વિસનગરના કડા ચોક પાસેના ઉમિયા પાર્ટી પ્લોટ ખાતે તા.કડવા પાટીદાર સમાજ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વક્તા તરીકે પ્રખ્યાત કાજલ ઓઝા વૈદ્યએ મહિલાઓને આત્મનિર્ભર બનવાની શીખ આપી હતી. જેમાં 3000 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
વિસનગરમાં તા.કડવા પાટીદાર સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા સમાજને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ અને સમાજના લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સમાજની મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જાણીતા વક્તા કાજલ ઓઝા વૈદ્યએ સમાજની મહિલાઓને કેવી રીતે આત્મનિર્ભર બનાવી શકાય તેની સમજ આપી હતી. આ સાથે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે પણ મહિલાઓને આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ અને સ્વસ્તિક મહિલા ગૃહ ઉદ્યોગના પ્રમુખ વંદિતાબેન પંડિત, ગાર્ગીબેન, સમાજની નગરપાલિકાના મહિલા સદસ્યો શારદાબેન, ચાર્મીબેન, ચેતનાબેન. પૂર્વ પ્રમુખ શકુન્તાબેન, પત્રકાર લક્ષ્મીબેન, મહિલા ઉદ્યોગ સાહસિકો, આગેવાનો સહિત સમાજના સભ્યો અને સમાજની 3000 થી વધુ બહેનો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.