તુવેર દાળ એ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ખોરાકમાંથી એક છે. અને આજકાલ તુવેર દાળના ભાવ આસમાને છે. દાળના ભાવ વધવાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. અને તેના કારણે સમસ્યા વધે છે. આ જોતા સરકાર કઠોળના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારના બફર સ્ટોકમાંથી મિલરોને તુવેર દાળ વેચવાની તૈયારી કરી રહી છે. સરકારના આ નિર્ણયથી દાળના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.
એક સત્તાવાર નિવેદન અનુસાર, સરકારે આયાતી સ્ટોક ભારતીય બજારમાં ન આવે ત્યાં સુધી આયોજિત અને લક્ષિત રીતે રાષ્ટ્રીય બફરમાંથી તુવેર દાળનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે. ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી રાષ્ટ્રીય બફરમાંથી આયાતી તુવેર દાળ ખુલ્લા બજારમાં ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી સરકાર બફર સ્ટોક કરવાનું ચાલુ રાખશે. સરકારનો પ્રયાસ છે કે આ દાળના પુરવઠામાં ઘટાડો ન થાય.
નિવેદન અનુસાર, ગ્રાહક બાબતોના વિભાગે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF) ને તુવેર દાળની ઉપલબ્ધતા વધારવા માટે પાત્ર મિલરો વચ્ચે ઓનલાઈન હરાજી દ્વારા તુવેર દાળનું વેચાણ કરવાનો નિર્દેશ આપ્યો છે. અને ત્યારબાદ ગ્રાહકોને કઠોળ પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી.