G.C.E.R.T. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ નિર્દેશિત અને બી.આર.સી. ભવન, સરસ્વતી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેર-2023 અંબાજી પુરા પ્રાથમિક શાળામાં યોજાયો હતો. આ શૈક્ષણિક નવતર મેળામાં તાલુકામાંથી 19 નવતર શિક્ષકોએ ભાગ લીધો હતો અને તેમના નવતર પ્રયોગો રજૂ કર્યા હતા.
જેમાં સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના નવતર શિક્ષક દિલીપસિંહ ગોહિલનો વિજ્ઞાન વિષયમાં પ્રાયોગિક પ્રયોગ અને શિક્ષણ કાર્ય નામનો નવતર પ્રયોગ તાલુકા કક્ષાએ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેમાં ઇનોવેટીવ શિક્ષક દિલીપસિંહ ગોહિલે તેમની શિક્ષણ નિપુણતાને આધારે કેટલાક પ્રયોગો દર્શાવ્યા હતા. વામૈયા પ્રાથમિક શાળાની તાલુકા કક્ષાની રજૂઆતને શાળા વ્યવસ્થાપન સમિતિ, આચાર્ય અને શાળા પરિવારે આવકારી હતી.