નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં જમ્મુ અને કાશ્મીર બેન્કનો ચોખ્ખો નફો 96 ટકા વધીને રૂ. 326 કરોડ થયો છે. બેંકે કહ્યું કે બેડ લોનમાં ઘટાડો થવાને કારણે તેની કામગીરીમાં સુધારો થયો છે. શ્રીનગર સ્થિત બેંકે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 166 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર બેંકમાં 63.41 ટકા હિસ્સો ધરાવે છે.
J&K બેન્કે શેરબજારને જણાવ્યું હતું કે તેની કુલ આવક 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને રૂ. 2,885 કરોડ થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 2,306 કરોડ હતી. બેન્કની વ્યાજની આવક વાર્ષિક ધોરણે વધીને રૂ. 2,657 કરોડ થઈ હતી જે સમીક્ષા હેઠળના સમયગાળામાં રૂ. 2,103 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન, બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) કુલ લોનના 5.77 ટકા પર આવી ગઈ, જે એક વર્ષ અગાઉ 9.09 ટકા હતી. એ જ રીતે નેટ એનપીએ 3.02 ટકાથી ઘટીને 1.39 ટકા પર આવી.