સુજનીપુર ગામ તરફ જતા સબજેલ રોડ પર છેલ્લા બે વર્ષથી વરસાદના દિવસોમાં નાળાઓમાં પાણી વહેવાથી અને રોડનું ભારે ધોવાણ થતા રોડ જર્જરિત બની ગયો છે.
રસ્તા પરના ખાડા અને ધોવાણના કારણે ગ્રામજનોને સુજનીપુરથી પાટણ આવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતવારે તંત્ર દ્વારા રોડનું રિસરફેસિંગ કામ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.