી કુલ ૨૦૦ પેશી ઓ નુ પણ દાન મળ્યુઅત્યાર સુધી અંગદાન થી મળેલા ૭૪૬ અંગો થકી…

Read More

હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTFગુજરાત વોટ્સએપ નંબર:99040 01908ઉપર સંપર્ક કરી શકશેનાગરિકો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર1908ઉપર પણ કોલ કરી શકે છેડ્રગ્સની હેરાફેરી,વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે રીતસરની જંગ છેડવામાં આવી છે ત્યારે ડ્રગ્સ માફીયાઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત પોલીસમાં ડેડિકેટેડ નાર્કોટિક્સ કેસને લગતી કાર્યવાહી કરવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)બનાવવામાં આવી છે.આ લડાઈને વધુ વેગ આપવા અને સામાન્ય જનતા સરળતાથી ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ માહિતી…

Read More

સુરતમાં પૈસાની લેતી-દેતીમાં હત્યા મૃતક રોહિતસિંઘ પાસેથી અક્ષયે રૂ.૮૦ હજાર ઉછીના લીધા હતા, આ રૂપિયાની ઉઘરાણી કરતા રોહિતસિંઘે અક્ષયને ધમકી પણ આપી હતીસુરત,સુરતમાં પાંચ વર્ષ પહેલા મગદલ્લા વાય જંકશન પાસે ખેતલાઆપા ટી સ્ટોલમાં સુતેલા ૨૩ વર્ષિય યુવકની ૮૦ હજારની લેતી-દેતીમાં હત્યા કરવાના કેસમાં સુરતની કોર્ટે બે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને એક-એક હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.મગદલ્લા વાય જંકશન પાસે ખેતલાઆપા ટી-સ્ટોલ ચલાવતા ૨૩ વર્ષીય રોહિતસિંઘ અમરપાલસિંઘ પરીહાર ટી-સ્ટોલ ખાતે જ રહેતા હતા.દરમિયાન ૧૬-૯-૨૦૨૧નાં રોજ મોડી રાત્રિના સમયે આરોપી અક્ષય ઉર્ફે એલેક્ષ સુલામ ગઢઇ ઓટો રીક્ષામાં તેના સાગરીત કિશન ઉર્ફે ક્રિષ્ના કાલીશંકર ગુપ્તા (રહે. અલથાણ એસએમસી ક્વાટર્સ…

Read More

સુરત, સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે. કતારગામના ધનમોરા રોડ પર આવેલી જેકેપી નગર નામની સોસાયટીમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા કરાતા ફફડાટ ફેલાયો છે. જૂની અદાવતને પગલે આ ખૂની ખેલ ખેલાયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે આવેલી સર્જન હાઇટ્‌સમાં ૪૬ વર્ષીય વિપુલ રવજીભાઈ માંડાણી પરિવાર સાથે રહેતા હતા. આ સાથે જ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બિલ્ડર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિપુલભાઈ કતારગામ વિસ્તારમાં આવેલા જે.કે.પી. સોસાયટી પાસે કામ અર્થે ગયા હતા.ઢળતી સાંજે બનેલી હત્યાની આ ઘટનામા ત્રણથી ચાર શખસો સાથે બોલાચાલી અને…

Read More

અમદાવાદ , કઠવાડા વિસ્તારમાં પતંગના સ્ટોલમાં ત્રણ સગીર મિત્રો આરામ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરઝડપે આવેલી એક કાર સ્ટોલ સાથે અથડાતા મંડપ તૂટી પડ્યો હતો. ત્યારબાદ સ્ટોલને ફરી સરખો કરતી વખતે ખુલ્લા પડેલા ઇલેક્ટ્રિક વાયરથી ત્રણેય સગીરને કરંટ લાગતા તેઓ બેભાન થઈ ગયા હતા. જેમાં એક સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે બે સગીરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.કઠવાડા સિંગરવા રોડ નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતના મકાનમાં ૧૬ વર્ષીય સગીર પરિવાર સાથે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. ૧૦ જાન્યુઆરીએ તે બે સગીર મિત્રો…

Read More