પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવતા સોમવારે 200 જેટલા ખેડૂતો કેનાલ ઓફિસે પહોંચ્યા હતા. તેમજ જો ચાર દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો કચેરી ખાતે આંદોલન કરી તાળાબંધી કરવાની જાહેરાત કરી હતી. જો ખેડૂતોને ચાર દિવસ સુધી કેનાલમાં પાણી નહીં મળે તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં જશે.
દાંતીવાડા સિંચાઈ વિભાગની 3L માઈનોર કેનાલ પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાંથી પસાર થાય છે. જેમાં ખેડૂતો કેનાલના પાણીથી અંદાજે 1000 હેક્ટરમાં પાકનું વાવેતર કરે છે. જોકે, બીપોરજોય વાવાઝોડા દરમિયાન કેનાલની ચેનલ તૂટી જતાં તેને નવી બનાવવાનું કામ આશરે રૂ.34 લાખના ખર્ચે હાથ ધરવામાં આવ્યું હતું અને કેનાલ તૈયાર થતાં પંદર દિવસ પહેલાં પાણી છોડવામાં આવ્યું હતું. જો કે, પાણી છોડતાની સાથે જ કેનાલમાં નુકસાન થયું હતું અને લાખો લીટર પાણી વહી ગયું હતું. ત્યારે અધિકારીઓએ ખેડૂતોને એક સપ્તાહમાં કેનાલનું સમારકામ કરી પાણી છોડવાની ખાતરી આપી હતી. પરંતુ પંદર દિવસ થવા છતાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. સોમવારે ગઢ, મડાણા, સલ્લા સહિતના અનેક ગામોના 200 જેટલા ખેડૂતો નહેર કચેરીએ પહોંચ્યા હતા અને ગઢ સિંચાઈ વિભાગના અધિકારીને પાણી છોડવાની માંગ કરી હતી.
આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી અવનીશ પટેલે ખેડૂતોને ગુરુવાર સુધીમાં પાણી છોડવાની ખાતરી આપી હતી. ત્યારે ખેડૂતોએ સિંચાઈ અધિકારી દ્વારા પાણી છોડવાની ખાતરીને લોલીપોપ ગણી ગુરૂવાર સુધી કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ગઢ વિસ્તારના આઠ ગામના ખેડૂતોએ સિંચાઈ કચેરીને તાળાબંધી કરી ચીમકી ઉચ્ચારી હતી. હડતાલ કરવા..
આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી અવનીશ પટેલે ખેડૂતોને ગુરુવાર સુધીમાં પાણી છોડવાની ખાતરી આપી હતી. ત્યારે ખેડૂતોએ સિંચાઈ અધિકારી દ્વારા પાણી છોડવાની ખાતરીને લોલીપોપ ગણી ગુરૂવાર સુધી કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ગઢ વિસ્તારના આઠ ગામના ખેડૂતોએ સિંચાઈ કચેરીને તાળાબંધી કરીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હડતાલ કરો..