(GNS),તા.02
ગાંધીનગર,
વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સરકાર વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરીને વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે કામ કરી રહી છે. સરકારે આદિવાસી વિસ્તારોમાં વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આંતર-બજેટરી ફંડ બનાવવાના પ્રયાસો કર્યા છે. શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી પરિવારોને આરોગ્ય, શિક્ષણ અને આજીવિકા ક્ષેત્રે લાભ આપવામાં આવે છે.
શૈક્ષણિક પ્રગતિ
• મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આશ્રમશાળાઓ અને E.M.R.S. કુલ 837 શાળાઓના અંદાજિત 1 લાખ 52 હજાર વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા માટે રૂ. 735 કરોડની જોગવાઈ.
• અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે `584 કરોડની જોગવાઈ.
• મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, સરકારી હોસ્ટેલ, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના નિર્માણ માટે `539 કરોડની યોજના.
• સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયોના 70 હજાર વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા માટે `269 કરોડની જોગવાઈ.
• સરકારી છાત્રાલયો અને મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોના બાંધકામ માટે `255 કરોડની જોગવાઈ.