નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JETRO)
કાર્યકારી ઉપપ્રમુખ શ્રી કાઝુયા નાકાજો ઉપસ્થિત રહ્યા હતા
ભારત આજે ઓટોમોબાઈલ ક્ષેત્રે મિની જાપાન બની ગયું છેઃ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ.
જાપાનની કંપનીઓ આર્થિક સુરક્ષા માટે ગુજરાતમાં રોકાણ કરશેઃ જાપાનના રાજદૂત હિરોશી સુઝુકી
(GNS),તા.10
ગાંધીનગર,
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેન્ટર્સ સમિટ અંતર્ગત પ્રથમ દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે “મેક ઈન ઈન્ડિયા” અભિયાનમાં જાપાનના યોગદાનના “નેક્સ્ટ ફેઝ” પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. .
આ સેમિનારને સંબોધતા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારત અને જાપાન વચ્ચે છેલ્લા ત્રણ દાયકાથી વેપાર ક્ષેત્રે ગાઢ સંબંધો છે. જાપાન અને ગુજરાત 2003થી ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. ઓટોમોબાઈલ ક્ષેત્રના વિકાસ સાથે, ભારત આજે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં એક મીની જાપાન બની ગયું છે. જાપાન ભારતમાં ગાયના છાણમાંથી ઓટોમોબાઈલ, ગ્રીન એનર્જી અને એનર્જી જનરેટ કરવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, 2003થી તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં 27 વર્ષથી એક જ સરકારને કારણે જાપાનનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે, જેના કારણે ગુજરાતમાં વિકાસની અનેક તકો ઉપલબ્ધ બની છે. ટેકનોલોજી અને ઉર્જાની દિશામાં જાપાન અને ગુજરાત બંને એકબીજાને મળીને આગળ વધી રહ્યા છે.
જાપાન પર સેમિનાર “નેક્સ્ટ ફેઝ”…… 2….