ગુજરાતમાં કોરોનાના દિનપ્રતિદિન કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સાંજે 5 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના માત્ર 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 55 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના આંકડા મુજબ, નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ 8 ચેપ એકલા અમદાવાદ શહેરમાં જ આવ્યા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 4, મહેસાણા, વડોદરા અને વલસાડ જિલ્લામાં 2-2 અને ભરૂચ જિલ્લામાં એક પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજે વધુ 55 દર્દીઓ સાજા થવા સાથે અત્યાર સુધીમાં કુલ 12,79,834 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જો કે છેલ્લા બે દિવસથી સતત 1-1 દર્દીના મોત બાદ આજે એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત થયું નથી. જ્યારે આ જીવલેણ વાયરસે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 11,077 નાગરિકોને સંક્રમિત કર્યા છે.
તાજેતરની સ્થિતિ મુજબ, રાજ્યમાં હાલમાં કોરોનાના 224 સક્રિય કેસ છે. જેમાંથી 2 દર્દીઓની હાલત ગંભીર છે અને તેઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય 222 દર્દીઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. હાલમાં રાજ્યમાં કોરોનામાંથી રિકવરી રેટ વધીને 99.12 ટકા થઈ ગયો છે.