(GNS),તા.10
અમદાવાદ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC.Ltd) લિમિટેડ અમદાવાદ શહેરમાં સવારે 6:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી નિયમિત મેટ્રો રેલ સેવાઓનું સંચાલન કરે છે.
દિવાળીના તહેવારને કારણે જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરો મેટ્રો રેલની કાર્યકારી સલામતી તેમજ મુસાફરોની સલામતી અને સુરક્ષાને અસર કરી શકે છે.
આ સંદર્ભે અને અન્ય મેટ્રો રેલ્વે દ્વારા અનુસરવામાં આવતા ધોરણો મુજબ, 12-11-2023 ના રોજ એક દિવસ માટે મેટ્રો રેલ સેવાનો સમય સવારે 6-00 થી સાંજે 7-00 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માહિતી લોકોને જાહેર કરવામાં આવે છે.