‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘માં સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓકીર્તિ-કરશન સાગઠિયા અને હાર્દિક દવેની સુરભરી રમઝટ અને રાજભા ગઢવીના સાહિત્યથી દેશભક્તિ અને શિવભક્તિનો અનોખો માહોલ સર્જાયો અમદાવાદ, સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં શુક્રવારે ૯ જાન્યુઆરીની રાતે સાગર, સોમનાથ અને સંગીતનો અનોખો તથા અલૌકિક સમન્વય સર્જાયો હતો. સાગરની લહેરોની ગર્જના, સોમનાથ મહાદેવની પાવન હાજરી અને સંગીતની સુમધુર સૂરલહેરીઓએ સમગ્ર પરિસરને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊર્જાથી ભરપૂર બનાવી દીધુ હતું.આ ભવ્ય સાંસ્કૃતિક સાંજમાં પ્રખ્યાત ગાયક કીર્તિ સાગઠીયા તથા લોકપ્રિય લોકગાયક કરશન સાગઠિયાની જોડીએ મહાદેવના ભાવસભર ભજનો, વિવિધ ગરબા અને લોકપ્રિય ગીતોની…
Author: gujarat
PM Modi Somnath Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી શનિવારે સોમનાથ પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ પહોંચવા પર તેમણે ખુશી વ્યક્ત કરી અને તેને ભારતીય સભ્યતાની હિંમતનું એક ગૌરવશાળી પ્રતીક ગણાવ્યું. પ્રધાનમંત્રીના સોમનાથ પહોંચવા પર સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જ્યારે રોડ માર્ગે પોતાના ગંતવ્ય તરફ જઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું. તેમણે સોમનાથ પ્રવાસની તસવીરો સત્તાવાર ‘X’ હેન્ડલ પર પોસ્ટ કરી હતી.સોમનાથ પહોંચીને શું બોલ્યા પીએમપીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
Kalupur Swaminarayan Mandir Controversy: કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાલ આચાર્ય પદ અને સાધુઓ વચ્ચે મંદિરોની માલિકી હક્ક બાબતે મોટો વિવાદ ઊભો થયો છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સંસ્થાના સર્વોચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિઓ સાધુઓએ મહેનતથી ઉભી કરેલી મિલકતો પોતાના નામે કરાવી લેવા દબાણ કરી રહ્યા છે. જે સાધુઓ આ મિલકતો સંસ્થાના નામે લખી આપતા નથી, તેઓની સામે ખોટી ફરિયાદો કરીને તેમને સંપ્રદાયમાંથી બહાર કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. આ આંતરિક ખેંચતાણને કારણે વર્ષો જૂના સંપ્રદાયની ગરિમા જોખમાઈ રહી છે અને ભક્તોમાં પણ બે ફાંટા પડી રહ્યા છે.શાસ્ત્રી પ્રેમસ્વરૂપ સ્વામીની હકાલપટ્ટીથી ભારે ખળભળાટતાજેતરમાં સંપ્રદાયના માસિક અંકમાં કલોલ ગુરુકુળના શાસ્ત્રી પ્રેમસ્વરૂપ…
રાજકોટમાં કામે ચડ્યાના ચાર જ દિવસમાં આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છેરાજકોટ,રાજકોટના સોની બજાર વિસ્તારમાં જૂના પરિચયનો લાભ ઉઠાવી એક બંગાળી કારીગર વેપારીની તિજોરીમાંથી ૩૬ લાખથી વધુ રૂપિયાની કિંમતનું સોનું ચોરીને ફરાર થઈ ગયો છે. સોનાના દાગીના બનાવવાનું કામ કરતા વેપારીએ વિશ્વાસ મૂકીને કારીગરને કામે રાખ્યો હતો પરંતુ તે તકનો લાભ ઉઠાવી પલાયન થઈ ગયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.સોની બજારના દરબારગઢ ચોક પાસે માણેક ગોલ્ડ કાસ્ટિંગ નામનું કારખાનું ધરાવતા કલ્પેશભાઈ મથુરભાઈ કાતરીયાએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના અક્ષય…
મહુવા કોર્ટમાં એસઆઈટીએ આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ માંગ્યા હતાએસઆઈટી દ્વારા સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ, તેમજ અત્યાર સુધી તપાસમાં રહેલી ત્રુટીઓ શોધવામાં આવી રહી છેમહુવા,બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ કરવા માટે ગત સોમવારના રોજ રેન્જ આઈજી દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ હુમલાના આઠેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી ગતરોજ મહુવા કોર્ટમાં કરી હતી. જે બાદ આજે મહુવા કોર્ટ દ્વારા આ બનાવના આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. બીજ તરફ આ કેસમાં ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે અવરોધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના બનાવના પડઘા ગાંધનગર…
રાજકોટ, ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે ઝૂપડામાં રહેતા કિરીટસિંહ ભૂપતસિંહ સીસોદીયા (ઉ.વ.૩૮) એ માતાના વિયોગમાં ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.સંતાનમા બે દીકરી અને એક દિકરો ધરાવતા કિરીટસિંહના માતા રામબા (ઉ.વ.૭૩)નું અઠવાડિયા પહેલાં બિમારીના કારણે મૃત્યુ નિપજ્યુ હતુ. ત્યારથી મૃતક ગુમસુમ રહેતા હતા.ગઇકાલે તેના પત્ની સંતાનો સાથે તેના માતાના ઘરે ગયા બાદ કિરીટસિંહે છતના આડસમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.તેના પત્ની ઝૂંપડાને આડસ કરવા જતા કિરીટસિંહ ગળાફાંસો ખાધેલી હાલતમા મળ્યા હતા. ૧૦૮ બોલાવાતા તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.માલવીયાનગર પોલીસનાં જમાદાર દિનેશભાઇ બગડાએ જરૂરી કાર્યવાહી કરી આ મામલે યોગ્ય તપાસ હાથ ધરી છે.SS1MS
અમદાવાદ, મુંબઈથી ભુજ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતું દંપતી એમ.ડી. ડ્રગનો જથ્થો લઈને આવી રહ્યું હોવાની બાતમી રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મોરીને મળતા તાત્કાલિક ટીમો બનાવી એક્સપ્રેસ-વે પરથી બહાર નીકળતા વળાંક પર વોચ ગોઠવી દેવાઈ હતી.બાતમી મુજબની લક્ઝરી બસ આવતા જ તેને ઊભી રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વર્ણન અનુસારના દંપતીના સામાનની તપાસ કરતાં થેલામાંથી રૂ. ૪.૯૨ લાખનું એમ.ડી. ડ્રગ મળી આવ્યું હતું. આ ઉપરાંત, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૫.૧૨ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ મામલે રામોલ પોલીસે દંપતીની ધરપકડ કરી ડ્રગ આપનાર અને મગાવનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ…
ગાંધીનગર, ગાંધીનગરના સરગાસણમાં રહેતા વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાની ધમકી આપી સાયબર ગઠિયાએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂ. ૩૫.૨૫ લાખની રકમ ઓનલાઇન પડાવી ગયા હોવાનો બનાવ સાયબર પોલીસ મથકમાં નોંધાયો છે.સરગાસણમાં રહેતા હરિ કિશોર ઠાકુર ઉ.૬૭, મુળ રહે- બિહાર)એ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયા મુજબ હકીકત એવી છે કે તેઓ ચાર બેંકોમાં ખાતા ધરાવે છે. તા. ૧૧/૧૦/૨૦૨૫ના રોજ તેમના મોબાઈલ ફોન આવ્યો હતો. સામેથી કહ્યુ હતું કે તમારી સામે આધારકાર્ડનો ખોટો ઉપયોગ, વાયોલન્સ સેન્ટીંગ, ચાઈલ્ડ પ્રોનોગ્રાફી અને હેરેસમેન્ટ જેવા ઘણાં બધા કેસ છે.તેમ કહી તેણે મહારાષ્ટ્ર સાયબ૨ કાઈમ બ્રાન્યના સબ ઈન્સ્પેક્ટર શંકર…
આનંદપુરાકંપામાં રામકથામાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટ્યો પ્રતિનિધિ.મોડાસા, મોડાસા પાસે આનંદપુરા કંપામાં પૂ કથાકાર પ પૂ સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામિ જનાર્દન હરિજી મહારાજના વ્યાસપીઠે રામચરિત માનસનો કથાનો કથા રસપાન માટે શ્રોતોઓનો મહેરામણ આજે પાંચમા દિવસની કથામાં પણ જાણે મિનિ કુંભ ભરાયો હોય એમ ખીચોખીચ મંડપ ભરાઈ ગયો હતો જ્યાં નજર નાખીએ ત્યાં ભાવિકો તસુ જગ્યા રહી ન હતી એટલું જ નહીં પણ મંડપના પડદા પણ ખોલી દેવા પડ્યા હતા એને શ્રોતાઓમાં કથા રસપાન ની જિજ્ઞાસાની આજે પરાકાષ્ઠા વટાવી રહી હતી.પૂ સ્વામિ જનાર્દન હરિજી મહારાજે કથારસપાન કરાવતા કહ્યું કે પારસમણિ લોખંડને સોનું બનાવી દે એમ રામકથાનો ભાવ કથાવસ્તુ એના સંસ્કાર વિચારો સ્પર્શ કરે…
આજનો દિવસ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક: આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શરૂઆત થઈ –પ્રોપર્ટી,ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી રાજ્યની આર્થિક શક્તિ વધુ મજબૂત બનશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ક્રેડાઈ અમદાવાદ-GIHED (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ)ના20માં ભવ્ય પ્રોપર્ટી શૉ-ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ “આ અમદાવાદનો દસકો છે” ફિલ્મનું લોન્ચિંગ કરી ફિલ્મ નિહાળી હતી.પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્થિતિ રહ્યાં હતા.અમદાવાદGMDCગ્રાઉન્ડ ખાતે તારીખ9, 10અને11જાન્યુઆરી-2026ના રોજ યોજાનાર આ પ્રોપર્ટી શૉ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક છે. માનનીય વડાપ્રધાન શ્રી…
