(GNS),તા.16
ગાંધીનગર,
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત “વિકાસ ભારત સંકલ્પ યાત્રા”ના બીજા તબક્કા અંતર્ગત વોર્ડ-9માં સેક્ટર-3 સ્થિત એસએસવી સ્કૂલ ખાતે ઉપસ્થિત મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને આ પ્રસંગે મેયર શ્રીએ જણાવ્યું હતું કે, નાગરિકોએ ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’માં ભાગ લેવો જોઈએ.કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભો સહિત મફત આરોગ્ય સુવિધાઓનો લાભ મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં ડે. મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, કાઉન્સિલર શ્રી, કમિશનર શ્રી જે.એન. વાઘેલા, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.