ઊંઝામાં કાર્પેન્ટર આર્ટ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઝળહળતા તારલાઓ અને વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્પેન્ટર વુડન આર્ટ એસોસિએશન, ઊંઝા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેજસ્વી તારલાઓનું અભિવાદન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, પ્રગતિ અને સફળતા મેળવવા આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત તમામ લોકોને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરીને સમાજનું નામ રોશન કરવા અપીલ કરી હતી.