પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પરથી પસાર થતી કંબોઇમાં નર્મદા કેનાલમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચાણસ્મા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો પંચનામું કરી વધુ તપાસ માટે ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ચાણસ્મા હારીજ હાઈવે રોડ પર નર્મદા કેનાલમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હોવાની સ્થાનિક અધિકારીઓને જાણ થતાં તેઓએ આજે સવારે સ્થાનિક તરવૈયાઓની મદદથી નર્મદા મુખ્ય કેનાલમાંથી લાશને બહાર કાઢી હતી. પોલીસે મૃતકની લાશને પીએમ માટે ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી મૃતક યુવકના માતા-પિતાને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. નર્મદા કેનાલમાં ઝંપલાવનાર યુવકે શા માટે જીવનનો અંત આણ્યો તે જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે.