27 સપ્ટેમ્બરે મેળાના પાંચમા દિવસે 1.01 લાખ ભક્તો આવ્યા હતા. 68,959 ભક્તોએ અન્નકૂટનો પ્રસાદ લીધો હતો
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. 23મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળાનો આજે ચોથો દિવસ છે. 27 સપ્ટેમ્બરે મેળાના પાંચમા દિવસે 1.01 લાખ ભક્તો આવ્યા હતા. 68,959 ભક્તોએ અન્નકૂટનો પ્રસાદ લીધો હતો. 3.24 લાખથી વધુ પ્રસાદ વિતરણ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
મેળામાં ચાર દિવસમાં 30 લાખથી વધુ ભક્તો ઉમટ્યા છે. આ પાંચ દિવસમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને 4.10 કરોડની આવક થઈ છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા 32 હજારથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. પાંચ દિવસીય મેળાનું સંક્ષિપ્ત વર્ણન અહીં કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યું છે.
9 હજાર ચીઠી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આજે મેળાના ચોથા દિવસે રૂ. ભંડારા, ગાદી ગિફ્ટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક 40,86,272 રૂપિયા છે. તેમજ પ્રસાદ વિતરણમાંથી રૂ.83,37,863 લાખની આવક થઇ છે, ટ્રસ્ટને કુલ રૂ. 65,97,818ની આવક થઇ છે.