તેમણે જનહિતમાં સરકારી તંત્રને સાથ આપવાની વાત કરી અને સરકારને અપીલ પણ કરી
ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં સંભવિત ચક્રવાતના જોખમને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જનહિતમાં સરકારી તંત્રને સાથ આપવાની વાત કરી હતી અને સરકારને અપીલ પણ કરી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં ચક્રવાત બિપરજોયના જોખમને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શક્તિસિંહે કહ્યું છે કે કોંગ્રેસના તમામ કાર્યકરો જનહિતમાં સરકારી તંત્રને સાથ આપશે. શક્તિસિંહે વિસ્થાપિતોને કેશ ડોલ્સ આપવાની માંગણી કરી છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસના તમામ કાર્યકરો જનહિતમાં સરકારી તંત્રને સાથ આપશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે કાર્યકરોને વાવાઝોડાની સ્થિતિમાં નાગરિકોને મદદ કરવા સૂચના આપી છે.
તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ વિસ્થાપિતોને રોકડ સહાયની ચૂકવણી વિશે પણ માહિતી આપી છે. શક્તિસિંહે કહ્યું છે કે વિસ્થાપિતોને કેશ ડોલ્સ ચૂકવવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંભવિત અસરગ્રસ્ત ગામોમાં જનરેટરની વ્યવસ્થા કરવી જોઈએ. તેઓએ વન વિભાગના ગોડાઉનમાં પડેલા ઘાસને સંભવિત અસરગ્રસ્ત ગામોમાં પશુઓના ચારા માટે મોકલવાની પણ માંગણી કરી છે. તેમજ ગ્રામ પંચાયતોને સેટેલાઇટ ફોન આપવા જણાવ્યું હતું. આ સાથે લોટ, કઠોળ, ચોખા સહિતની આવશ્યક સામગ્રીની કીટ પહોંચાડવાની માંગ કરવામાં આવી છે.