પાટીદાર સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવાના નિયમનો સંકેત આપ્યો હતો.
મહેસાણા સરદાર પટેલ સેવાદળ દ્વારા ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમ લગ્ન માટે માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા માટે જરૂરી અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. સરકાર પાટીદાર સમાજની માંગણીઓ પર વિચાર કરશે.
સીએમના નિવેદન પર નીતિન પટેલે સમર્થન આપ્યું છે. મુખ્યમંત્રીના સંકેત બાદ પ્રેમ લગ્નની નોંધણી સમયે નિયમોમાં ફેરફારની માંગ ઉઠવા લાગી છે. નીતિન પટેલે લગ્ન નોંધણી સમયે માતા-પિતાની મંજૂરીને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે પ્રેમ લગ્નની નોંધણીમાં પરિવારની મંજૂરીને ધ્યાનમાં લેવું આવકાર્ય છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલમાં દીકરીઓમાં બે પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં લવ જેહાદનો ગંભીર પ્રશ્ન છે. આ ગંભીર પ્રશ્ન દેશભરમાં જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મની દીકરીઓને લલચાવીને, ખોટી ઓળખ ઊભી કરીને અને પોતાને હિંદુ ગણાવીને વિધર્મી યુવકો દીકરીઓને છીનવી લે છે.