(GNS), તારીખ 08
ગાંધીનગર,
ઈન્ડિયન આર્મી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ સ્કૂલ, વડોદરાના કમાન્ડન્ટ મેજર જનરલ શ્રી નીરજ વર્ષનેય (વિશિષ્ટ સેવા મેડલ) એ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી.
શિક્ષણની સાથે સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિના સંસ્કારને વિશેષ પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો. દેશભક્તિ એ શિક્ષણમાં પણ મહત્વનું પરિબળ બનવું જોઈએ. મેજર જનરલ નીરજ વાર્શ્નેયે મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી.