મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બહારગામથી આવતા લોકોની જીવનશૈલીને અનુરૂપ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
(GNS)ગાંધીનગર, તા.23
ગિફ્ટ સિટીમાં દારૂની મુક્તિ હાલમાં ચર્ચાનો વિષય બની છે. દારૂને મુક્તિ આપવાનો નિર્ણય ગિફ્ટ સિટી દ્વારા જ લેવાય છે, આ નિવેદન રાજ્યના પ્રવક્તા મંત્રી હૃષિકેશ પટેલે આપ્યું છે. તેમણે પરવાનગી અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે સરકાર માત્ર રાજ્યની પ્રગતિ અને કલ્યાણ વિશે જ વિચારે છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગિફ્ટસિટીની સ્થાપના વિઝન સાથે કરવામાં આવી છે. આઈટી અને બેંકિંગ સહિતની વિદેશી કંપનીઓને અહીં લાવવાનો હેતુ છે, જ્યારે બહારથી આવતા લોકોની જીવનશૈલીને અનુરૂપ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બહારથી આવતી પ્રતિભાને સાચવવી ખૂબ જ જરૂરી છે. તેથી જ તેમના માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો આ પ્રયાસ છે. આ નિર્ણયને કારણે ગિફ્ટ સિટીમાં બિઝનેસની તકો વધશે. એક નાનકડા કારણથી સમસ્યા હતી, તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.