AIIMS સ્માર્ટ કાર્ડ, જે રાષ્ટ્રીય રાજધાનીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના કેટલાક વિભાગોમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું, તે તમામ પ્રકારની ચુકવણીઓને સક્ષમ કરવા માટે 31 માર્ચ સુધીમાં તમામ વિભાગોમાં શરૂ કરવામાં આવશે. બુધવારે AIIMS દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
સંસ્થાએ કહ્યું કે ત્યારબાદ ‘AIIMS સ્માર્ટ કાર્ડ’ ટોપ-અપ કાઉન્ટર સિવાય કોઈપણ કાઉન્ટર પર રોકડ ચુકવણી સ્વીકારવામાં આવશે નહીં. સ્માર્ટ કાર્ડ ટોપ-અપ કાઉન્ટર્સ બહુવિધ સ્થળોએ સક્રિય કરવામાં આવશે અને અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક કાર્યરત રહેશે.
AIIMSએ કહ્યું કે UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિવાય, AIIMS સ્માર્ટ કાર્ડ તમામ પરીક્ષણો અને પ્રક્રિયાઓ માટે ચુકવણીનું એકમાત્ર માધ્યમ હશે.