શિયાળો શરૂ થઈ ગયો છે. ત્યારે બદલાતા હવામાનને કારણે શરદી-ખાંસીની સમસ્યા દરેકને પરેશાન કરી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે દવા લેવા માંગતા નથી, તો તમે કેટલાક ઘરેલું ઉપચાર પણ અજમાવી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે બાજરીના લોટમાંથી બનાવેલ રાબ પીશો તો તમને રાહત મળશે.
સામગ્રી
2 ચમચી – દેશી ગોળ
1 ગ્લાસ – પાણી
2 ચમચી – ઘી
2 ચમચી – બાજરીનો લોટ
1/2 ચમચી આદુ પાવડર
રેસીપી
– એક પેનમાં ગોળ અને પાણી લો. – આ મિશ્રણને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી ગોળ પાણીમાં સારી રીતે ઓગળી ન જાય. ગેસની આંચ મીડીયમ રાખો. – ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. – આ પછી બીજા પેનમાં ઘી લો અને તેને ગરમ થવા દો. – ઘી ગરમ થાય એટલે તેમાં બાજરીનો લોટ નાખીને શેકી લો. લગભગ 3-4 મિનિટ અથવા બાજરીના લોટનો રંગ બદલાય ત્યાં સુધી શેકો. – બાજરીનો લોટ શેકાઈ જાય એટલે તેમાં આદુનો પાઉડર ઉમેરીને 1-2 મિનિટ માટે ફરીથી શેકો. – હવે આ મિશ્રણમાં ઉકાળેલું પાણી ઉમેરો અને ફરીથી ગરમ થવા દો. જ્યાં સુધી બધી સામગ્રી એક સાથે ભળી જાય અને ઉપર ઘી દેખાવા લાગે ત્યાં સુધી તેને ઉકળવા દો. (લગભગ 10 મિનિટ). તો તૈયાર છે બાજરીના લોટનો રાબ. આ રાબ પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થશે.