ગાંધીનગરના કલોલમાં ફરી એકવાર કોલેરાએ હાહાકાર મચાવ્યો છે. ગાંધીનગર કલેક્ટરે કલોલ નગરપાલિકાના 2 કિમી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. કલોલના 40 થી વધુ કોલેરાના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ ગુજરાતનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કલોલમાં કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. જે બાદ તેઓ ગાંધીનગર કલેક્ટર, આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરશે.
ગઈકાલે અમિત શાહે આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલ સાથે વાત કરી હતી. ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલમાં કોલેરા ફાટી નીકળતાં વહેલામાં વહેલી તકે પગલાં લેવા તાકીદ કરી છે. આ ઉપરાંત અમિત શાહે જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર તંત્રને આ રોગચાળાને તાત્કાલિક કાબૂમાં લેવા સૂચના આપી હતી.
તમને જણાવી દઈએ કે ગાંધીનગર જિલ્લાના કલોલમાં વરસાદ બાદ કોલેરાએ માથું ઉંચક્યું છે. મળતી માહિતી મુજબ કલોલમાં અત્યાર સુધીમાં કોલેરાના 40 થી વધુ કેસ નોંધાયા છે. આ સંદર્ભે ગાંધીનગર કલેક્ટરે હવે કોલેરાગ્રસ્ત વિસ્તારોની માહિતી આપતું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કલોલ નગરપાલિકાના 2 કિમી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.