(જીએનએસ) 13
બાયપોરજોય ચક્રવાત કચ્છમાં જખૌમ ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ગૂંચવાડો ન સર્જાય તેની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. કચ્છમાં મિલિટરી કેમ્પ, જવાનોની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. આ આર્મી બટાલિયન કોઈપણ પ્રકારની બચાવ કામગીરી હાથ ધરવા માટે સજ્જ છે. રાહત અને બચાવ સામગ્રી સાથે આર્મીના જવાનો તોફાન પહોંચવા માટે તૈયાર છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કચ્છ પહોંચી ગયા છે અને સતત પરિસ્થિતિની માહિતી મેળવી રહ્યા છે. કુલ 6,730 લોકોને કચ્છમાં ખસેડવામાં આવ્યા છે. 4,509 ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દરિયાકાંઠે રહેતા 2,221 લોકોનું સ્થળાંતર 120 સ્થળોએ થયું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મેડિકલ કીટ સહિત એક લાખ ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં આ રાહત કામગીરીમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સામેલ છે. તોફાન દરમિયાન PHC, CHC કેન્દ્રો પણ કાર્યરત રહેશે.