અરવલ્લી જિલ્લામાં પણ મેરી માટી, મેરા દેશ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત મોડાસા માલપુર, મેઘરજ ધનસુરા અને ભિલોડા ગામની પંચાયતોમાં બહાદુર શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના અનેક ગામોમાં મેરી માટી, મેરા દેશ જન ભાગીદારી દ્વારા વિવિધ સ્થળોએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીરોને સલામી આપવાના હેતુથી તમામ પંચાયતોમાં શિલાફળકામનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા ગામ દીઠ 75 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામના લોકોએ એકત્ર થઈને હાથમાં માટીના દીવા સાથે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક શપથ લીધા હતા. આ ઉપરાંત બહાદુર શહીદોના પરિવારજનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત કક્ષા સુધીના કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.