નવી દિલ્હી: 10 એપ્રિલ (A) સુપ્રીમ કોર્ટે બુધવારે યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર (MD) આચાર્ય બાલકૃષ્ણ દ્વારા ભ્રામક જાહેરાતના કેસમાં બિનશરતી માફી માંગતી એફિડેવિટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, અમે આ મામલે આટલા હળવા બનવા માંગતા નથી.