પરિવારમાં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણ માટે પિતાને આગળ આવવા આહવાન -બાળ લગ્ન મુક્ત અને શિક્ષિત સમાજની રચના માટે સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈઅમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાણંદ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, 2006 અંગેના એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાંથી બાળ લગ્નની કુપ્રથાને જડમૂળથી નાબૂદ કરવાનો અને કાયદાકીય જોગવાઈઓથી નાગરિકોને અવગત કરવાનો રહ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને બાળ લગ્નના કારણે થતા શારીરિક અને માનસિક દુષ્પરિણામો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના પ્રતિનિધિએ બાળ અધિકારોના સંરક્ષણ પર ભાર…
Author: gujarat
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાલુ નાણાંકીય વર્ષે અત્યાર સુધીમાં પ્રોપર્ટી ટેક્સની રૂ. ૧,૪૦૦ કરોડની આવક થઈ છે અને કુલ આવક રૂ.૧.૮૦૫ કરોડ થઈ છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂ.૨,૧૫૦ કરોડ રેવન્યુ જનરેટ કરવા માટે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.આયાર સુધીમાં AMCની મિલ્કતવેરાની રૂ.૧.૩૦૦ કરોડ, પ્રોફેશનલ ટેક્સની રૂ. ૨૦૨.૪૮ કરોડ, વ્હીકલ ટેક્સની રૂ. ૧૮૩ કરોડ અને TSI-ગાર્જીસની રૂ. ૨૧ કરોડની આવક સહિત કુલ રૂ. ૧,૮૦૫ ૧૨ કરોડની આવક થઈ છે.AMC દ્વારા તા. ૧ જાન્યુઆરીથી ટેક્સના બાકી લેણાં પર વ્યાજ માફી સ્ક્રીમ અમલમાં મૂકવામાં આવી છે. જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ ટેક્સના બાકી લેણાં માટે નાગિરકોને રાહત આપવા માટે અમલમાં મૂકાયેલી…
આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છેઃ અન્ય બે બાળકી ગંભીર હોવાનું જણાય છેભાવનગર, ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાવનગરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં અગાસી પર પતંગ ચગાવવા-લૂંટવા જતાં ત્રણ બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે બાળકી ગંભીર હોવાનું જણાય છે. ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, ભાવનગરમાં પતંગ ચગાવવા-લૂંટવા જતાં ત્રણ બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટના શહેરના શીતળા માતાના મંદિર પાસે ખોડિયાર નગર બની હતી. આ દુર્ઘટનામાં ૧૨ વર્ષીય નિકુંજ ગોકુળભાઈ મકવાણાનું મોત…
સુરતમાં ૧૫૫૦ કરોડનું મહાકૌભાંડઃ નોટો ગણવાના ૪ મશીનોથી ગણાતા હતા પૈસા- ૨.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્તઆરોપીઓના ઘરે તપાસ કરતા ૨૮૯ ગ્રામ સોનું, ૧૦ કિલો ૮૦૦ ગ્રામ ચાંદી અને ૪૧૩.૩૭ કેરેટના રફ હીરા પણ જપ્ત કરવામાં આવ્યા છે.સુરત, સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા ૧૫૫૦ કરોડ રૂપિયાના મસમોટા સાયબર ફ્રોડ કૌભાંડમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસના તાર છેક મહિધરપુરા હીરાબજાર સુધી પહોંચ્યા છે.પોલીસે કાળા નાણાંને સફેદ કરવા અને તેને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવતા વધુ ૪ આરોપીઓને દબોચી લીધા છે. પોલીસને આરોપીઓની ઓફિસ અને ઘરેથી એટલી રોકડ મળી છે કે તે ગણવા માટે ૪ મશીનો કામે લગાડવા પડ્યા…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધીમહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રધ્ધાંજલિ આપતા વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીAhmedabad, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી.ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન,આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.…
BJP MLAs Letter to CM: મધ્ય ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ સામૂહિક રીતે મુખ્યમંત્રીને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે કે સરકારી અધિકારીઓ તેમનું સાંભળતા નથી. ધારાસભ્યોએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સામાન્ય નાગરિક માટે સરકારી કચેરીમાં જવું એ યુદ્ધ જીતવા સમાન છે. કલેક્ટર, ડીડીઓ અને એસપી જેવા ઉચ્ચ અધિકારીઓ મનસ્વી રીતે વર્તે છે અને ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા જનહિતના કામોને જાણી જોઈને વિલંબમાં મૂકે છે અથવા અવગણે છે.પત્ર લખનારા પાંચ ધારાસભ્યોના આકરા પ્રહારઆ વિવાદમાં ડભોઈના શૈલેષ મહેતા, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવલીના કેતન ઈનામદાર, કરજણના અક્ષય પટેલ અને પાદરાના ચૈતન્યસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.…
અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ : સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત ઉપરાંત ૫૦ જેટલા દેશોના ૧૦૦૦થી વધુ પતંગબાજોનો જમાવડોસંગીત અને નૃત્યના અનેરા સંગમથી વડાપ્રધાનશ્રી અને જર્મન ચાન્સેલરને અપાયો વિશિષ્ટ આવકારવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદી તેમજ જર્મન ચાન્સેલર શ્રી…
ભાવનગર, ભાવનગરના ખોડીયાર નગર વિસ્તારમાં ૧૧ જાન્યુઆરીની સાંજે પતંગ લૂંટવાની લ્હાયમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં અન્ય બે સગીરાઓ પણ વીજ કરંટની ઝપેટમાં આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વીજ તારમાં ફસાયેલી પતંગને લોખંડના સળિયા વડે કાઢવા જતી વખતે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.ઘટનાની વિગતો અનુસાર, શહેરના શીતળા માતાના મંદિર પાસે આવેલા ખોડીયાર નગરમાં કેટલાક બાળકો પતંગ લૂંટી રહ્યા હતા. આ દરમિયાન ૧૨ વર્ષીય નિકુંજ ગોકુળભાઈ મકવાણા વીજ લાઈનમાં ફસાયેલી પતંગ કાઢવા જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.નિકુંજની સાથે હાજર ૧૩ વર્ષીય સેજલ મકવાણા અને ૧૫ વર્ષીય…
અંકલેશ્વર, અંકલેશ્વર કાગળીવાડમાં ગૌવંશ કતલ કરતા સગીર સહિત ૩ ઝડપાયા ગયા હતા જયારે એક ઈસમ ફરાર થઇ ગયા હતા. શહેર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતી આધારે દરોડા પાડ્યા હતા.પોલીસે રીક્ષા મોપેડ તેમજ મોબાઈલ અને શંકાસ્પદ ૧૩૦ કિલો ગૌવંશ મળી ૯૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ની ટીમ ને ચોક્કસ માહિતી મળી હતી કે આસીફ ઇકબાલ ઉર્ફે મિનું રસીદ કાદર મલેક પોતાના કાગડીવાડ સ્થિત દુધીયા પીર ની દરગાહ પાસે આવેલ મકાનના નીચેના રૂમમાં ગૌવંશ લાવી કતલ કરી રહ્યા છે.જે માહિતી આધારે પોલીસે દરોડા પાડતા ઘર બહાર મોપેડ પર નજર રાખી બેઠેલ ઈસમ પોલીસ જોતા જ ભાગ્યો…
અમદાવાદ, ઉત્તરાયણના પર્વ આડે બે દિવસ જ બાકી છે. થોડા વર્ષાે પહેલા કોટ વિસ્તારમાં આખો દિવસ તમામ લોકો ટેરેસ પર પતંગ ચગાવતા હતા પરંતુ છેલ્લા થોડા વર્ષાેથી આમાં બદલાવ આવ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ઉત્તરાયણના દિવસે લોકો દ્વારા પતંગ ચગાવવાનો સમય ૫-૬ કલાકથી ઘટીને ૨-૩ કલાક થઈ ગયો છે.ઉત્તરાયણમાં વિવિધ કારણોસર હવે લોકોને પહેલા જેવો રસ નથી રહ્યો. જોકે હજુ ઘણા લોકો પરિવાર સાથે જ ઉત્તરાયણ મનાવવાનું પસંદ કરે છે. મોબાઈલ, સોશિયલ મીડિયા, કામ, ભણતર, ધાબા પર ખુલ્લી જગ્યાની અછત, સોસાયટીના સભ્યો સાથે ઓછો પરિચય જેવા અનેક કારણોસર પતંગ ચગાવવાથી રસ ઘટી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.એક રિપોર્ટ પ્રમાણે ૨૭…
