ગઈકાલ સુધી ધનશ્રી વર્મા ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની તરીકે ઓળખાતી હતી, હવે તેમના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. છૂટાછેડા પછી બંને પોતપોતાના જીવનમાં આગળ વધવા લાગ્યા છે. આ દિવસોમાં ધનશ્રી શો ‘રાઈઝ એન્ડ ફોલ’માં જોવા મળે છે, જ્યાં તેની અરબાઝ પટેલ અને આદિત્ય નારાયણ સાથે મિત્રતા થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે ધનશ્રી અને આદિત્ય કરતા તેની અરબાઝ સાથેની નિકટતા વધુ જોવા મળે છે.
શોના શરૂઆતના દિવસોથી જ ધનશ્રી, અરબાઝ અને આદિત્યનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, જેમાં પવન સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ હવે પવન શોમાંથી બહાર છે. પવનના ગયા પછી ધનશ્રી અને અરબાઝ વચ્ચેના સંબંધો ગાઢ થતા જણાય છે. તાજેતરના એપિસોડમાં ધનશ્રીએ અરબાઝને કહ્યું, “તેં મારા માટે મુશ્કેલી ઊભી કરી છે. હું વિલનની મિત્ર છું.” તેના જવાબમાં અરબાઝે કહ્યું, “હું વિલન નથી, હું હીરો છું.” આ વાતચીતમાં તેમની વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટ દેખાતી હતી.
ધનશ્રી અરબાઝથી નિરાશ
તાજેતરના એપિસોડમાં ધનશ્રી પણ કુબબ્રા સૈત સાથે અરબાઝ વિશે વાત કરતી જોવા મળી હતી. તેણે કુબ્રાને કહ્યું કે ‘આખી સિસ્ટમ ખોટી દિશામાં જઈ રહી છે.’ કુબ્બરાએ સમજાવ્યું કે તે અરબાઝનું ધ્યાન રાખે છે, પરંતુ એવું લાગે છે કે અરબાઝે તેની સ્થિતિ એટલી મજબૂત બનાવી લીધી છે કે ધનશ્રી પોતે એક પડછાયો બની ગઈ છે. કુબ્બરાએ એમ પણ કહ્યું કે મિત્રતા તોડવી જરૂરી નથી, પરંતુ પરિસ્થિતિને સમજવી જરૂરી છે.
ચાહકોનો અભિપ્રાય અને આગળ શું થશે?
આ શોમાં ઘણી વખત અરબાઝે ધનશ્રી પ્રત્યે તેની સકારાત્મક બાજુ બતાવી છે, જેના કારણે ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે બંને વચ્ચે મિત્રતા કરતાં પણ વિશેષ કંઈક થઈ શકે છે. જો કે, આ રિલેશનશિપની અસલી કહાની તો શો પૂરો થયા પછી જ ખબર પડશે.
આ પણ વાંચોઃ TRPમાંથી બહાર… અને હવે કાનૂની વિવાદમાં ફસાયા બિગ બોસ, 2 કરોડની કાનૂની નોટિસ જારી

