પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢના ચેખલાના પાટિયા પાસે ઇક્કો અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ઇક્કોની આગળની પાંખ ઉડી ગઈ હતી. ઈકોમાં મુસાફરી કરી રહેલા બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જ્યારે બે લોકોને પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.અમીરગઢના ચેખલા પાટિયા પાસે નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. એલ એન્ડ ટી વિભાગ અને પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા. બે દિવસ પહેલા થરા નેશનલ હાઇવે પર બાઇક અને કાર વચ્ચે અથડામણ થઇ હતી. , જે બાદ અમીરગઢના ગંગાસાગરના પાટિયા પાસે એક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.