અમદાવાદ.
ગુજરાતમાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના માત્ર 11 કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન વધુ 28 દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ, નોંધાયેલા 11 નવા કેસમાંથી સૌથી વધુ 4-4 કેસ અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાંથી આવ્યા છે. આ ઉપરાંત મહેસાણામાં 2 અને વલસાડ જિલ્લામાં 1 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયો છે.
આજે વધુ 28 દર્દીઓ સાજા થવા સાથે કુલ 12,79,923 સંક્રમિત લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 99.13 ટકા થઈ ગયો છે.
તાજેતરની સ્થિતિ મુજબ, કોરોનાના સક્રિય કેસ ઘટીને 159 પર આવી ગયા છે. જેમાંથી 2 દર્દીઓની હાલત ગંભીર છે અને તેઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય 157 દર્દીઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.